SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશમરતિવિવેચન સહિત વિવેચન—સામાન્ય સમજણુ માટે ઉત્તરભેદ્ય થઈ શકે છે તેમ જણાવી એક જીવમાં એકથી લઇ વધારેમાં વધારે ચાર સુધીના જ્ઞાન એકીસાથે હાઈ શકે એ વાત આ ગાથામાં સ્પષ્ટ કરે છે. ૫૭૪ ઉત્તરભેદ—જ્ઞાનના વિષય વગેરેને લઇને એના અનેક ભેદો થઈ શકે છે. આપણે દાખલા તરીકે શ્રુતજ્ઞાનના ૩૪૦ ભેદ જોઈએ. એ પણ વિષયને લઈને પાડેલા ભેદો છે. સભામાં બેઠેલ ઘણા શ્રોતાઓએ હારમોનિયમ, દીલરૂબા, વાયેાલીનને એક સાથે અવાજ સાંભળ્યેા. આમાં આછાવત્તા અવાજો (સૂરા) સાંભળવામાં આવે છે. કોઈને તે દરેક વાજિંત્રનેા ભિન્ન અવાજ સંભળાય છે અને દરેકના જુદા અવાજ તે જાણે છે, તેને બહુઅવગ્રહ કહેવાય. અને કોઈને અવ્યક્તપણે વાજિંત્ર વાગે છે એટલું જ સાંભળવામાં આવે તેને અબહુઅવગ્રહ કહેવામાં આવે છે. કોઈ શ'ખ, હારમોનિયમ, દીલરૂમા દરેકના જુદા જુદા અવાજ સાંભળે છે અને જાણે છે તેને બહુવિધ અવગ્રહ કહેવાય અને કોઈને એક વાજિંત્રના એક જાતના જ સૂર સાંભળવા જાણવામાં આવે તે અમહુવિધ અવગ્રહ કહેવાય. કોઈને તે નાદ તુરંત જાણવામાં આવે તે ક્ષિપ્ર અવગ્રહ કહેવાય. કોઈને ઘણા વિચાર કરે ત્યારે જાણવામાં આવે તે અક્ષિપ્ર અવગ્રહ કહેવાય. જેમ ધ્વજારૂપ લિંગે (ચિહ્ને) કરીને દેવકુળ એળખાય છે, તેમ લિંગસહિત જાણે તેને નિશ્રિતાવગ્રહ કહેવાય, જે એવા લિંગ વગર જાણે તેને અનિશ્રિતાવગ્રહ કહેવાય. કાઈને સશય વગર સભળાય તેને અસદ્દિગ્ધાવગ્રહ કહેવાય અને કોઈને સશય સહિત સભળાય તેને સન્ધિાવગ્રહ કહેવાય. કાઈ એકવાર સાંભળેલને યાદ કરી લે, તેને સ્મરણમાં રાખે, ભૂલે નહિ, તેને ધ્રુવ અવગ્રહ કહેવાય. અને કોઈને એકવાર ગ્રહણ કરેલું સાઁદા યાદ રહે નહિ તેને અધ્રુવાવગ્ર કહેવાય. બહુ અહિ ખાર ભેદો ઇહા વગેરેના પણ થાય છે. આ ખારભેદને પૂના અઠ્ઠાવીશ મતિજ્ઞાનના ભેદે ગુણતાં ૩૩૬ ભેદ થાય. અને તેમાં નીચે જણાવેલ ચાર બુદ્ધિ ભેળવતાં વિષયભેદે મતિજ્ઞાનના ૩૪૦ ભેદ થાય. આ ઉત્તરભેદ થયા. આવી રીતે અન્ય ગ્રંથામાં જ્ઞાનના અનેક ઉત્તરભેદ જણાવ્યા છે. વિષય—આ જે બધા ઉત્તરભેદો પડે છે તે જાણવાની વસ્તુને લઈને પડે છે. અધિગમ—જ્ઞાન, પરિચ્છેદ. વધારે ઓછું જ્ઞાન આ વિષયાદિને લઈને થાય છે. માણસને વધારેમાં વધારે ચાર જ્ઞાન શકય છે—મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન. પાંચમા કેવળજ્ઞાનમાં સર્વજ્ઞાનના અભાવ થઈ જાય છે. તેથી પ્રાણીને ચાર જ્ઞાન કહ્યા છે. આવી રીતે પ્રાણીને એક અથવા એકથી માંડીને ચાર જ્ઞાન હાઈ શકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy