SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ સભ્ય દન, જ્ઞાન, ચારિત્ર પ૭૩ અનુગકૃત (માગણીઓનું જ્ઞાન), પ્રાભૂત પ્રાભૂત કૃત (આખા વિષયનું જ્ઞાન તે પાહુડપાહુડ), પાહુડકૃત (પ્રકરણ આખાનું જ્ઞાન), વસ્તુશ્રુત (આ અધિકાર), પૂર્વશ્રત (પૂર્વસનું જ્ઞાન) એ દશ પ્રકારમાં એકથી વધારે તે સમાસ. આ રીતે શ્રુતજ્ઞાનના વીશ થાય. શ્રુતજ્ઞાનના ચૌદ અથવા વીશ પ્રકાર છે. આ બન્ને પરોક્ષ જ્ઞાન છે. હવે આપણે પ્રત્યક્ષ અવધિજ્ઞાનના છ પ્રકાર વિચારીએ. અવધિજ્ઞાનના અસંખ્ય ભેદ છે. કાંઈક સમજવા સારું એના છ ભેદ પાડવામાં આવ્યા છે. તે પ્રત્યક્ષજ્ઞાન છે. જે ક્ષેત્રમાં અવધિજ્ઞાન થયું હોય તેના સિવાય બીજા કોઈ ક્ષેત્રમાં પ્રાણું જાય ત્યાં પણ એટલું જ ક્ષેત્ર દેખે તે સાથે જતું અનુગામી અવધિજ્ઞાન છે. અહીંથી અમેરિકા જાય ત્યાં તે ક્ષેત્રને પણ તેટલે ભાગ જુએ. અને દીપકની પેઠે બીજે જ્ઞાન સાથે ન જાય, પણ ત્યાં રહ્યો રહ્યો તે જ્ઞાનધારી અમુક માઈલે સુધી દેખે તે અનનુગામી અવધિજ્ઞાન. તે બીજા પ્રકારનું જ્ઞાન પરદેશમાં સાથે આવતું નથી. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી થયેલ અવધિજ્ઞાન વધારે વધારે થતું જાય તે વર્ધમાન અવધિજ્ઞાન નામને ત્રીજે પ્રકાર છે. જે સંકલેશે કરીને મલિન થાય, આવ્યા પછી દહાડે દિવસે ઘટતું જાય તે હીયમાન નામનું ચિવું અવધિજ્ઞાન ભવક્ષયે દેવતા-નારકને થયેલું અવધિજ્ઞાન જાય અને ગુણક્ષયે ચેલાને થયેલ અવધિજ્ઞાન-ઈન્દ્રાણી રીસાયેલ તેને મનાવતા ઇંદ્રને જોઈ હસવું આવ્યું તે-જાય તે પાપમું પ્રતિપાતી અવધિજ્ઞાન અને કેવળજ્ઞાન થયા પહેલાં જે અવધિજ્ઞાન થાય તેને પરમાવધિજ્ઞાન કહેવાય, જે અપ્રતિપાતી છે. આ જ પ્રકાર અવધિજ્ઞાનના થયા. મન:પર્યવજ્ઞાનના બે ભેદઃ બાજુમતિ અને વિપુલમતિ. સ્થળપણે સામાન્ય ઘટને ચિંતવતું શાન રાજુમતિ મન:પર્યવજ્ઞાન અને વિસ્તીર્ણપણે પર્યાય સહિત જાણવું તે વિપુલમતિ મન:પર્યવજ્ઞાન. આ મન:પર્યવજ્ઞાનથી જીવ બીજાનાં મનમાં થતાં પર્યાયે જાણે, સમજે, વિચારે છે. ' અને કેવળજ્ઞાનને તે એક જ ભેદ છે. તે તે સર્વકાળની સર્વ 3ય વસ્તુ, તેના ભાવે અને તેની થતી સ્થિતિ જાણે અને દેખે છે. તેમાં કેવળજ્ઞાનમાં એકસરખી સ્થિતિ હોઈ ભેદ હોવાનું કારણ નથી. (૨૨૫) પાંચ જ્ઞાનના ઉત્તરભેદ– एषामुत्तरभेदविषयादिभिर्भवति विस्तराधिगमः । एकादीन्येकस्मिन् भाज्यानि त्वाचतुर्य इति ॥२२६॥ અર્થ—એ(જ્ઞાન)ના, ઉત્તરભેદો વિષય વગેરેના ભેદથી થાય છે, તેથી આ જ્ઞાનેને વિશે વિશેષ જાણકારી થાય છે. એકથી માંડી ચાર સુધીના જ્ઞાને એક જીવમાં એકસાથે થઈ શકે છે. એ પ્રમાણે હકીક્ત જાણવી. (૨૨૬). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy