SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૦ મું : સમ્યક્ દન, જ્ઞાન, ચારિત્ર ઉમાસ્વાતિ મહારાજ તત્ત્વાર્થાધિગમસૂત્ર શરૂ કરતાં પ્રથમ સૂત્ર કહે છે કે ‘સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ ચારિત્ર એ ત્રણે મળીને મેાક્ષનું સાધન થાય છે.' આવી અગત્યની બાબતને આ ગ્રંથના લગભગ મધ્યમાં મૂકીને ગ્રંથકર્તાએ ભારે ચતુરાઈ બતાવી છે. આ સૂત્રમાં માત્ર મેક્ષનાં સાધનાને નામનિર્દેશ કર્યાં છે, અહીં તા તે સાધનેાની વાત સંક્ષેપમાં કહેવામાં આવી છે. બંધના કારણેાના અભાવ થવાથી જે આત્મિક વિકાસ પરિપૂર્ણ થાય છે તે મેાક્ષ છે. જ્ઞાન અને વીતરાગભાવની પરાકાષ્ઠા એ મેાક્ષ છે. આવા માક્ષનાં સાધનાને રજૂ કરનારી વાતની અગત્ય ઠસાવવાની જરૂર રહેતી નથી. એટલા માટે મેક્ષ અપાવી દેનાર કે તેની નજીક લઈ આવનાર સાધનાના બની શકે તેટલી સૂક્ષ્મતાથી અભ્યાસ કરી આપણા વિચાર સ્થિર કરવા જોઇએ, કારણ કે જેને મેક્ષ પ્રાપ્ત થાય તેને બધું મળ્યું છે. આપણા પ્રયાસ તે લેવાના છે. મોક્ષ એ ખરીદી શકાય તેવી વસ્તુ નથી, ત્યાં જવાનાં કાંઠે ગાડાં બંધાતાં નથી અને ઘોડાગાડી કે મેાટર અથવા એરપ્લેનથી તેને પહેાંચી શકાતું નથી. તેથી આ વિચારક પુરુષાએ તેને પહોંચવાનાં જે સાધના બતાવેલ છે તેને રીતસર અભ્યાસ કરી તેના સાર કાઢવેા અને આપણી અનુકૂળતા પ્રમાણે તેને સ્વીકાર અને આદર કરવા. આ સાધના બરાબર મળશે ત્યારે આપણે ઇપ્સિત સ્થાનકે પહેાંચી જઇશું. તેથી આ ત્રણે ચીજોને ખરાખર સમજવા આપણે બનતા પ્રયત્ન કરીએ. એટલે આ પ્રકરણમાં આપણે ઇચ્છિત જગાએ પહેાંચવાનાં સાધનાના વિગતવાર પણ ટૂંકામાં અભ્યાસ કરીશું અને પછી આપણે તે સાધનાના અનતે ઉપયોગ કરીશું. પ્રથમ તે આપણે એ ત્રણે ચીજો શું છે? કેવી છે? તે સમજવા પ્રયત્ન કરીએ. આ એક સૂત્ર પર પાંચશે પાનાં એક વિદ્વાન પડિતે લખેલાં તૈયાર છે. એટલે બધા અગત્યના આ વિષય છે. એને સમજવા યત્ન કરવા તે આપણને મળતા એક સાથે લહાવા છે. એ દૃષ્ટિએ આપ નીચેના અનુવાદ અને તે પરનું વિવેચન વાંચશે. એ ઉપરથી એની ઉપચાગિતાના સંબંધમાં આપને સ્પષ્ટ ખ્યાલ આવશે. દન એટલે વીતરાગ ભગવાને વીતરાગતાને પામવા જણાવેલ તત્ત્વામાં શ્રદ્ધા, જીવ આદિ તત્ત્વની વાત આપણે કરી ગયા છીએ. જ્ઞાન તે સમ્યક્ જ્ઞાન. જ્ઞાન સાકાર અર્થાત્ આવી શ્રદ્ધા સાથેનું જે કઈ નિશ્ચયાત્મક એપ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy