SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ તેવું પપપ (૩૦) યાવત્ જીવિત અભિમાન કરાવનાર, સમકિત ન આવવા દેનાર માન જે કર્મને કારણે થાય તે અનંતાનુબંધી માન પાપકર્મ. (૩૧) દેશવિરતિનું વિરોધી પાષાણુના થાંભલા જેવું માન જે કર્મને કારણે થાય તે અપ્રત્યાખ્યાનાવરણ માન પાપકર્મ. (૩૨) સર્વવિરતિને ન આવવા દેનાર ચાર માસ રહેનાર માન જે કર્મને કારણે થાય તે પ્રત્યાખ્યાનાવરણીય માન પાપકર્મ. (૩૩) પંદર દિવસ રહેનાર યથાખ્યાત ચારિત્રને અટકાવનાર માન જે કર્મને કારણે થાય તે સંજવલન માન પાપકર્મ. (૩૪) યાવત્ જીવિત રહેનાર વાંસના મૂળ જેવી માયા (કપટ) જે કર્મને કારણે થાય તે અનંતાનુબંધી માયા પાપકર્મ કહેવાય. (૩૫) દેશવિરતિ ગુણને ઘાત કરનાર અપ્રત્યાખ્યાનાવરણ માટે જે કર્મને કારણે થાય તે અપ્રત્યાખ્યાનાવરણ માયા પાપકર્મ. (૩૬) સર્વવિરતિ ગુણ ન આવવા દેનાર માયા જે કર્મને કારણે થાય તે પ્રત્યાખ્યાનાવરણીય માયા પાપકર્મ કહેવાય. (૩૭) યથાખ્યાત ચારિત્ર ન આવવા દેનાર પંદર દિવસ રહેતી માયા જે કર્મને કારણે થાય તે સંજવલન માયા પાપકર્મ. (૩૮) યાવજીવિત રહેનાર પાકો કરમજી રંગને લેભ જે કર્મને કારણે ઉદયમાં આવે તે અનંતાનુબંધી લેભ પાપકર્મ (૩૯) દેશવિરતિપણને ઘાત કરનાર લેભ જે કર્મને કારણે જાગે તે અપ્રત્યાખ્યાનવરણ લેભ પાપકર્મ કહેવાય. | (૪૦) સર્વવિરતિપણાને ઘાત કરનાર લેભ જે કર્મને કારણે અનુભવાય તે પ્રત્યાખ્યાનાવરણીય લેભ પાપકર્મ કહેવાય. (૪૧) પંદર દિવસ રહેનાર, યથાખ્યાત ચારિત્રને અટકાવનાર લેભ જે કર્મને કારણે અનુભવાય તે સંજ્વલન લેભ પાપકર્મ કહેવાય. (૪૩) જેના ઉદયે રતિસુખ-પૌગલિક મગ્નતા- થાય તે રતિનેહનીય પાપકર્મ (૪૪) જેના ઉદયથી કાંઈ ગમે નહિ, ખેદ થાય, તે અરતિ મેહનીય પાપકર્મ. (૪૫) જેના ઉદયથી દિલગીરી થાય, તે શેકમેહનીય પાપકર્મ. (૪) જેના ઉદયથી બીક લાગ્યા કરે તે ભયમહનીય પાપકર્મ. (૪૭) જેના ઉદયથી ધૃણા થાય, દુગંછા થાય તે દુર્ગાછા મેહનીય પાપકર્મ. (૪૮) જેના ઉદયથી સ્ત્રી ભેગવવાની ઈચ્છા થાય તે પુરુષવેદ મોહનીય પાપકર્મ. (૪) જેના ઉદયથી પુરુષને ભેગવવાની ઈચ્છા થાય તે સ્ત્રીવેદ નામનું મહનીય પાપકર્મ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy