SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્ય ત્યારે જ મુક્તિ થાય છે અને મોક્ષ અને સંસારને સરખા ગણવા પડે છે. માટે ઈચછાને રાગના વિભાગ તરીકે રાગને પર્યાયવાચી શબ્દ ગણવામાં આવેલ છે. બીજા ગ્રંથ વાંચતાં ઈચ્છાના ધની વાત આવે, ત્યાં રાગને ક્ષય કરવાની વાત છે એમ સમજવું. ૨. મૂછ–બાહ્ય વસ્તુ માટે એટલું લાગે કે પ્રાણી તેની સાથે એક થઈ જાય, તે જાણે છે કે વસ્તુ પર છે, પરની છે, સાથે આવવાની નથી, છતાં તેની ખાતર બેભાન થઈ જાય તે મૂછ. તેની સાથે વિગ થાય ત્યારે રડવા બેસે તે મૂછ. મૂછ પ્રાણુ અથવા પદાર્થની હોઈ શકે છે. એને માટે જ્યારે કે જ્યાં વર્ણન આવે તે શગને પર્યાયવાચી શબ્દ છે એમ સમજવું. મને એ પર્યાયવાચી શબ્દ છે અને આ મતિ રોડથં મોહ નવાગ્રતા એટલે “હું” અને “મારું એ મેહ આંધી લાવનાર છે અને આખું જગત તેનાથી ફસાય છે. તેને ચેતવણીરૂપે આ મૂછ-મેહને મહિમા જ્યાં બતાવવામાં આવ્યો હોય, ત્યાં તેને રાગના બીજા શબ્દ તરીકે જાણ. બાહ્ય વસ્તુ સાથે પ્રાણું એટલે તદાકાર થઈ જાય છે કે તેને ચેતવણી આપવા યોગ્ય છે. ' ૩. કામ–એટલે પ્રીતિ, અભિલાષ. કામ અર્થ આંબાનું ઝાડ એમ પણ કેશકાર બતાવે છે, પણ અહીં પ્રેમ-પ્રીતિની વાત છે, કારણ, આપણે તેને રાગના પર્યાય તરીકે બતાવે છે. ઈષ્ટ વસ્તુની પ્રાર્થના એ પણ કામ છે. જ્યાં જ્યાં આ શબ્દ વપરાયે હોય અથવા શાસ્ત્રમાં એના વિશે ચર્ચા-વિચારણું ચાલી હોય, ત્યાં તે રાગના પર્યાય તરીકે વપરાયેલ છે, એમ સમજી લેવું. - ૪. સ્નેહ–જે આપણને વહાલા હોય, તેના તરફ આકર્ષણ થાય તે સ્નેહ દુનિયાદારી સ્નેહ તે બહુ લાંબે વખત ટકતું નથી. ઘડપણ આવે તે ઊતરી જાય છે, અને મરણ વખતે ઓળખાણ રહેતી નથી. આ સ્નેહ કેટલે નકામે છે, તેનું વર્ણન યથાસ્થાને કરવામાં આવ્યું છે. અહીં તે ભાવ એટલે છે કે એ શબ્દ જ્યાં વપરાયે હોય ત્યાં તે રાગને પર્યાયવાચી શબ્દ છે એમ સમજવું. ૫. ગાર્થ_એક વસ્તુ ઉપરના પ્રેમથી કે મનુષ્યના આકર્ષણથી ખેંચાઈને તેની ખાતર ઊંડા ઉતરાઈ જવાય, તે ગાથે. એને “ભિયાપણું” એમ અર્થ કેશકાર કરે છે, પણ અહીં તેને અમર્યાદ આકાંક્ષા અથવા વસ્તુ કે માણસમાં મર્યાદા મૂકીને ઊંડા ઊતરવું તેમ અર્થ સમજ. જ્યારે હદ-મર્યાદા ઓળંગી પ્રાણી એની ખાતર ન કરવા ગ્ય કરી બેસે છે, ત્યારે તેને ગાળું કહેવાય છે. એ રાગને પર્યાયવાચી શબ્દ છે. ૬. મમત્વ–આ પણ મહિને જ પર્યાયવાચી શબ્દ છે. “અ” અને “મમ એના મંત્રોએ જગતને આંધળું કરેલું છે. એટલે જ્યાં જ્યાં મમત્વની વાત આવે, અથવા જ્યાં મારાપણું જણાય ત્યાં મમતા છે. તે મમત્વ શબ્દ રાગને પર્યાયવાચી શબ્દ છે. અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy