SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૪ પ્રશમરતિ વિવેચન સહિત જ્ઞાનચંદ્ર નામે પ્રસિદ્ધ થાય. એમાં વળી સ્થિતિ, અવગાહના અને જ્ઞાન તથા દર્શનના ઓછાવત્તા પર્યાયભેદે ભેદ પડે. એમ પ્રત્યેક જીવના તથા સમસ્ત પર્યાયલેકે થાય તે ખરાખર સમજાય તેવી વાત છે. (૧૯૩) જીવના અનંત પ્રકાશ જીવનું લક્ષણ- सामान्यं खलु लक्षणमुपयोगो भवति सर्वजीवानाम् । साकारोsनाकारच सोऽष्टभेदचतुर्धा च ॥ १९४ ॥ અથ—સર્વ જીવાનું સામાન્ય લક્ષણ ઉપયાગ છે. એ ઉપયાગ એ પ્રકારના છેસાકાર અને અનાકાર (આકાર વગરના). સાકાર ઉપયેગ આઠ પ્રકારના છે અને નિરાકાર ઉપયોગ ચાર પ્રકારના છે. (૧૯૪) વિવેચન—આ જીવતત્ત્વની વાત ચાલે છે. તેા જીવનું લક્ષણ શું ? એ સમજ્યા વગર જીવતત્ત્વના ખરેખરો ખ્યાલ ન આવે. એ જીવને ખરાખર આળખવા માટે તેની વ્યાખ્યા ખરાખર કરવી જોઈએ. એ માટે જીવનું સર્વસામાન્ય લક્ષણ શું છે તે જાણવું જોઈએ. જ્યાં સુધી તે જાણવામાં ન આવે ત્યાં સુધી જીવતત્ત્વનું જ્ઞાન કાચું, અધૂરું રહે. માટે તેને આ લૈકમાં રજૂ કર્યુ છે. ઉપયાગ--આ લક્ષણ સિદ્ધ અને સંસારી સર્વ જીવાનું છે. ઉપયાગ એટલે આપ. ઉપયાગ એ પ્રકારના છે: નિરાકાર ઉપયેગ અને સાકાર ઉપયેાગ. નિરાકાર ઉપયેાગના ચાર પ્રકાર છે : ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન. આ નિરાકાર ઉપયેગથી વસ્તુની જાતિનું દર્શન થાય, એટલે જીવ છે કે જનાવર છે એવું દર્શન એ નિરાકાર ઉપયોગ. અને અમુક વ્યક્તિ દેવચંદ છે એવું જ્ઞાન થાય તે સાકાર ઉપયાગ. તેના આઠ પ્રકાર છે : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃવજ્ઞાન અને કેવળજ્ઞાન તથા મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભગજ્ઞાન. દર્શને પયાગમાં સામાન્ય જ્ઞાન થાય છે, પણ વિશેષ વિગતે તે સાકાર ઉપયાગમાં જ સાંપડે છે. આવી રીતે ઉપયાગ ખાર પ્રકારના છે. ઘણી વખત સવાલ થાય છે કે મતિઅજ્ઞાનને ઉપયોગ કેમ કહ્યો હશે ? તેને જવાબ એ છે કે સમ્યગ્ મતિજ્ઞાન ન થાય, છતાં બુદ્ધિ ચાલ્યા તે કરે, તે વખતે મતિ અજ્ઞાન દ્વારા થતા જ્ઞાનને સાકારાપયાગ કહેવામાં આવે છે. ઉપયોગ લક્ષણ સર્વ જીવાને લાગે છે, એ બરાબર સમજવું. મેાક્ષમાં રહેલ ચેતનાને પણ લાગે છે, અષ્ટભેદ ચતુર્કા—એટલે આ સાકાર ઉપયેગ આઠ પ્રકારના છે અને નિરાકાર ઉપયેાગ ચાર પ્રકારના છે, બન્ને પ્રકારના ઉપયેગના બાર પ્રકાર થાય છે. આ પ્રકારની વિગત આપણે ઉપર જોઇ ગયા. એ આવતી ગાથામાં આવશે. (૧૯૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy