SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશમતિ વિવેચન સહિત વિવેચન—ત્યારે સવાલ એ થાય છે કે ફુરસદના વખત પસાર કેવી રીતે કરવા. આ ગાથામાં તેના રસ્તા બતાવવામાં આવ્યા છે. તે માગે વખત પસાર કરવા, પશુ નકામાં ટાળટપ્પાં કરવામાં કે કોઈની વાત કરવામાં સમય ન કાઢવે. આપણે ઘણાં અગત્યનાં કામે કરવાનાં છે. એવી નકામી વાતાના ઢંઢેરા કરવામાં આવે ત્યારે વિચારવું કે જીવન એને માટે ઘણું ટૂંકું છે. મળતી ફુરસદના ઉપયેગ કરવા. ૪૮ શાસ્ત્રઅધ્યયન--પ્રથમ તે જેટલા બને તેટલે શાસ્ત્રના અભ્યાસ કરવા. શાસ્ત્રાભ્યાસ એટલે લાંબે છે કે એમાં તે આખી જિંŁગી વહી જાય. તમે અભ્યાસ કરવા લાગશે। ત્યારે તમને જણાશે કે શાસ્ત્રરૂપી અણુવ માટે છે, વિશાળ છે. આ ભણવામાં અને તેનું પુનરાવન કરવામાં પુષ્કળ સમય જાય. એટલે હું નવા છું, મારે કામ નથી એવું બહાનું કાઢવું નહિ. જે સમય મળે તેમાં અભ્યાસ કરી. નવાં નવાં પુસ્તક વાંચવા, તેનું મનન કરવું, ખીજાને પૂછવું, ભણેલ હકીકતનું પુનરાવર્તન કરવું અને એમાં જ સમય ગાળવે. પારકી સારી કે ખેાટી ખણુખાદ ન જ કરવી. અધ્યાપન-બીજાને ભણાવવું. આપણુને સમય હોય તે બીજાઓને પાઠ આપવા. તેઓને જ્ઞાન લેવામાં ઘણી રીતે સહાય કરી શકાય. તેમને વસ્તુ સમજાવવામાં અને વસ્તુનું હાર્દ સમજાવવામાં જે વખત જાય તે ઘણા ઉપયાગી છે. પરોપકાર દ્વારા તેમાં સારી રીતે સમય પસાર થાય છે. એટલે સમય પસાર કરવાની કદાચ તમને મુશ્કેલી હાય તા આ રીતે તે મુશ્કેલી દૂર થઈ જાય તેમ છે. આત્મચિતન—એમ કરતાં પણ કોઈને વખત મળતા હોય તે આત્મચિંતન કરવું. પેાતે કચાંથી આવ્યા છે, કયાં જશે, આત્માને પુગળ સાથે શે। સંબંધ છે, તે કેટલા વખત ટકવાના છે, સંબધ સ્થાયી છે કે અસ્થાયી છે, તેને વિચાર કરવા અને આત્માને અનેક પ્રકારે આળખવે. ધમ કથન—એમ કરતાં પણ વખત મળે તે તે વખત બીજાને ધર્મદેશના દેવામાં, ધર્મ સમજાવવામાં પસાર કરવેશ. ધર્મદેશના સચેત દેવી, તે માટેની તૈયારી કરવી અને જાણે માથે વેઠ આવી પડેલ છે તેમ વ્યાખ્યાન ન કરવું, પશુ ચાલુ જમાનાને અનુકૂળ અને દાખલા દલીલેથી ભરપૂર વ્યાખ્યાન કરવું. વખત મળે તે તેને માટે બધા લેાકાએ હમેશા આ રીતે યત્ન કરવેા, પણ પારકાની પ'ચાતમાં પડી તેના ગુણદોષ ખેલવામાં અને તેની વાત કરવામાં સમય પસાર ન કરવા. આપણી સાચી દાનત હેાય તે ઘણાં અગત્યનાં કામ છે. એ કામે અથવા એમાંથી જેટલાં જરૂરી લાગે કે પાતાથી ખની શકે તેમ હોય તેવાં, ઉપર જણાવેલાં ચાર કામ પૈકી એક કે વધારે કામેમાં સમય પસાર કરવા, પશુ પારકા ગુણુદોષ ખેલવામાં અને એની બડાશે મારવામાં સમય ન ગાળવા. આ વાત ચીવટની છે, મહુા ઉપયાગી છે, જરૂરી છે, માટે સર્વે કાળને માટે દરેક પ્રાણીએ એને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy