SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ કથા ૪૯૩ આક્ષેપણ–બે જાતની સુકથામાં આક્ષેપણું એ એને પ્રથમ પ્રકાર છે. આક્ષેપ શબ્દના ઘણુ અર્થ થાય છે. તારવું, લલચાવવું, પિતાના તરફ ખેંચવું. અહીં આ અર્થમાં એ શબ્દ વપરાય છે. એટલે જે કથા પ્રાણીને ધર્મ તરફ આકર્ષે, ખેંચ, ધર્મસન્મુખ કરે તે સારી કથા કહેવાય છે. આ કથા કરવાગ્યા છે. કથા એવી કહેવી કે જે સાંભળીને પ્રાણી ધર્મસન્મુખ થાય, પિતાનું નૈતિક તવ ધર્મસન્મુખ કરે. કોઈપણ રીતે પ્રાણીને ધર્મસન્મુખ કરવાને આ માર્ગ છે. જંબૂસ્વામીની કથા કે રહણીઆ ચારની કથા જેવી કથાઓ પ્રાણીને ધર્મમાં આવવા આકર્ષણ કરે છે. એ કથા સાંભળીને પ્રાણી ધર્મસન્મુખ થાય છે. આ આક્ષેપણુ નામની પ્રથમ સુકથા જાણવી. વિક્ષેપણી–આ સુથાને બીજે પ્રકાર છે. એ વિક્ષેપણ કથા સાંભળીને પ્રાણી બીજા અધર્મમાં પડતે બચી જાય છે. એ કથા એવી હોય કે પ્રાણ અધર્મને ઓળખી લે, જાણે સમજે અને અધર્મને અધર્મ તરીકે વિચારે. વિક્ષેપ એટલે ત્યાગ. અધર્મને અધર્મ તરીકે જણાવે; કોઈ ધર્મમાં પ્રાણહિંસા કહી હોય, કેઈમાં ભેગ આપવાનું કહ્યું હોય, તેવા ધર્માભાસને અધર્મ તરીકે જણાવી ત્યાગ કરાવે તેવી કથા તે આ બીજા પ્રકારની વિક્ષેપણ કથા સમજવી. આક્ષેપણું અને વિક્ષેપણું બને મળીને સમાહાર દ્રુદ્ધ છે એમ ટીકાકાર કહે છે. આ કથાઓ કેવી છે તે હવે આપણે જોઈએ. વિમાગ–મિથ્યામાર્ગ, ખેટે રસ્તે. પ્રાણું તે ભેળે છે. એ તે ગમે તેવી વાતને સ્વીકારી લે, પણ જે મિથ્યા માર્ગોએ, ખરાબ રસ્તે લઈ જાય તેવી કથા હોય તે ન કરવી. આ વિમાર્ગે જતાં અટકાવે તેવી સુકથા કરવી જોઈએ. બાધન–દેશીલાપણું બતાવે તેવી. વિમાર્ગમાં, મિથ્યામાર્ગમાં અમુક અમુક બાધાપીડા છે એ બતાવનારી. પ્રાણુને મિથ્યામાર્ગમાં પડતે અટકાવી રાખે. વિમાર્ગમાં કેટલા દે છે તે વિક્ષેપણ કથા બતાવે છે. " સમથ–શકત, શક્તિશાળી. ખોટા માર્ગે જવામાં કેટલી પીડા છે, કેટલી આફતે છે તે બતાવવાને સમર્થ. વિન્યાસ–રચના. એ આખી વિક્ષેપણ કથા એવી રીતે રચાયેલી હોવી જોઈએ કે પ્રાણીને વિમાગે જતે અટકાવી શકે. અને હજુપણ એ કથા કેવા પ્રકારની હોવી જોઈએ તે બતાવે છે. શ્રોતૃ–સાંભળનાર. સાંભળે તે શ્રોતા. - શ્રોત્રમનપ્રસાદજનની–સાંભળનારના મનને અને કાનને પ્રસાદ એટલે હર્ષ ઉત્પન્ન કરનારી કથા. સાંભળનારના કાનને અને મનને હરખમાં લાવી દે તેવી તે કથા હોવી જોઈએ. સાંભળનાર સાંભળીને રાજી થઈ જાય અને તેમનાં મનને પણ હોંશ આવે તે સુકથા કહેવાય છે. Jain Education international For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy