SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ યતિધર્મ ૪૮૫ ઉદ્ધતહઠીલા, આકરા. લડવામાં જેવા તેવા નહિ પણ હઠાવે તેવા અને જકકી થઈ લડે તેવા. આવા પ્રબળ શત્રુ જેને માથે ગાજતા હોય તેની પાસે મારી હઠાવવા માટે ખૂબ બહાદૂર અને વફાદર, લડે તેવા દ્ધાઓ પ્રતિશત્રુ તરીકે કામ કરે તેવા જોઈએ. એમાં કાચાપોચાનાં ગજા નહિ. પ્રબલ–અને એ દ્વાએ બળવાન છે, એ પિતાના કામમાં કુશળ છે અને બહાદુરીથી સામે થાય તેવા છે. આવા બળવાન દ્ધાઓ સામે તે ખૂબ મજબૂત દ્ધાઓ હોય તે જ લડાઈમાં ફતેહ મળે એ લક્ષમાં રહે. - પરીષહ-સામા પક્ષે ઘણું મોટું લશ્કર છે. તેમાં પ્રથમ તે બાવીશ પરીષહ છે. આપણે બાવીશ પરીષહની ઓળખાણ આગલા પ્રકરણમાં કરી ગયા છીએ. અનુકૂળ અને પ્રતિકૂળ બન્ને પ્રકારના પરીષહેને આપણે સામને કરવાને છે. તેની સામે આપણે બરાબર તૈયારી કરવી જોઈએ. અને પરીષહને જીતવા માટે આપણે સન્નદ્ધ થવું જોઈએ. - ગૌરવ–એ બાવીશ પરીષહ સાથે ત્રાદ્ધિગારવ, રસગારવ અને શાતાગારવ પણ સામેલ હોઈ તેમને પ્રતિકાર કરવાને છે. કષાય-સામી બાજુએ પરીષહે અને ગારો જ માત્ર નથી પણ ક્રોધ, માન, માયા અને લેભ એ કષાયે પણ સામી બાજુએ છે. એ કષાયેને આપણે ત્રીજા પ્રકરણમાં ઓળખ્યા છે. દંડ-સામી બાજુએ ઉપર ગણાવ્યા તે ઉપરાંત મન, વચન અને કાયાના છે. એ મનદંડ, વચનદંડ અને કાયદંડને હઠાવવા માટે બહુ મજબૂત દ્ધાઓની જરૂર પડશે. માટે સાવધ રહી બરાબર તૈયારી કરી રાખવી. એમાં કાંઈ મુકેલ કે અશકય વાત નથી, પણ શત્રુઓ મેટા છે, સહાયવાળા છે અને અનેક સાધનોથી સંપન્ન છે. તેથી તેમને સામને કરવા પૂરતી ગોઠવણ રાખવી. ઈદ્રિય–વળી આપણે પ્રતિસ્પર્ધી પાંચ ઇન્દ્રિયના સમૂહરૂપ દુશ્મન છે. ઇદ્રિ પંપાળી ઘણી, પણ તે તે પાકી દુશ્મન થઈ બેઠી. આ પરીષહ, ગૌરવ, કષાય, દંડ અને ઇંદ્રિયે જેવા મજબૂત દુશમને સામે લડવાનું છે. તેથી મમકારને અને અહંકારને ત્યાગ કરી એ સર્વ શત્રુ પર વિજય મેળવે. યૂહ–આ શત્રુઓ પણ અનેક આકારના બૂડ કરનારા છે, મહાતરકટી છે, અનેકને પિતાના પક્ષે લઈ આવનાર છે અને આપણને ખબર ન પડે તેવી વ્યુહરચના કરનારા છે, માટે તેમના પર વિજય મેળવવા સાવધાનીથી કામ લેવું. અથવા ચૂડને અર્થ “તેઓને સમુદાય પણ થઈ શકે. બને રીતે સાવધાનીથી કામ લેવા જેવું છે. શત્રુ બહાદુર હેય ત્યારે આકરું કામ કરવું પડે છે તે લક્ષમાં રાખવું. પણ ચીવટથી લડવામાં આવે, સત્ય આપણી બાજુએ હોય અને આપણે વિજય મેળવવા નિરધાર કર્યો હોય તે અંતે આપણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy