SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૦ પ્રશમતિ વિવેચન સહિત હાય. તેથી અત્ર તેની શહાદત આપેલ છે. “અથવા આગમના જાણુકાર તીથંકર, ગણુધર વગેરે સવ એકમતે શું કહે છે તે આપણે નીચે જોઈશું. મૂર્છા—એમાં ઊંડું' ઊતરવું, રાચવું તે. તેની માયા મમતા કરવી અને તેની ખાતર પોતાના જીવ માળવા, વલેપાત કરવા તે. કોશકાર મૂર્છા એટલે બેભાન થવું એવા અથ કરે છે. બેભાન થવાના અર્થાંમાં પણ એ શબ્દ વપરાય છે. મેાહ પામવાના અથ'માં પણ તે વપરાય છે. ધન વગેરેમાં પ્રાણી એટલેા પડી જાય છે કે તે માત્ર ધનનું જ ધ્યાન ધર્યા કરે છે. તેને ખાવું પીવું પણ સૂઝતું નથી, તેને કરવું કે કસરત કરવી એ પણ જરૂરનું નથી લાગતું, પણ તે આખો વખત ધન કે વસ્તુની વાંછા કર્યાં કરે છે અને એ જ તેના ધ્યાનના વિષય બને છે. મૂર્છા એ એક જાતની બેભાન અવસ્થા છે, માણસ મૂર્છામાં પડે ત્યારે તે શેનું ધ્યાન ધરતા હશે તે આપણને માલૂમ પડતું નથી, પણ આખા વખત પૈસા કે શેઠાઈનું ધ્યાન ધરે તે મૂર્છાન્વિત કહેવાય છે. પરિગ્રહ-૨ —આ પ્રકારની (વણુ વેલા પ્રકારની) તીવ્ર ઇચ્છા રાખવી એ જ ખરેખ પરિશ્ર ુ છે. જેનું આખા વખત ધ્યાન કરીએ તે મૂર્છા અને મૂર્છા એ જ પરિગ્રહ છે. અમુક વસ્તુ કે જનાવરના પાતે સ્વામીહક્ક સ્થાપન કરવા અને તેની મૂર્છા વારવાર કરવી તે પરિગ્રહ છે. અથવા પરિગ્રહ અને મૂર્છા એ એકાવાચી શબ્દો છે, એકબીજા સાથે ભળી જાય તેવા શબ્દો છે. એટલે પરિગ્રહને મૂર્છા કહે કે મૂર્છાને પગ્રિડુ કહે તેમાં જરાયે ફેર નથી. એટલે એ અર્થાંમાં પરિગ્રહુને સમજવામાં કાંઈ વાંધા નથી. શાસ્ત્રકાર અધ્યાત્મજ્ઞાનીઓના મત સાથે આ ગ્રંથકાર પણ મળતા જ છે વૈરાગ્યઇસુ—વીતરાગતાની જેને ઇચ્છા હેાય તેવા માણસા, જેને આ સંસારને ભય લાગ્યા હાય અને જે વીતરાગતા ઇચ્છતા હોય અને જન્મમરણુથી મૂકાવા ઇચ્છતા હાય તે સર્વ પ્રાણીએ. આચિન્ય-નિપરિગ્રહતા. એને કોઇ પ્રકારની મૂર્છા ન જોઇએ, માલિકીત્તુ એ સ્થાપે નહિં, કોઈને માલિક થવા ઇચ્છે નહિ એ આર્કિચન્ય નામના અથવા નિષ્પરિગ્રહતા નામના દશમા યતિધમ, નિષ્પચિદ્ધતામાં કોઇના સ્વામી થવાનું મન ન રહે તે મુખ્યત્વે છે. ધમ”—આ તેના ચરમ ધર્મ છે, નિષ્પરિગ્રહતા એના ઉત્કૃષ્ટ ધમ છે. આ મારુ છે અને આ મારું નથી એવી તારામારાપણાની બુદ્ધિ એ પરિગ્રહ છે. એના ત્યાગ કરવા તે પરમ ધર્મ છે, કારણ કે પરિગ્રહુ તે ખરેખર મૂર્છા છે, તે માણસને બેભાન, હાંફળાફાંફળા બનાવી મૂકે છે, અને પછી કન્યાક`વ્યનું તેને ભાન રહેતું નથી. આ આર્કિચન્ય સંબંધમાં બીજા ગ્રંથકર્તાઓ શું કહે છે તે હવે આપણે વિચારીએ : ‘સમસ્ત પરિગ્રહત્યાગરૂપ મૂર્છારહિત થવું તે અકિંચન્યધર્મ'.' આ પ્રમાણે નવતત્ત્વની વિસ્તાર નોટમાં લખવામાં આવેલ છે. શ્રીમદ્ યશેાવિજય ઉપાધ્યાય યુતિધર્મ બત્રીશીમાં જણાવે છે કે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy