SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮. પ્રશમરતિ વિવેચન સહિત ત્યક્તાત્મા–જેણે પિતાના આત્માને ત્યાગ કર્યો છે એવો સાધુ પુરુષ એટલે, જેનામાં પિતાની વાત નથી, જે કઈ રીતે સ્વાથી નથી, તે સાધુ પુરુષ. ત્યાગધર્મને જે પિતાની ફરજ ગણે છે અને જેમને પિતાને માટે જરાપણ વિચાર નથી એવા, ત્યાગધર્મને સર્વ પ્રકારે પાળનાર સાધુઓપતિઓ. ત્યક્તઅહંકારમમકાર–જેમણે અહંકાર એટલે હું કાંઈક છું એવી વૃત્તિ અને કઈ ચીજ મારી છે એ વિચાર છેડેલ છે તેવા ત્યાગભાવની મૂર્તિ સમા સાધુઓ. આ અહંકાર જેને આપણે આઠ પ્રકારે જોઈ ગયા છીએ તે જેને ન હોય, જેને પિતાપણું કઈ રીતે દેખાડવાનું ન હોય અને જેને કોઈ વસ્તુ પિતાની ન હોય તેવા સાધુ ત્યાગભાવને પરિણામે એ તે રહેવાના સ્થાનને કે કોઈ ફરનીચરને પિતાનું માનતા જ નથી. આવી રીતે જેણે અહંકાર કે મમકાર તજી દીધા છે તેવા યતિઓ આ ધર્મ બરાબર પાળે છે અને શ્રાવકે બની શકે તેટલે તે ધર્મ પાળે છે અને બીજા પ્રાણીઓ બને તેટલે ધર્મ પાળે તે ઈચ્છવા ગ્ય છે. આપણે હવે અન્ય લેખકે આ ત્યાગધર્મને અંગે શું કહે છે તે પણ સાથે સમજી લઈએ. નવતત્વના ટબાકાર તે માત્ર લખે છે કે “નિર્લોભતા તે ચોથે મુક્તિધર્મ.” એટલે, લેભને ત્યાગ તે મુક્તિધર્મ. આપણે ક્રોધ, માન અને માયાને અંગે તે પહેલે, બીજે * અને ત્રીજે યતિધર્મ જોઈ ગયા છીએ. આ ચેથા લેભકષાયને અંગે આ ત્યાગધર્મ-મુક્તિ ધર્મ છે એમ આ ઉપરથી જણાય છે. ઉપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી પણ આ લેભને ટૂંકામાં પતાવે છે. તેઓ યતિધર્મબત્રીશીની સાતમી ગાથામાં કહે છે કે મદ્દવ, અજજવ, મુત્તિ, તવ, પંચ ભેદ એમ જાણ; તિહ પણ ભાવનિયંઠને, ચરમ ભાવ પ્રમાણ હવે ગંભીરવિજય પંન્યાસ પિતાની ચોથી પૂજામાં વિસ્તારથી વાત કરે છે, તે જરા અવગાહી લઈએ. તેઓ ચેથી પૂજા (દશયતિધર્મ પૂજા)માં જણાવે છે કે – (રાગ ઠુમરી) (ચાલ સખી સબ દેખનકું, રથ ચડ જદુનંદન આવત હૈ–એ દેશી) સંતોષ અમૃત સુભાગી પ્રભુકે, પૂજે ભવિયણ શિવરસિયા સંતેષ વિન ન હ આવે તૃપતિ, પુગળ રાશિ સવિ ગસીયા. સંતોષ અમૃત સુભાગી પ્રભુ કે૧ ત્રિભુવન કેલી તૃષ્ણ વેલી, મૂલ ચુલ તસ રસ કસીયા. સંતોષ૦ ૨ મુક્તિ યાવન પાવન ભાવન, નિસ્પૃહભાવિત અહોની સીયા. સંતોષ. ૩ લેભપાધિ મનોરથપવને, ઊર્મિ ઉછાલત ધસમસીયા. સંતેષ૦ ૪ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy