SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશમરતિ વિવેચન સહિત આ સંબંધમાં પંન્યાસ ગંભીરવિજયજી મહારાજ છઠ્ઠી પૂજા (દશ યતિધર્મ પૂજામાં) લખે છે, તેને રાગ સિદ્ધચક ભવિ ભાવે રે' એ દેશમાં ગાઈ શકાય છે. રાગ દાદર છે. સજી સંજમમેં, રમણ કરે જ્ઞાની રે, - સજી સંજમમેં એ આંકણી કર્મ જનિત ભવ કર્મ છે બધે, ધરે બંધહર જાણું રે. સજી૧ કરી કરી જતના મન વચ અપના, સંજમ રસ ઠાણું રે. સજી૦ ૨ ભુવિ જલ અનલા અનીલ વન વીગલા, પણુદી જીવ જાણું રે. સજીવ ૩ અજીવન ઉપધિ પુસ્તક પાઠાં, જતન કરે ગુણ ખાણી રે. સજી. ૪ પિખ ઊહેખ દેખ પમર્જન, મનવૃત્તિ વરતાની રે. સજી ૫ વચન અષી વંદે ગુણ પિષી, જતના દિલ માની રે. સખ૦ ૬ સંરંભ સમારંભ ને આરંભા, કપ ન પિંડ પ્રાણ હાનિ રે. સજી૭ ત્રિવિધ ત્રિજોએ બંધાદિ નિવૃત્તિ, સંજમવંત પ્રભુ નાણું રે. સજીવ ૮ સંજમાં વૃદ્ધિ વીર ગંભીર, પૂજી પાએ ભવિ પ્રાણ રે. સજીવ ૯ આ ટાંચણે ઉપરથી જોવામાં આવ્યું હશે કે પ્રાણાતિપાતાદિ પાંચ મહાવ્રતે પાળવા, પાંચ ઇદ્રિ પર કાબૂ રાખવે, ચાર કષાયને જીતવા તથા ત્રણ દંડને કબજામાં રાખવા બહુ જરૂરી છે. એમને મોકળા મૂકવાથી સંયમ થતું નથી, અને સાધુને ધર્મ તે સંયમ પાળવાને છે. શ્રાવકે પણ બની શકે તેટલે સંયમ પાળવાને યત્ન કરો. આ સંયમ પણ એક મહત્વનો વિષય છે અને તે પર ધ્યાન આપવાથી આ સંસાર સમુદ્રને પાર પમાય છે. એને ધ્યાને રાખી સમજો અને યતનાપૂર્વક તેને પાળ. (૧૭૨) છઠ્ઠા મુક્તિધામ અર્થાત્ ત્યાગધમને વિસ્તાર– बान्धवधनेन्द्रियसुखत्यागात् त्यक्तभयविग्रहः साधुः। त्यक्तात्मा निर्ग्रन्थस्त्यक्ताहंकारममकारः ॥१७३॥ અથ– સગાં-સંબંધીઓ, ધન અને ઇન્દ્રિયસુખના ત્યાગથી જેમની બીક અને મારામારી ગયેલ છે એવા સાધુએ તે ખરેખર અહંકાર–મમકારને પણ ત્યાગ કરેલ હોય છે. અને એટલા માટે તે સાચા નિગ્રંથ કહેવાય છે. ( ૧૩) - વિવેચન–હવે આપણે ત્યાંગ-મુક્તિ નામના છઠ્ઠા યતિધર્મને વિચાર કરવાને છે. આવા સાધુ તે ખરેખરા સાધુ છે, કારણ કે તેઓ જાતે નિર્લોભી છે. લેભને ત્યાગ એ સાચે ત્યાગધર્મ છે અને તેને આ લેકમાં વિસ્તાર બહુ સૂક્ષ્મ દૃષ્ટિએ કરવામાં આવ્યું છે. આપણે પ્રથમ ગ્રંથકારનું દષ્ટિબિંદુ સમજીએ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy