SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના આશ્રવ, સંવર અને નિર્જરા ભાવના કર્મની આવક, જાવક અને આગલાને રદ કરવાને અંગે છે. તેની સાથે કર્મની વિચારણે જોડાઈ જાય છે. એ ફિલસૂફીને-સમજણને વિચાર છે. લેક કેવા પ્રકાર છે તેની વિચારણું કરી ચૌદ રાજલક વિચારવા અને તે દ્વારા પિતાને અને લેકને સંબંધ સુનિશ્ચિત ધ્યાનમાં લે, તે દશમી લેકસ્વભાવ ભાવના છે. ધર્મપ્રાપ્તિ પ્રાણીને થવી ઘણી મુશ્કેલ છે. ઘણા કાળથી એ ફરતે આવે છે, તેમાં તેને ધર્મ મળવાની મુસીબત ભારે છે. આવી વિચારણા કરવી તે અગિયારમી ધર્મભાવના. એને અંગે આત્માના મૂળ ગુણ જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા વીર્ય વિચારાય છે. બે ધિબીજ સધાવનાર અરિહંતને પામવા ઘણું મુશ્કેલ છે. તેથી જ જ્ઞાન, દર્શન પર શુદ્ધ શ્રદ્ધા થવી તે ભારે મુશ્કેલ છે. આ બેધિદુર્લભભાવના છે. આ બારે ભાવના અને કેટલાક વિચારકના કહેવા પ્રમાણે સર્વ જીવની સાથે મૈત્રી, ગુણ જોઈને ત્યાં આનંદ, પાપને જોઈને કરુણું અને સમજાવવા છતાં જીવ સમજે નહિ તેમાં મધ્યસ્થતા એમ મૈત્રી, પ્રમાદ, કરુણા અને માધ્ય એ ચાર ભાવના ભાવવી. આવી રીતે સેળે ભાવના ભાવવા ગ્ય છે. બરાબર શુદ્ધ રીતિએ ભાવના ભાવવામાં આવશે તે ત્યારપછી યતિધર્મને આદર થશે. યતિધર્મોમાં વ્યવહારુ કામ કરવાનું છે, પણ તે કરતાં પહેલાં વિચારભૂમિકાને ચોખ્ખી કરવાની જરૂર છે. જ્યાં સુધી વિચાર બરાબર ન થાય ત્યાં સુધી કામ કરવા તરફ મન જતું નથી અને કામ કરવા માટે વિચારની ભૂમિકાને સાફ કરી તે માટે તૈયાર કરવી જરૂરી છે. એ રીતે આપણે આ ભાવના પ્રકરણમાં સંસારનું ખરું સ્વરૂપ શું છે તે સમજ્યા. વસ્તુતઃ આપણે અહીં કેટલે કાળ રહેવું છે? પૂરેપૂરું મનુષ્યભવનું આયુષ્ય હોય તે બહુ તે સે વરસ રહેવાય. તેટલા માટે ઘરનાં ઘર કરવાં, અનેક વેર વસાવવાં, અને આ ખારું છે, એ કડવું છે, એ ગળે પણ ઊતરે નહિ તેવું ગંધાય છે એમ કહેવું અને રફ મારવા અને મજાક કરવી, તે કેને ઘટે ? તમારાથી મેજમજા થાય જ નહિ. મોજમજાને આ વખત નથી. અનેક ભવમાં રખડતાં આ મનુષ્યપણું મળ્યું છે તે ફેકી દેવા જેવું નથી. એમાં તમે નરમાશ રાખે, પ્રામાણિક બને, ફરજો બજાવે અને આત્મસન્મુખ થાઓ તે એમાં જ તમારું હિત છે. આ જેને તમે તમારા માને છે તે સર્વ બેઠું છે. કોઈની સાથે તારે જન્મ થયે નથી અને તું મરીશ ત્યારે તારી સાથે કઈ આવવાનું નથી. તારે શરીરે કાંઈ ઈજા થાય, તારી આંગળી વઢાઈ જાય કે તારે પગ લચકી જાય તે વખતે તારી પીડા કોઈ લેતું નથી. બધા સહાનુભૂતિ બતાવે છે પણ તારી પીડામાં કઈ ભાગ પડાવતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy