SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશમરતિ વિવેચન સહિત હઠાવી દેશે અને આવી રીતે નબળે પડેલ દુશ્મન તમારી સામે થવાનું કામ આટોપી લેશે અને એ લડાઈમાં તમારે વિજય થશે. આ નાયકોને મારીને ખલાસ કરવાની યુક્તિ લશ્કરી નજરે ઉપયોગી છે અને તેના માર્ગો કારગત છે. (૧૬૫). છેવટે કષાય પર વિજય કેમ કર संचिन्त्य कषायाणामुदयनिमित्तमुपशान्तिहेतु च । त्रिकरणशुद्धमपि तयोः परिहारासेवने कायें ॥१६६॥ અથ–કષાયે કયાં કારણોથી ઉત્પન્ન થાય છે અને તેમને શાંત કરવાના ઉપાયે શા શા છે તેને સંબંધી વિચાર કરીને, મન, વચન, કાયાથી તેમને ઉત્પન્ન થવાના હેતુને ત્યાગ કરો અને તેમને ઉપશમાવવાના હેતુને સેવવા–જરૂર સેવવા. (૧૬) વિવેચન-કષાયઉદયનિમિત્ત—ક્રોધ, માન, માયા અને લેભ જે-જે પ્રસંગોએ થતા હોય તેની પ્રથમ શેધ કરવી. કોઈના ઉપર ક્રોધ થઈ જતું હોય તે તેનું કારણ જાણું શોધી રાખવું. અભિમાનના જે પ્રસંગે બનતા હોય તેમને વિચારીને ગાંઠે બાંધવા. માયાસ્પટ, છેતરપિંડી કેઈની કરવાનું મન થઈ જતું હોય તે તે પ્રસંગો પણ ધારીને જાણી લેવા. અને લેભના પ્રસંગે બનતા હોય તેમને પણ જાણી લેવા અને તેમને જાણ લઈને શું કરવું તે નીચે આ જ લેકમાં કહેવામાં આવશે. ઉપશાંતિeતઅને એ કષાય જે આપણા મોટામાં મોટા દુશ્મન છે તેમને ઉપશાંત કરવાનાં કારણો કયાં કયાં છે તે ધ્યાન રાખીને જેવું. જેમ કે, ક્ષમાથી ક્રોધ ઉપશાંત થાય છે. વસ્તુ પોતે જ અનિત્ય છે ત્યાં તેનું અભિમાન શું કરવું? માર્દવથી અભિમાન ઉતરી જાય છે, “હું કાંઈ નથી, કઈ નથી” એ અભિમાનને નરમ કરવાને હેત છે. એવી જ રીતે સરળતા(ઉપર જણાવેલ આર્જવ)થી માયાગુણ ટળે છે. અને ઈચ્છાત્યાગથી કે સંતેષથી લેભને ત્યાગ કરવો. આ સર્વ કષાયરિપુને શાંત કરવાના હેતુઓ છે. વિચારણની અહીં બે વાત કરી. ક્રોધ, માન, માયા, લેભ ઉપજવાનાં કારણો–પ્રસંગે અને તેમને ઠંડા પાડવાનાં કારણે આ બન્નેને સારી રીતે વિચાર કરે. પછી શું કરવું તે હવે કહે છે. - ત્રિકરણશુદ્ધિ–મનથી, વચનથી અને કાયાથી શત્રુ પર વિજય મેળવવે. એમાં મનમાં એક હય, વચનમાં જુદી વાત હોય અને ક્રિયા તદ્દન જુદા પ્રકારની હોય એ વિસંવાદ ન ચાલે. ત્યાં તે મન, વચન, કાયાની એકતા જોઈએ, શુદ્ધિ જોઈએ અને દઢ નિશ્ચય જોઈએ. મનની એકાગ્રતા, વચનની સ્પષ્ટતા અને કિયા તેને જ અનુસાર થાય તેવી એકતા પ્રથમ જોઈએ. એટલે મન, વચન, કાયાના રોગો ગમે ત્યાં ફરે તેમ ન જોઈએ, પણ તેમને સંચરણ કરાવનાર હુકમ કરે ત્યાં તે એકતા સાધી સંચરે તે પ્રમાણે તેમને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy