SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના (૪૭ પાપ–એના ખ્યાશી (૮૨) પ્રકાર છે, તે શું તત્વ છે. પુણ્ય તે હજુ કઈ કઈને ગમે, પણ પાપ તે જરા યે ગમે તેવું નથી. તેને તે સ્વરૂપે ઓળખી તેનું સર્વથા અગ્રહણ કરવું તે આ કર્મ આવવાનાં રસ્તા બંધ કરવા માટે જરૂરી છે. આવી જાતના વિચાર સંવરભાવનાવાળો જીવ કરે. એની નજરમાં તે પુણ્ય અને પાપ બંને સરખાં છે અને તે તેમનાથી દૂર રહે છે. ભાવિતાત્મા પ્રથમ તે કર્મને ઓળખે છે અને પછી તેની સામે બારણું બંધ કરી તેની આય અટકાવે છે. આ સંવરભાવનાનું રહસ્ય છે. પુણ્યને પણ તે અડે નહિ અને પાપને પણ તે અડે નહિ, કોઈ પણ જાતનાં કર્મને એ ગ્રહણ કરે નહિ. અગ્રહણ-અનુપાદાન, ન લેવું, ન સ્વીકારવું. એટલે એ પુણ્યકર્મ બંધાય એવું કામ પણ ન કરે અને પાપકર્મ બંધાય એવું કામ પણ ન કરે, કઈ પણ પ્રકારનું કર્મ બંધાય તેની સામે તે બારણું જ બંધ કરી દે. જે પાણીની આવક તળાવમાં આશ્રવ દ્વારા થતી હોય તેની અટકાયતના સર્વ ઉપાય તે લે. કર્મ નવાં ન આવે તે માટે આશ્રદ્વારની સામે હડતાળ પાડવી અને સંવર દ્વારા તે કર્મને આવતાં અટકાવવા. તે સમજુ વિવેકી વિચારક જરૂર કરે. મન-વચન-કાયાની વૃત્તિ–મનથી, વચનથી અને કાયાથી કબંધ થાય છે. તેવા પ્રકારને વ્યાપાર એ સંવરભાવનાને અંગે પ્રાણી ન કરે. કર્મ આવવાના આશ્રને અંગે આપણે જોયું છે કે મનગ, વચન અને કાયયેગ નવીન કર્મને આત્મા સાથે જોડે છે. એ કર્ભગ્રહણના કારણભૂત આ વ્યાપારને અટકાવી દે એટલે નવાં કર્મી પ્રાણી ગ્રહણ ન કરે. આ રીતે તેને વ્યવસાય જ એવા પ્રકારને થઈ જાય કે એ નવાં કર્મોને ગ્રહણ ન કરે. આ સંવરભાવનાથી નવીન કમની અટકાયત કેમ થતી હશે તે આપણે આગળ ઉપર જઈશું. સુસમાહિત–આ સંવરનું વિશેષણ છે. સારી રીતે આત્મામાં આપણુ કરેલ સંવર નવીન કર્મબંધને અટકાવે. એટલા માટે સંવરની ભાવના કરવી, સંવરને ઓળખ અને એ રીતે કર્મની નવી આવક અટકાવવાની વિચારણા કરીને તેના અમલને અને વિચાર કરે. આ સંવરભાવના નવી આવક કર્મની જે થાય છે તેને અટવવાને અંગે અને નવા કર્મની આયનાં દ્વાર બંધ કરવા અંગે છે. - હિત–હિતકારી સંવર છે. ભવિષ્યને માટે તે ખરેઅસ લાભ કરી આપનાર કે એ. પશુ સંવરનું વિશેષણ છે. આપણે સંવર કેમ થાય તેને થે થડ પરિચય આગલ. ઉપર કરીશું, પણ તે અત્યંત આત્મિક લાભ કરનાર છે એટલું આપણે અત્યારે ના લઈએ, સમજી લઈએ. વરદ–તીર્થકર જેવા ઉત્તમ જનેએ તેને બતાવ્યું છે. જેને તીર્થકરના વચનમાં શ્રદ્ધા છે તેણે વણિવું કે આ સંવરના સર્વ પ્રકારે ખુદ તીર્થકર મહારાજે બતાવેલ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy