SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૧ સાના ગણના કરવા ચેગ્ય અને સ` પારસી ચીજમાં ચેતન ફસાઈ ગયા છે તે ત્યાં બતાવ્યું છે. આત્માની થયેલી અને થતી પાર વગરની પીડાએની ત્યાં ગણતરી કરી છે અને એની પરભાવની મજા એ કેવી છે તે પશુ ત્યાં બતાવ્યું છે. આ વસાવેલ ઘર અંતે અહી રહી જશે એ ત્યાં બતાવ્યું છે અને આત્માને થયેલા વ્યાધિનું ત્યાં નિદાન બતાવ્યું છે. એના ઉપાયમાં પથ્ય પાળવાનું ાવ્યું છે અને અનુભવરસથી પુષ્ટિ કેવી થાય છે તે ખુલાસાવાર જશુાવ્યું છે. બાકી, આ પથીના મેળે છે, મુસાફરખાનાના બે ઘડીના મેળે છે અને પ્રેમમાં નર્યા સંતાપ છે. લક્ષ્મી કાઈની થઈ નથી અને થવાની નથી. સ્વય' ત્યાગના મહિમા બતાવ્ય છે. મરુદેવાનું અંબાડી પર કેવળજ્ઞાન ત્યાં વર્ણવ્યું છે અને સ્ત્રી તથા માતાનું અન્યત્વ વણુંચું છે. મધાં સગાંઓ અને સંબંધી પર છે તે વિગતે ત્યાં જણાવ્યું અને આ સર્વ પૌદ્ગલિક સંબધ પર છે તે વાત પણ વિસ્તારથી જણાવી છે. એ અન્યત્વભાવનાનું શાંતસુધારસનું સદર વિવરણ જુએ. કહેવાની વાત એ છે કે ધનદોલત, ઘરબાર કે સગાસંબંધી અને આપણું પોતાનું માનેલું અને પાયેલું શરીર પણ પારકું છે, પર છે અને તેને પેાતાનું માનીને જે જે કાર્યો કરવામાં આવે છે તે નકામા જાય છે. આ દૃષ્ટિિંદુથી સ'સારને 'વિચારવા. (૧૫૪) પાંચમી અશુચિભાવનાનુ નિતાથી સ્વરૂપ अशुचिकरणसामर्थ्यादाद्युत्तरकारणाशुचित्वाच्च । देहस्याशुचिभाष: स्थाने स्थाने भवति चिन्त्यः ॥ १५५ ॥ મથ—અપવિત્રતામાં એની શરૂઆત થયેલી હાવાથી અને ત્યાર પછી એ વધારે વધારે અપવિત્રતા(અશુચિ) કરનાર હેાવાથી અને એના સામર્થ્ય(બળ)ના ઉપયાગ એ અશુચિમાં કરનાર હેાાંથી શરીરની અપવિત્રતાના ભાવ શરીરના પ્રત્યેક અવયવને અંગે થાય છે એવું વિચારવું. (૧૫૫) વિષ્ણુમા ગાથામાં અશુચિભાવનાની વધારે વિગતવાર સમજણ આપી છે. ગ્રંથકાર પોતે અપવિત્રતાને અંગે શું કહે છે તે આપણે પ્રથમ વિગતવાર સમજીએ. આદિકારણ—શરીરની ઉત્પત્તિ પ્રથમ ત શુક્રાંતિથી થાય છે. પિતાના વીર્ય અને માતાના શાણિતથી આ શરીર જન્મ પામે છે. પ્રથમ તે એ શરીરની ઉત્પત્તિ જ અપવિત્ર રીતે થયેલી છે. શુક્ર અને શાણિત એ છે, જેમાંથી આ જીવ ઉપજે છે તે બન્ને વસ્તુએ અપવિત્ર છે. એની સામે જોવું કે એના પર થૂંકવું ન ગમે એવી એ ખરાખ ષ્ટિ વસ્તુએ છે. આ રીતે આ શરીરની ઉત્પત્તિ પણ અતિ અધમ છે. ઉત્તરકારણ-મને ઉપત્તિ થયા પછી માતાના ઉદરમાં આ જીવ નવ ભાસ અને દશ દિવસ લગભગ રહે છે. એ ઉદર પણ અશુચિથી ભરપૂર છે. એમાં લેાહી, માંસ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy