SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કાર સ્વમતિશકત્યા–મારી બુદ્ધિના બળથી. મારી શક્તિ તે અલ્પ છે, મારી બાળબુદ્ધિની શક્તિ અનુસાર આ નમ્રતા બતાવવા જતાં ગ્રંથકર્તાએ મૌલિક્તા બતાવી દીધી છે. આ ગ્રંથ તે કોઈ ગ્રંથનું અનુકરણ નથી, પણ પિતામાં શક્તિ હોય તેના પ્રમાણમાં ખડબચડી ભાષામાં, નાનકડો ગ્રંથ લખી નાખે છે. આમાં ગ્રંથકર્તાની મૌલિકતા જણાઈ આવે છે. પ્રશમેષ્ટતયા–પ્રશમ-ઉપશમ મને ગમતું હોવાથી. આથી ગ્રંથકર્તાએ આ ગ્રંથ પૂરા રસથી લખે છે, કારણ કે, તેમને પ્રશમરસ ગમે છે. લેખક જ્યારે ઈષ્ટ વિષય પર લખે, ત્યારે ઘણું સારું લખે છે એ વેઠ ઉતારવા લખતે નથી. એકાદિકા–રાગ્યને માટે રસ્તે છે તેમાં માત્ર એક એક માણસ જ ચાલી શકે તેમ પગદંડી–નાની કેડી. આ ગ્રંથ કાંઈ મોટી સડક નથી, વૈરાગ્યના રસ્તાને જોડનાર એક પગદંડી જે આ ગ્રંથ છે. એકદંડી પગથી હોય, ત્યાં માત્ર પગ જ મુકાય; એમાં સામેથી કેઈ આવી શકે જ નહિ અને તેથી નાનકડા રસ્તાને પગદંડી કહેવામાં આવે છે. રેલવે અને એરપ્લેનના આ યુગમાં આ એકદંડીની મહત્તા આપણને સમજાય નહિ, પણ એ ઉપયોગી તે જરૂર હતી. નાળમાં એક ગાડું જ ચાલે, પણ “નાળનાં ગાડાં નાળમાં ન રહે તેવી રીતે એક માણસ માત્ર ચાલી શકે તેને એકપદી કહેવામાં આવતી હતી. ખેતરને છેડે તે ઘણીવાર હોય છે અને નાના રસ્તા અથવા મેટા રસ્તાને ટૂંકાણમાં જેડનાર આવી એકપણી હેવી એ ઘણું ઉપાગી છે. પણ ગ્રંથકર્તા તેને રસ્તાના પ્રમાણમાં એકપદી કહીને તેની કિંમત ઓછી આંકે છે. આ પદ્ધતિ ખૂબ વિચારવા લાયક છે, પિતાની પદ્ધતિના બણગા ફૂંકનાર ઉઘાતના લેખકોએ અનુસરવા ગ્ય છે. અ૫યા–અને પોતે બહુ નથી લખ્યું, પણ ઘણું બેડું લખ્યું છે. આ પણ વિવેક-વચન છે, લેખકની નમ્રતા બતાવે છે. એક વિષયકષાય ઉપર તેમણે ૮૭ ગાથાઓ લખી છે, છતાં તેઓ અલ્પતાને દાવ કરે, તે મારે મન વધારે પડતી વાત છે. હું તે એને પણ નમ્રતાનું વચન ગણું છું. આ ગ્રંથની રચના કરતાં, ઉપમિતિભવપ્રપંચાના લેખક સિદ્ધર્ષિ પેકે, તેમને જીણું પાંદડાંને લાવવા પડ્યાં નથી, કે પિતાને બચાવ તાણી ખેંચીને કરે પડ્યો નથી, પણ ગ્રંથની શરૂઆત બહુ સુંદર રીતે કરી છે. આ સંબંધી વધારે ચર્ચા તેમના ચરિત્ર વિભાગમાં કરવાનું રાખવામાં આવે છે. આ આ ગ્રંથ “આર્યામાં લખાયેલું છે. આર્યા માત્રામેળ છંદ છે. એની ચાર પંક્તિમાં ૧૨-૧૮,૧૨–૧૮ માત્રા હોય છે. તેઓ પિંગળશાસ્ત્રને બરાબર જાળવી રહ્યા છે. (૭) ગ્રંથકારની પૂર્વપુરુષ તરફની ભક્તિ નેંધવા જેવી છે. Jain Education International For Private & Personal. Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy