SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ પ્રશમરતિ વિવેચન સહિત | (૩૧) શ્રમણ કે બ્રાહ્મણ ઘરમાં દાખલ થયે હેય તેની અગાડી પડીને પિતે ઘરમાં ન જવું. પણ બીજાને ભિક્ષા મળી ગઈ હોય તે દાખલ થવામાં વધે નથી. (૩૨) જ્યાં જનાવરને અનાજ નખાતું હોય, જ્યાં કાગડા મળ્યા હોય તે રસ્તે ન જવું, અન્ય રસ્તે હોય તે તે દ્વારા ચાલ્યા જવું, પણ સીધા તેમની સામે ન જવું. (૩૩) ઘરધણું કે કઈ જમતું હોય, તે ઠંડે પાણીએ હાથ ધૂએ, તે એ ભીના હાથે કાંઈ ન લેવું. ' (૩૪) ધૂળવાળા હાથનું આપેલું કાંઈ પણ અનાજ કે વસ્તુ ન લેવા તેમ જ હાથે મસ લગાડેલ હોય, માટી લાગેલ હોય, ધુમ્મસ લાગેલ હય, ધોળે ચાક લાગેલ હોય તે તે હાથે આપેલ વસ્તુ અપવિત્ર અને અસ્વીકાર્ય છે. ' (૩૫) એઠા હાથે આપેલ વસ્તુ પણ એ કક્ષામાં આવે છે. (૩૬) અનાજ મોટું અખંડ દાણાવાળું હોય અથવા જે અનાજમાં ઘણું થુલું કે કચરે હોય અથવા જે સાધુ માટે દળવામાં આવેલ હોય તે અનાજ અપવિત્ર અને અસ્વીકાર્ય છે. (૩૭) અગ્નિ પર રંધાતું અન્ન સાધુ કે સાધ્વી માટે અપવિત્ર અને અસ્વીકાર્ય છે. (૩૮) થાંભલા પર રાખેલ કે પાલખ પર રાખેલ કે ઘેડા પર રાખેલ કે છત પર રાખેલ અનાજ અપવિત્ર અને અસ્વીકાર્ય છે. ગૃહસ્થ તેને નીચે ઉતારવામાં પડી જાય, તેને પગે ઈજા થાય, શરીરે વાગી જાય, માટે તેવું અનાજ ન લેવું. તે અસ્વીકાર્ય છે. (૩૯) સાધક માટે ગરમ કરેલું અનાજ અથવા તે માટે વીઝેલ અન અથવા સૂપડામાં ઝાટકેલ અન અપવિત્ર છે અને અસ્વીકાર્ય છે. | (૪૦) વનસ્પતિ ઉપર રહેલ અન્ન ન સ્વીકારવું તેમ જ જીવ પર રાખેલ કઈ ચીજ ન લેવી. (૪૧) જે જળ કરોળિયાના જાળામાંથી આવ્યું છે અથવા ઉઘાડી જમીનમાંથી આવેલ છે તે અપવિત્ર છે અને અસ્વીકાર્ય છે. (૪૨) આંબાની કરીને રસ તથા દ્રાક્ષને રસ, જંગલી ખજૂરને રસ અને દાડમને રસ સ્વીકારે નહિ. તેમ જ વાંસને રસ પણ ન સ્વીકારે. (૪૩) જે રસ ઘરધણીએ યાચક કે ભિક્ષુક માટે તૈયાર કરેલ હોય તે પણ ન સ્વીકારો. (૪૪) ઘરમાં અગર મઠમાં સાધુ જ્યારે ભિક્ષા લેવા ગયેલ હોય તે વખતે ઘરમાંથી વાસ આવે છે તેમણે વાસથી પરામુખ થઈ ભિક્ષા લેવાને માટે કોઈ પ્રકારની ઈચછા નથી એમ કરવું. (૪૫) સાધકે જે ચીજ તેવા ને તેવા આકારમાં હોય તે તેને સ્વીકારવી નહિ, પણ તેના ઉપર ચાકુ કે હથિયાર વડે ફેરફાર કરેલ હોય તે તે લેવી. | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy