SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર ૨૭૧ (૮) ભગવાને ઉપાદાનની શુદ્ધિને મહત્વ આપ્યું છે. (૯) ઉપર, નીચી, તીરછી અને સઘળી દિશાઓમાં જેટલા જીવ રહેલા છે તે પ્રત્યેકને કર્મસમારંભ રહેલા છે, માટે સાધક નાના મોટા કેઈપણ જીવને સ્વયં દંડ ન કરે, બીજા દ્વિારા ન કરાવે અને જે કઈ તેવું કરતે હોય તેને અનુમોદન ન આપે. (૧૦) આ રીતે પાપકર્મનું રહસ્ય સમજીને બુદ્ધિમાન સંયમી અને પાપભીરુ સાધક આ અને એવા બીજા દંડથી વિરમે. (૧૧) કઈ સામે આમંત્રીને ઘરે આવવા વિજ્ઞપ્તિ કરે તે તેનો સ્વીકાર ન કરો. • (૧૨) મુનિસાધક માટે તૈયાર કરેલ ચીજ કે સ્થાન તેનાથી ન લેવાય તેવી તે સ્પષ્ટ શબ્દોમાં મના કરે. (૧૩) અને ગૃહસ્થ ગુસ્સે થાય તે પિતે હૈર્ય અને સમતા રાખી સર્વ પ્રકારની ઉપાધિ સહન કરે, પણ તેવા કોઈ પ્રકારના ભયથી ડરીને દૂષિત આહાર ન લે. (૧૪) આર્યપુરુષેએ “સમતામાં જ ધર્મ બતાવ્યો છે. (૧૫) સમતાયેગની સાધનામાં (૧) કામગની આકાંક્ષાને ત્યાગ, (૨) હિંસક વૃત્તિને ત્યાગ અને (૩) પરિગ્રહવૃત્તિને ત્યાગ એ સાધનરૂપે હોવા ઘટે. (૧૬) દેહ જેમ સંકટ કે શ્રમથી ગ્લાન થાય છે તેમ આહારથી પુષ્ટ થઈ શકે છે.” આમ સમજી સાધક દેહનું મૂલ્ય આંકે છે અને તેવું સમજી તેને ઉપયોગ કરે છે. તેથી દેહ ગ્લાન થાય તેય તેને ખેદ થતું નથી. (૧૭) દેહ પુષ્ટ થાય તેવા ઉપાય પણ સાધક જ નથી. (૧૮) તે પ્રસંગે પણ ઓજસ્વી સાધક દયાનું રક્ષણ કરે છે, દયાને તજતે નથી. (૧૯) જે સાધક સંયમના યથાસ્વરૂપને કુશળ જાણકાર છે તે જ અવસરે પિતાની શક્તિ, વિભાગ, અભ્યાસ, સમય, વિનય તથા શાસ્ત્રદષ્ટિએ બધાંને સમન્વય સાધી વિવેકબુદ્ધિપૂર્વક લેકપ્રપંચમાંથી પિતાના સ્વભાવને માર્ગ શોધી લે છે. (૨૦) તે સાધક જ પરિગ્રહ પરની મમતા ઊતારીને સર્વથા નિયમિત બની કોઈપણ પ્રકારને આગ્રહ ન રાખતાં નિરપેક્ષ બની સહજ જીવન જીવે છે.. (૨૧) આવા ધ્યેયજીવી અને ઉચ્ચ કેટિના સાધકની પણ કસોટી હોય જ છે. (૨૨) જૈન ભિક્ષુ કેઈને દુભવતું નથી તેમ જ પિતા નિમિત્તે કોઈને જરા પણ તકલીફમાં મૂકવા ઈચ્છતે નથી. | (૨૩) સાધક સાવ સાદાં વસ્ત્ર ધારણ કરે એ વસ્ત્રધારી મુનિને આચાર છે.. (૨) હેમંત ઋતુ જાય અને ગ્રીષ્મ ઋતુ આવે ત્યારે જે વસ્ત્રો હેમંત ઋતુને અનુલક્ષીને સ્વીકાર્યા હોય તેમને તે ત્યાગ કરે, છતાં એ ઉપગી હોય તે બધાંને ત્યાગ ન કરે, પણ અ૫ રાખે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy