SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર ૨પ૧ (૨૭) આવું સમજીને કોઈ પ્રાણીને મારી નાખવા કે મરાવવા અથવા બીજાને તેમને મારવા દેવા ન જોઈએ: (૨૮) કેટલાક વાઉકાય જીવને ઘાત કરે છે, તે અનુચિત છે. (૨૯) આ શસ્ત્રપરિજ્ઞા અધ્યાયના સાત ઉદ્દેશકે છે અને તેમાં જીવવધ ન કરવાને ઉપદેશ છે. સર્વ જીવોને નહિ મારવાને તેને ઉદ્દેશ છે. આ રીતે પ્રથમ શ્રુતસ્કંધનું પ્રથમ અધ્યયન તેના અવાંતર સાત ઉદ્દેશક સાથે પૂરું થયું. બીજુ અધ્યયન લોકવિજય લૌકિકસંતાન—લેકપરંપરા. તેને ત્યાગ કરવો જોઈએ. લેકવિય એટલે લૌકિકગૃહસ્થના-વ્યવહારને ત્યાગ કરે છે, લેકમાં પ્રચલિત જે વ્યવહાર છે તેને ત્યાગ કરવો તે. એ સંબંધી આ બીજા અધ્યયનમાં વિવેચન છે. એના છ પેટા પ્રકરણે (ઉદ્દેશકે) એટલે આંતર વિભાગે છે. આ પણ આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધમાં આવે છે. (૧) મારે દીકરી છે, બેન છે, દીકરાની વહુ છે, દીકરા છે, મારે મિત્રો છે, મારે નજીકના અને દૂરના સગાંઓ છે. તેઓ માટે મારે ભરણપોષણ, નફ, વારસ તૈયાર કરી રાખવો જોઈએ. એ સર્વ સંસારને વહેવાર છે. (૨) આ બાહ્ય વ્યવહાર કરવા જતાં પ્રાણ બેદરકાર બને છે, રાતદિવસ કામમાં મશગૂલ રહે છે, વખતે કવખતે કામ કરે છે, અને પૈસા અને તિજોરી ભરે છે, અને તે માટે કૈક ઘાતકી કામ કરે છે, અને આગલા અધ્યયનમાં કહ્યા તેવાં આકરાં કામ કરે છે. (૩) એવાં કામને પરિણામે અનેક મનુષ્યની જિંદગી ટૂંકી થાય છે. () મનુષ્યની જિંદગી ટૂંકી થઈ છે તે તેની સુંઘવા, જેવા, સાંભળવાની કે સ્પર્શ અને રસની ઇન્દ્રિયે નબળી પડે ત્યારે ખબર પડે છે. (૫) જીવન ઘણું ટૂંકું છે અને એવાં વ્યવહારુ કાર્ય કરવાથી ટૂંકું થાય છે, (૬) મેટી ઉંમરે કે ઘડપણું આબે સુંઘવાની, જોવાની કે સાંભળવાની ઇન્દ્રિ નરમ પડે છે. (૭) જે સગાંઓની સાથે પિતે રહેતે હતું તે હવે તેની સાથે ગણગણાટ કરવા લાગે છે અને તે પણ ગણગણાટ કરે છે. (૮) પણ તે સગાંઓ કે સંબંધીઓ તેને કોઈ પ્રકારની મદદ કરી શકતા નથી અને તે પણ તેઓને મદદ કરી શકો નથી. () જ્યારે ઘડપણ આવે છે ત્યારે તે કઈ પ્રકારને આનંદ કરી શકતું નથી, કેઈ. રમત રમી શક્તા નથી, કોઈ વાતમાં રસ કે આનંદ લઈ શકતા નથી, તેને કઈ ખેલે કે દેખા ગમતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy