SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ કષાયો અને વિષય શુભ પરિણામમાં લાંબો વખત રહેવા માટે–અવસ્થિતિ એટલે રહેવું. રાગ અને દ્વેષની અવ્યવસ્થિત સ્થિતિ છે. તેને ત્યાગ કરીને પોતાના શુભ પરિણામ એટલે માનસિક શુભ પ્રવૃત્તિમાં અથવા શુદ્ધ આત્મિક અધ્યવસાયમાં લાંબે વખત ટકી રહેવા માટે. આ અત્ર કારણ બતાવ્યું છે. માણસને રાગ અથવા ઠેષ બને ગમે છે, પણ એ પરતંત્ર સ્થિતિ હોવાથી એને અંતે આત્માના શુભ અધ્યવસાયમાં અથવા શુદ્ધ માનસિક પરિણામમાં જવું અને ત્યાં ટકવું ગમે છે. એ હેતુ સિદ્ધ કરવા શે ઉપાય કરવો તે આવતી ૧૦૫મી ગાથામાં ગ્રંથકર્તા પિતે કહેશે. વાત એ છે કે કષાયને વિજય કરવો અને ઇંદ્રિયન વિષ પર પિતાનું સામ્રાજ્ય સ્થાપી તેની નિયંત્રણ કરવી. આ રાગદ્વેષને ત્યાગ કરવાની અને પાંચે ઈંદ્રિયના વિષયેને શમાવવાની અને તેના પર મજબૂત સંયમ રાખવાની વાત ખૂબ અગત્યની ગણવી. (૧૦૪). શુભ પરિણામમાં સ્થાયી રહેવાનું કેમ થાય?— तत्कथमनिष्टविषयाभिकांक्षिणा भोगिना वियोगो वै । सुव्याकुलहृदयेनापि निश्चयेनागमः कार्यः ॥१०५॥ અર્થ–પિતાને નુકસાન કરનાર વિષને સેવન કરતાં સંસારી ભેગીએ તેવા વિષને હંમેશને માટે ત્યાગ કેવી રીતે થઈ શકે તે માટે અતિ ચિંતામુક્ત હૃદયપૂર્વક મૂળસૂત્ર વગેરે આગમને સંબંધ કરે જઈએ. (૧૦૫). વિવરણઃ અનિષ્ટવિષયાકાંક્ષી—કેટલાક પ્રાણુઓ પાંચ ઇન્દ્રિયના વિષયને પિતાને કેઈપણ લાભ કરનારા માનતા નથી, છતાં પણ એ ખરાબ કરનારા વિષયોનો અભિલાષ તે કર્યા કરે છે, અને તેમને ભગવતી વખતે તેમનામાં તદ્રુપ થઈ જાય છે. આવા વિષયને અનિષ્ટ જાણવા છતાં તેમની આકાંક્ષા અભિલાષા કરનારાઓએ પણ વિષય પર સંયમ તે રાખવો જ જોઈએ. આ ગાથા ઉપરથી જણાય છે કે આ પુસ્તક માત્ર સાધુ કે યતિ માટે રચાયેલું નથી, તેનાથી નીચેના થરના સંસારી છે જે પાંચ ઇન્દ્રિયના વિષયેના ભેગી હોય છે, તેમણે પણ શું કરવું જોઈએ એ તેમાં જણાવ્યું છે. આમ આ પુસ્તક રચના સર્વસામાન્ય છે અને સંસારને વળગી રહેલાને માટે પણ એમાં વિચારણા અને સ્થાન છે. વિષયને અનિષ્ટ જાણવા છતાં તેની અભિકાંક્ષા (ઈચ્છા) કરે એવા ઘણા પ્રાણુઓ હોય છે, તેઓ તરફ આ ઉપદેશ છે એમ આ લેક પરથી ચક્કસ જણાય છે. આ વાત સંસારીભેગી માણસે પણ ધ્યાનમાં રાખવા જેવી છે. ભેગી–સંસારના અને પાંચે ઈદ્રિયના ભેગ ભેગવતાં, પણ તક મળતાં સંસારને સિરે સિરે” કરનાર આવા સમજુ જ્ઞાનવાન હોવા છતાં કઈ પ્રકારની લગામ-નિયંત્રણ આ પાંચ ઇંદ્રિયના વિષયે પર રાખતા નથી, રાખી શકતા નથી. તેઓ પણ વિષયને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy