SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ કવા અને વિષય વગેરે જળચર કહેવાય છે. આ એકેદ્રિયના જીવોથી માંડી પંચેન્દ્રિય સુધીના જ તિર્થ ચની સંજ્ઞાથી ઓળખાય છે. તેઓ ગધેડાપણું કે કાગડાપણું એટલે નીચપણું પામે કે બીજે ક્યાંક જાયઆવે અથવા મધ્યમપણું પામે અથવા ઉત્તમપણું પામે, કઈ પાંજરામાં પૂરાય પણ પિટમેનાની પેઠે ભાઈબાપા થાય અને કેઈ કાગડાની પેઠે નીચ, હલકા, અસ્પૃશ્ય માણસ પેઠે નિદાને પામે, તે આવું તિયનું ઉત્તમ પડ્યું કે મધ્યમપણું અથવા હીનપણું તે કર્મને અધીન છે, એટલે મનુષ્ય માટે જેટલી વાત કરી તે સર્વ આ તિર્યને પણ લાગુ પાડવી. એમાં ગધેડાને ડફણાં મળે કે પિપટનાં માનસન્માન સારાં થાય પણ 'પાંજરે પડે એ ગોત્રકર્મના ઉદય ઉપર આધાર રાખે છે. આ કર્મ કેઈને મૂક્તા નથી અને એના હિસાબમાં ગેટ થતું નથી, તે પછી માણસ કે જનાવરને ઉચ્ચ કે મધ્યમ અથવા નીચ કેમ કહેવા? જેને માટે તેની જવાબદારી નથી, જે સારાપણા માટે તેને અભિનંદન અપાય છે તેને માટે તેનામાં તે જરાએ પાંખડું ચલાવવાની કે ફેરફાર કરવાની શક્તિ નથી. નિ–રાશી લાખ જીવનિઓ છે. અગાઉ તે પર વર્ણન થઈ ગયું છે. પ્રાણની ઉત્પત્તિ વખતે જે પ્રકારના વર્ણ, ગંધ, રસ કે સ્પર્શ હોય તેવી એક નિ થાય. તેવી રાશી લાખ જીવનિઓ છે. ત્યાં જવું તે કર્મ નિષ્પન્ન કરે છે. એમાં માણસની બહાદુરી કાંઈ કામ આવે તેમ નથી, તેમ જ નીચ નિ માટે તે જવાબદાર નથી. બધે કર્મ ઉપર આધાર છે. એક રીતે, એ કર્મ બાંધનાર પણ એ જ છે, તે તેની જવાબદારી ગણાય ખરી. આ કર્મ માણસની મરજી હોય કે ન હોય પણ અવશ્ય ભેગવવાં પડે છે. જેમ સ્વકર્માનુસાર ઊંચી કે મધ્યમ અથવા નીચી ગતિ માણસને કે તિયાને મળે છે, તેમ ક્રિય શરીરવાળા દેવ અને નારકોને પણ તેમ જ થાય છે. આ તે જેવાં કર્મ બાંધ્યાં હોય તે ઉદય થાય છે અને તે વખતે શરીરની વહેંચણી કે જાતિ કુળાદિ માટે માણસની જવાબદારી મટી જાય છે. વિભક્ત–વહેચેલું. એટલે જુદી જુદી નિઓમાં ઉત્તમપણું, મધ્યમપણું કે હીનપણું ગોત્રકર્મ પ્રમાણે અને તેની જેવી સત્તા હોય તે પ્રમાણે વહેંચણીમાં આવે છે. આ કર્મભનિત વહેચણી હોવાથી તે અમુક નિયમને અનુસરે છે અને તે પિતાનું ફળ આપ્યા વગર રહેતી નથી. આવી રીતે ઉત્તમ, મધ્યમ કે હીનપણું ઉચ્ચ કે નીચ શેત્રકમ નામના કર્મ પ્રમાણે થતું હોવાથી પિતાના ઉચ્ચપણ માટે ઉત્કર્ષ ધાર કે મનાવો. અથવા પારકાના અવર્ણવાદ બલવા તે આપણને યંગ્ય નથી, કારણ કે તે આપણા કબજાની વાત નથી અને શા કારણે અમુક ગધેડાની જાતિમાં ગયે અને શા કારણે નેળિયે થયે તે આપણે જાણતા નથી, પણ કમનું તે અનિવાર્ય ફળ છે અને કર્મ, ઉપર આપણે કોઈ પણ પ્રકારને હક કે અધિકાર અથવા હુકમ ચાલતું નથી. તે તે - Jain Education International For Private & Personal. Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy