SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશમતિ વિવેચન સહિત સામાન્ય રીતે પેાતાનાં વખાણુ અને બીજાની નિંદાની વાતા તજવી જોઇએ. દુનિયા અનતકાળથી ચાલે છે અને અનતકાળ ચાલવાની છે. ‘સર્વગુણી વીતરાગ છે.' બાકી આખી દુનિયા તા માદળિયે મઢી ઠીક ઠીક શૈાલે છે. પણ આ માળિયામાં લખેલા મંત્રાક્ષરો આપણને જાણવાના અધિકાર નથી. આપણે આપણું સંભાળી બેસી રહીએ તે ખસ છે. બીજાની પચાત કરવા માટે જીવન ઘણું ટૂંકું છે અને પોતાના વખાણુ માટે તે છે જ નહિ, એટલે ખીજાની વાર્તા કે પાતાના વખાણુમાં ન પડી જતાં એ ત્યાગ કરવા યોગ્ય વસ્તુ છે એટલું સમજવું. ૧૨ મહાવીરના જીવ કપિલના ભવમાં મારા દાદા પ્રથમ તીર્થંકર, મારા પિતા પ્રથમ ચક્રવર્તી અને હું પણ વાસુદેવ થનાર અને છેલ્લા તીર્થંકર પણ થનાર એટલે મારું કુળ તે ભારે પવિત્ર' આટલા કુળમઢને પરિણામે એક કોટાકોટિ સાગરોપમ આખા ચેાથા આરામાં ફર્યો, રખડયા. આ તે। સામાન્ય મદસ્થાન હતું. દશા ભદ્રે શ્રી મહાવીરનું માટું સામૈયું કરી પેાતાનાં વખાણ કર્યા, તે ઇંદ્રે માટી ઋદ્ધિ વિષુવી દશાણ ભદ્રથી મોટું સામૈયું કરી દશાણુ ભદ્રના ગવૅ ઊતારી નાંખ્યા. ઋદ્ધિમાં, તપમાં, મળમાં કે રૂપમાં, જ્ઞાન વાલ્લભ્યમાં આપણાથી સવાશેર ઘણા પડયા છે; પણ પડયા છે કે નહિ તેની પ'ચાતમાં ન ઊતરતાં પોતાના ગુણેાના ઉત્કૃષ્ટ અને પારકાની નિંદા કરવાના ત્યાગ કરવા. દુર્ગાચમ્—દુસ્ત્યજ. દુઃખે કરીને જેના નાશ થઈ શકે તેવું, એટલે કરાડો ભવમાં ન છૂટે એવું આકરું નીચ ગાત્ર કમ બંધાય છે. એને દુઃખે કરીને, મહેનત કરીને ખેડવા જેવું છે, કારણ કે એ કમના પોતાના ત્યાગ ભોગવ્યા વગર ભાગ્યે જ–બહુ જ મહેનતે થઈ શકે છે. આવું કેમે કરીને ત છૂટે તેવું કમ પ્રતિ ભવમાં બંધાય છે. તેને અંગે ખરાખર ચેતવણી આપનાર આ બ્લેક છે. પ્રતિભવ”—આ કર્મા એકલાં મનુષ્યા ખાંધે છે તેમ નદ્ધિ, પશુ ગમે તે ભવમાં જીવ હાય તે પ્રત્યેક ભવમાં એવાં કમ ખાંધે છે. પ્રત્યેક ક્રિયા ફળવતી છે અને પારકાં અવળુ વાદ ખાલવાં અથવા પેાતાના મહિમા ગાઈ વજાડી અન્યને જણાવવા તેનાં પરિણામ તરીકે આ નીચ ગાત્ર કમ મુખ્યત્વે બધાય છે. એની સાથે ખીજા' કમ'ના પ્રતિબધ કર્યો નથી, પણ આ નીચગેાત્ર કમ પરપરિવાદ અથવા સ્વેત્કષ પ્રદશ નને અંગે પ્રતિભવે એટલે દરેક ભવે 'ધાય છે તે સમજી લેવું. પ્રતિભવે એટલે દરેક જન્મમાં. , અનેકભવકાટિદુર્ગાચસ્—અનેક ભવે એ કર્યાં છેડવું-છૂટવું ઘણું મુશ્કેલ છે. આપણે એને ત્યાગ ઇચ્છવામાત્રથી તે જતું નથી, પણ એનાં ફળ આપણને ભાગવાવે છે. કર્મીની સ્થિતિ વિચારતાં આ નીચ ગેત્રની સ્થિતિ ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની શાસ્ત્રકારે બતાવી છે. (જુએ નવતત્ત્વ ગાથા ૪૧મી). એટલે બધાય ત્યારે આવી ઉત્કૃષ્ટ સ્થિતિનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy