SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ કષાયો અને વિષયે ૧૯૩ પૂર્વકાળના તે સમયે ઉપલબ્ધ કર્મગ્રંથ, મહાસંઘયણ વગેરે ગ્રંથને આધાર લઈ તેને લેકે સમજી શકે તેવી વ્યવસ્થિત રીતે ગોઠવ્યા તે નવીન કૃતિ કહેવાય. એમાં વિષય નવો નથી, પણ કૃતિ અને તેની ગોઠવણું નવીન છે. વિચારણું–પિતે ગ્રહણ કરેલા વિષય પર વિચાર કરો. એકલું ગેખી જવું એના કરતાં પિતે સમજીને તેના અર્થ પર સ્વતંત્ર વિચારણા કરવી તે બહુ જરૂરી છે. આ બુદ્ધિને થે ઉપયોગ થ અવધારણ–એટલે કહેવા શું માગે છે તે પિતાના હૃદયમાં સ્વપરના લાભ માટે ધારી રાખવું. અવધારણ એટલે “નિશ્ચય” અથવા “ખાતરી.” એટલે પિતે જે બાબત શીખેલ હોય તે મનમાં બરાબર ધારી રાખવી અને પિતે જે સમજીને વાત લીધી છે તે બાબત ધારી રાખવી. “સંશયાત્મા વિનશ્યતિ” એટલે જેને મનમાં સંશય હોય તે વિનાશ પામે છે, પણ પૃથક્કરણ કરીને જે અવધારણ કરે તેને તે કોઈ જાતને વિનાશ પામવાને પ્રસંગ રહેતું નથી. ગમે તેવા સખ્ત ભાવે હેય પણ જે તેનું પૃથક્કરણ અને અવધારણુ બરાબર કર્યું હોય તે તે ભાવ બીજાને સમજાવવામાં પિતાને જરાપણ મુશ્કેલી પડતી નથી. આ રીતે બુદ્ધિના પાંચ પ્રકાર કહ્યા : (૧) ગ્રહણ, (૨) ઉદ્ગ્રાહણ, (૩) નવીન કૃતિ, (૪) વિચારણા, (૫) અવધારણું. આ બાબત અગાઉના પુરુષોએ કે અને કેટલે ગંભીર વિચાર કર્યો છે તે પછીની ૯૨મી ગાથામાં કહ્યું છે. બુદ્ધિના ઉપગ તરીકે ગ્રહણ, ઉગ્રાહણ વગેરે કહ્યાં છે. આ બુદ્ધિના માત્ર પાંચ જ ફળ છે એમ નથી, પણ એનાં અનેક અંગ છે. આવી રીતે ગ્રહણ કરવું, ગ્રહણ કરાવવું, નવીન રચના કરવી, વિચારણા કરવી અને તેની અવધારણા કરવી એ પાંચે બુદ્ધિના ગુણે છે. એ ઉપરાંત ધારણા વગેરે શાસ્ત્રમાં બુદ્ધિના અનેક ગુણે છે. બુદ્ધિ કાર્મણકી, પરિણામિકી વગેરે ચાર પ્રકારની છે એ વાત અગાઉ આવી ગઈ છે. આ ઉપરાંત બુદ્ધિના ઘણું ભેદ છે. તે કર્મગ્રંથ વગેરે શાસ્ત્રગ્રંથોથી જાણી લેવા. અહીં તે જાણીતા બુદ્ધિના ચાર ભેદ કહ્યા છે. આ ચાર બુદ્ધિ અથવા ગ્રહણ, ઉગ્રાહણ, નવીન રચના, વિચારણા અને તેને કેન્દ્રિત કરી અવધારણ કરવું એ પાંચ બાબતમાં અગાઉના પુરુષસિંહ-મુખ્ય માણસોની બુદ્ધિને આપણે વિચાર કરીએ છીએ ત્યારે આપણું અક્કલ છક્કડ ખાઈ જાય છે. ઉત્કૃષ્ટ સંખ્યાત, ઉત્કૃષ્ટ અસંખ્યાત અને ઉત્કૃષ્ટ નવ પ્રકારના અનંતને વિચાર ચેથા કર્મગ્રંથથી કરતાં આપણે પણ છકકડ ખાઈ જઈએ છીએ, અને આવા બુદ્ધિબળને પચાવનાર માણસે પુરુષસિંહ-જિનવૃષભે બુદ્ધિબળમાં આપણાથી અનેક રીતે ચઢિયાતા અગાઉના કાળમાં થઈ ગયા છે, અને તે સમજનારા અને અને તે પર વિવેચન કરનારા અગાઉ નરવૃષભ થઈ ગયા છે, તેઓના બુદ્ધિભવ પાસે આપણે તે કેણ માત્ર? એટલે બુદ્ધિની બાબતમાં આ ધુરંધર માણસ પાસે આપણે તે બુદ્ધિબળમાં મગતરા છીએ. એક ચૌદ પૂર્વનું પુર ગણવામાં કે કલ્પવામાં આવતાં અથવા પ્ર. ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy