SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ? 6 પ્રશમતિ વિવેચન સહિત હાય છે. તે ઉષ્ણુ પ્રકારને ગરમાવે નથી, પશુ ઠંડી સ્પર્શવાળી સ્થિતિ તેનાથી પ્રાપ્ત થાય છે. આ રીતે ચંદ્રના પ્રકાશ · ઉદ્યોત નામકર્મ' નામની ચેાથી પ્રત્યેક પ્રકૃતિમાં આવે છે. શરીર ભારે નહિ, તેમ જ હળવું નહિ, એવું શરીર પ્રાપ્ત થાય, તેને પાંચમું અગરુલઘુ નામકર્મ' કહેવામાં આવે છે અને છઠ્ઠા · તીર્થંકર નામકર્મ 'ના ઉદયથી અમુક જીવ ઘણી પૂજા પ્રભાવના નામે છે. કેવળજ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી કેવળી થાય, પણ તીથંકરનામકર્મના ઉદયથી પ્રાણીની પૂજા-પ્રભાવના વધી જાય છે અને તેની નામના ભારે નીકળે છે. સાતમા · નિર્માણુ નામકર્મ ’ના ઉદ્દયથી પ્રાણીનાં અંગાપાંગ યથાસ્થાને થાય છે અને સુતારની પેઠે અંગેાપાંગનું નિર્માણુ આ કર્મ કરે છે. પેાતાના શારીરિક અવયવથી પીડા પામવી, તે ‘ ઉપઘાત નામકર્મ' નામની આઠમી અશુભ નામકર્મની પ્રત્યેક પ્રકૃતિ છે. આમાં ‘ઉપઘાત નામકર્મ' અશુભ છે, ખાકીની પ્રત્યેક કર્મપ્રકૃતિ મહા પુણ્યદય સૂચવે છે. ' 43 હવે આપણે ત્રસ દશકાનું વર્ચુન સંક્ષેપમાં કરીએ અને પછી સ્થાવર દશકાનું વર્ણન કરવામાં આ ગાથાનું વિવેચન સ`પૂર્ણ થશે. ત્રસ નામકર્મના ઉદયથી પ્રાણી એઇન્દ્રિય, તૈઇન્દ્રિય, ચૌરિંદ્રિય કે પંચેન્દ્રિયપણું પામે છે. જેના ઉડ્ડયથી સ્વત ́ત્રપણે ગમન કરવાની શક્તિ પ્રાપ્ત ન થાય તે સ્થાવર નામકમ'. ખાદર નામકર્મ એટલે સ્થૂળ નામકર્મ. આંખ જેને જોઈ શકે તે માદર. આ પ્રથમ ખદર નામકર્મના ઉદ્દયથી સર્વ જીવા ખાદર એઇંદ્રિય પ્રથમ થાય છે, પણ આંખ જેને એઈ શકે તેવા પૃથ્વીકાયાદિ પણ ઉત્પન્ન થાય છે, તેથી ઉપરના અથ ખરાબર નથી. આ જીવવિપાકિની પ્રકૃતિ છે અને ઉદયમાં આવે ત્યારે જીવને બાદરપણું ઉપજાવે છે. એનાથી ઊલટા, સૂક્ષ્મ જીવાનાં એક દ્રિય શરીરા જોઈ શકાતા નથી, હાલતા-ચાલતા નથી, તે સૂક્ષ્મ કહેવાય છે. ખીજા એઇંદ્રિય, તઇંદ્રિય, ચૌરિંદ્રિય, પચેન્દ્રિય જીવા ત્રસ કહેવાય છે. એ ‘ત્રસનામકર્મ' નામની પ્રકૃતિના ઉદયથી થાય છે. સ્થાવર અને સૂક્ષ્મ અશુભ છે. એનાથી ઊલટી પ્રકૃતિ શુભ છે. હવે આપણે પર્યાપ્ત નામકર્મને વિચાર કરીએ. પર્યાપ્તિ છ છે : જેના ઉદયથી જીવ સ્વયાગ્ય પ્રર્યાપ્તિ પૂરી કરે તેને ‘ પર્યાપ્ત નામકર્મ’ કહેવામાં આવે છે. આહાર, શરીર અને ઇન્દ્રિય—એ ત્રણ પર્યાપ્તિ પૂરી કરે ત્યારે જીવ લબ્ધિપર્યાપ્ત કહેવાય છે. એકે પ્રિયને ચાર પર્યાપ્તિ (આહાર, શરીર, ઇંદ્રિય, શ્વાસેાવાસ) હોય છે. એટલે જીવ લબ્ધિપર્યાપ્ત હોય, છતાં કરણપર્યાપ્ત તે સ્વયેાગ્ય પર્યાપ્ત પૂરી કરવાથી થાય. આવી રીતે નામકર્મના પાંચ સેક થયા. છઠ્ઠી પ્રકૃતિને ‘પ્રત્યેક નામકર્મ ' . કહેવામાં આવે છે, એક શરીર પર એક જીવ થાય; ફૂલ કે ઝાડના જીવ એક, એ એનું દૃષ્ટાંત છે. એનાથી ઊલટી ‘સાધારણ કર્મ’ નામની સાતમી પ્રકૃતિ છે. એમાં એક એક શરીર ઉપર અનંતકાય પેઠે અનંત જીવે થાય છે, કંદમૂળ એ તેના દાખલા છે. પાંચમી પ્રકૃતિ ‘સ્થિર નામકર્મ'ના નામથી ઓળખાય છે. દા.ત. દાંત, હાડકાં, ડાક વગેરે શરીરના અવયવ નિશ્ચલ હાય તે ‘સ્થિર નામકર્મ' નામની આઠમી Jain Education International ' For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy