SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશમરતિ વિવેચન સહિત આગ લાગી હોય તે સાથે નપુંસદને સરખાવવામાં આવેલ છે. આ રીતે નવ કષાય છે. તેને સેળ કષાય સાથે મેળવતાં પચીશ કષાયે થાય. તેને ત્રણ દર્શન મેહનીય સાથે મેળવતાં “અઠાવીશ” એ શબ્દ-ધ્વનિ નીકળે છે. ચતુર-પાંચમા આયુષ્ય કર્મના ચાર વિભાગને અત્રે ઉલ્લેખ છે. સુર, નર (મનુષ્ય), તિર્યંચ અને નારકના આયુષ્યના ચાર પ્રકાર છે, એ ગમે તે ચાર પૈકીની ગતિમાં કેટલે વખત રહેવું થશે, એ આ પાંચમું આયુષ્યકર્મ નિર્માણ કરે છે. આ આયુષ્યકમને હેડની સાથે સરખાવવામાં આવે છે. * ' બેંતાળીશ–નામકર્મ છઠું (જુઓ આગલી ગાથા; તેમાં બેંતાળીશ પ્રકાર છે. તેમાં સંયુક્ત અથવા પેટભેદવાળી પ્રકૃતિ છે, તે વિભાગીય બાર ભેદ અને દશ પ્રકૃતિ વૈયક્તિક એક એક ભેદવાળી છે અને તે રીતે બાવીશ પ્રકૃતિ અને ત્રણ દસકા તથા ઊલટા થાવર દશકા–એમ પ્રત્યેક દશ-દશ પ્રકૃતિ ગણાવશું; તે રીતે બેંતાળીશ પ્રકાર આ નામકર્મના થાય છે. એ બેંતાળીસની વાત એ રીતે મૂળ લેકમાં કહી છે, તે આ પ્રમાણે છે. એમાં - જે ચૌદ સંયુક્તપ્રકૃતિ છે, તેના પેટભેદો ગણવામાં આવે, તે તેને સરવાળો ત્રાણું પ્રકૃતિ થાય છે, એટલે પિંડ પ્રકૃતિ ચૌદના ત્રાણું ભેદ, પ્રત્યેક પ્રકૃતિના આઠ ભેદ અને ત્રણ દશકા તથા થાવર દશકાના દશ-દશ ભેદ. હવે આપણે ક્રમ પ્રાપ્ત ચૌદપિંડ સમૂહગત સંયુક્ત પ્રકૃતિને પ્રથમ વિચારીએ. ત્યાં પ્રથમ પિંડ પ્રકૃતિ-ગતિ આવે તેના પિટામાં ચાર પ્રકૃતિ આવે છે: દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ અને નરકગતિ. આ દરેકની સાથે નામ એટલે નામકર્મ ભેદ છે, માટે નામજી લેવું. આ ચાર ગતિ મળે પ્રથમ ગતિનામક પિંડપ્રકૃતિ થઈ. જાતિનામક બીજી નામકર્મની પ્રકૃતિના પેટામાં એકે દિય, બેઈદ્રિય, ત્રણ ઇંદ્રિયવાળા, ચાર ઈદ્રિયવાળા અને પાંચ ઇંદ્રિયવાળા સર્વ જીવોને સમાવેશ થાય છે. ત્વચા (સ્પર્શ કરનાર–ચામડી), સ્વાદ લેનાર જીભ, સૂંઘનાર નાક, દેખનાર આંખે અને અવાજ સૂણનાર શ્રોત્ર (કાન) એ અનુક્રમે પાંચ ઇંદ્રિયે છે. એમાં એકે દ્રિયને પ્રથમની એક સ્પશેન્દ્રિય જ હોય, બે ઇંદ્રિય જીને સ્પર્શ ઉપરાંત જીભ હોય; તેઈદ્રિય જીને સ્પર્શ, જીવા ઉપરાંત નાસિકા હેય, તે છ દા.ત., ગળા, માંકડ, જૂ વગેરે. ચૌરિન્દ્રિય જીવોને ત્રણ ઉપરની ઇદ્રિ ઉપરાંત જેવાની આંખ હોય છે, એમાં વીંછી, તીડ, માખી વગેરે અને સમાવેશ થાય છે. અને પંચંદ્રિય જીને સ્પર્શ, જિહુવા, નાસિકા, આંખ અને કાન એમ મળીને પાંચ ઇંદ્રિય હોય છે. આ પાંચ વિભાગીય પ્રકૃતિ સાથે અથવા પેટાવિભાગ સાથે નામકર્મ જેડવું. આ રીતે ત્રીજી પિંડપ્રકૃતિ થઈ. ચેથા પેટા વિભાગમાં શરીર નામકર્મ આવે છે. આ પિંડપ્રકૃતિના પાંચ પેટાવિભાગ છે. પ્રધાન, ઉદાર પુદ્ગળાથી બનેલાં શરીરને ઔદારિક શરીર કહેવામાં આવે છે. અનેક ક્રિયાઓ જે શરીરથી બની શકે તે “ક્રિય શરીર” આ ચેથા પેટા વિભાગમાં આવે છે. ચૌદપૂર્વધારી મુનિ તીર્થકરને સંદેહ પૂછવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy