SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમાર્ગનું જતન (૨) જૈનધર્મ પ્રત્યેની લેખકની આ કરડી નજર એમના પ્રાકૃત ભાષા અને સાહિત્ય અંગેના લખાણમાં ઠીક-ઠીક ઉગ્ર રૂપ ધારણ કરે છે. ૨૦ લેખની શરૂઆતમાં જ સંસ્કૃત અને પ્રાકૃતના ઝઘડાનો ઉલ્લેખ કરીને જાણે લેખકે સંસ્કૃતનું પદ ઊંચું રાખવાનું બીડું ઝડપ્યું હોય તે રીતે, સંસ્કૃત સાહિત્યની મહત્તા અને પ્રાકૃત સાહિત્યની અલ્પતાનું વિધાન કર્યું છે. પણ જૈનોએ આ બે ભાષાઓ વચ્ચે કદી હરીફાઈ માની નથી; એટલું જ નહીં, પણ એ બંને ભાષાઓને પોતપોતાની રીતે વિકસવા દેવામાં પોતાનો પૂરેપૂરે સહયોગ આપ્યો છે એ વાત જૈન સાહિત્યના ઇતિહાસના અભ્યાસીઓના ખ્યાલમાં તરત જ આવી જાય એવી છે. લેખક એક સ્થળે લખે છે : “કેટલુંક સાચું પ્રાકૃત સાહિત્ય જૈનો તરફથી આજે મળે છે.’' આમાં લેખકે ‘સાચું' વિશેષણ વાપરીને ‘ખોટા’ પ્રાકૃત સાહિત્યનો નિર્દેશ આડકતરી રીતે કર્યો છે તે તેમના અંતરની પ્રાકૃત પ્રત્યેની વૃત્તિ ઉપર સારો એવો પ્રકાશ પાડે છે. વળી આગળ લેખક લખે છે : “પ્રાકૃત સાહિત્યના વિદ્વાનો પ્રાકૃત પ્રત્યેના તેમના પ્રેમને કારણે પ્રાકૃત સાહિત્યમાંનાં સાહિત્યતત્ત્વોનો અતિશયોક્તિભર્યો ખ્યાલ આપી દે છે.’’ આનો અર્થ તો એ થયો કે પ્રાકૃત સાહિત્યના વિદ્વાનોનો અભિપ્રાય ખોટો અને પ્રાકૃતમાં થોડોક ચંચુપાત કરનાર લેખકનો અભિપ્રાય વજૂદવાળો; કેવી અજબ વાત ! પ્રાકૃત સાહિત્યમાં ઉચ્ચ સાહિત્યતત્ત્તો ન જ હોઈ શકે એવો પાકો અભિપ્રાય બાંધીને જ લેખકે પ્રાકૃતભાષાની મુલવણી કરવાનું કામ આરંભ્યું છે, અને છતાં તેઓ પોતાને પૂર્વગ્રહથી મુક્ત અને તટસ્થ રીતે જોનાર સત્યપ્રિય તરીકે ઓળખાવે છે એ ભા૨ે ગમ્મતની વાત બની છે. એક માત્ર જૈન સંપ્રદાયને હલકો પાડવાના આવેશમાં લેખકે પોતાની જાતને કેવી ખરાબ રીતે રજૂ કરી છે ! લેખકને પ્રાકૃત સાહિત્યમાં ઉચ્ચ સાહિત્યતત્ત્વ હોવા સામે જેટલો વાંધો છે, તેટલો જ વાંધો એમને પ્રાકૃત સાહિત્યને ઇતિહાસના પ્રમાણભૂત સાધન તરીકે સ્વીકારવા સામે છે. પણ આ તો પાડાના વાંકે પખાલીને મારવા જેવી વાત થઈ ! વિદ્વાનો પ્રાકૃત ગ્રંથોનું ઐતિહાસિક મહત્ત્વ સ્વીકારે એમાં પ્રાકૃત સાહિત્યનો પોતાનો શો દોષ ? અને વળી જૈન શ્રીમંતોની મદદથી જૈન સાહિત્યના કેટલાક ‘ત્રીજી કોટિના’ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથો પ્રગટ થાય તે વાત પણ લેખકને અણગમતી થઈ પડી છે. આ વાત પણ કોઈના વાંકે કોઈને સજા કરવા જેવી ગણાય. જૈનેતર સાહિત્યના પ્રથમ કોટિના ગ્રંથો મદદના અભાવે પ્રગટ ન થાય એ પણ જૈનોનો અને જૈન સાહિત્યનો વાંક ? પણ જો લેખક મહાશયને એ વાતનો ખ્યાલ હોત કે અનેક જૈન વિદ્વાનોએ જૈનેતર સંસ્કૃત ગ્રંથો ઉપર અપૂર્વ એવી ટીકાઓની રચના કરીને એ મૂળ ગ્રંથોનું ગૌ૨વ વધા૨વામાં પોતાનો કીમતી ફાળો આપ્યો છે, તો તેઓ આવું દ્વેષીલું લખાણ લખતાં પહેલાં હજાર વાર વિચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy