SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર્મિક દ્રવ્ય : ૩ એટલે દેવદ્રવ્યને નામ એકત્ર થતા પૈસાનું પણ સુરક્ષિત અને મહાદોષની પોષક ન હોય એવી અનામતોમાં રોકાણ ક૨વામાં કોઈ દોષ માનવામાં આવતો નથી, અને આવાં રોકાણો અવારનવાર થતાં જ રહે છે. ગયા વર્ષે પાકિસ્તાને હિંદુસ્તાન ઉપર આક્રમણ કર્યું, ત્યારે દેવદ્રવ્ય ગણાતા સોનાનું રોકાણ સરકારી સુવર્ણબોન્ડોમાં કરવાનો સવાલ ઊભો થયો હતો; અને એ વખતે પરસ્પરવિરોધી મંતવ્યો આપણા શ્રમણસમુદાય તરફથી દર્શાવવામાં આવ્યાં હતાં. આમ છતાં દેવદ્રવ્યનું સોનું નોંધપાત્ર અથવા સંતોષકારક પ્રમાણમાં સુવર્ણબોન્ડોમાં આપીને જૈનસંઘે પોતાના રાષ્ટ્રકર્તવ્યનું પાલન અને પોતાના ગૌરવનું જતન કર્યું હતું. એક વાર દેવદ્રવ્યના રોકડ નાણાનું સરકારી કે બેંકોની સલામત અનામતોમાં રોકાણ કરીને એનાથી વ્યાજ ઉત્પન્ન કરવાના સિદ્ધાંતનો સ્વીકાર અને અમલ કરવામાં આવે, તો પછી એ જ નાણાનું રોકાણ જૈન કોમ માટે મકાનો બાંધવા જેવાં જરૂરી કામોમાં કરીને એના ભાડા દ્વારા કાયમી આવક કરવામાં આવે તો એમાં શો વાંધો ૨૭૭ એવો સવાલ આપમેળે જ ઊભો થાય છે. આજે મકાનોની જે તીવ્ર તંગી પ્રવર્તે છે અને મધ્યમ, સામાન્ય કે ગરીબ જૈન કુટુંબોને મકાનો અંગે જે અસહ્ય આર્થિક ભાર અને અસાધારણ હાડમારી ભોગવવી પડે છે, એને લીધે આવો સવાલ ઊભો થાય એ સ્વાભાવિક છે. - મુંબઈની કચ્છી દશા-ઓસવાળ જૈન જ્ઞાતિ હસ્તકનાં દેવદ્રવ્યનાં નાણાંનું રોકાણ જ્ઞાતિ માટેનાં મકાનોમાં કરવાનો સવાલ ઊભો થયો, અને એમાં રોકાણ કરવાની તરફેણને વિશેષ આવકાર મળ્યો હોય એમ કચ્છી-દશા-ઓસવાલ પ્રકાશ-સમીક્ષા' માસિકના ગત જુલાઈ માસના અંકના પહેલા પાને પ્રગટ થયેલ નીચેના લખાણ ઉપરથી માલૂમ પડે છે : “જ્ઞાતિએ એક બાબતનો જવાબ ખૂબ સજ્જડ, સચોટ ને સ્પષ્ટ રીતે આપ્યો છે — તે એ છે કે દેવદ્રવ્યની મિથ્યા વાતોમાં એમને રસ નથી. સાધારણખાતામાં દેવદ્રવ્ય લઈ જઈ કે અન્ય રીતે પણ એનો ઉપયોગ કરી, જ્ઞાતિને એ પૈસો દાનમાં ટ્રસ્ટીઓ આપી રહ્યા છે એવો પ્રચાર વજૂદ વગરનો છે. જો દેવદ્રવ્ય બેંકોમાં ને સિક્યોરીટીમાં રોકાતું હોય, ને તેનું વ્યાજ ઉત્પન્ન થતું હોય, ને બેંકો, સુધરાઈઓ તથા રાજ્યો પોતાની ઇચ્છામાં આવે તે રીતે મજકુર રકમનો ઉપયોગ કરી શકતાં હોય, ને તેમાં દેવદ્રવ્યને બાધ ન આવતો હોય તો જ્ઞાતિ માટે મકાન-બાંધકામ કરી, ૨કમનું વિશેષ વ્યાજ ભાડા દ્વારા ઉપજાવી, ટ્રસ્ટની સ્થાયી મિલકતો વધારવામાં કાં બાધ આવે છે તે ન સમજાય તેવી વાત છે. આમાં જ્ઞાતિને પૈસા આપવાની કે દેવદ્રવ્ય વેડફવાની વાત ક્યાં આવી ? આપણે ઇચ્છીએ કે દેવદ્રવ્યની વાતો કરનાર બંધુઓ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy