SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ સ્નેહતંતુના તાણાવાણા સેહામણું ફૂલ ખીલે છે, બધે સૌરભ પ્રસરાવે છે અને સૌને આહલાદ આપે છે. એ કંઈ એમ ને એમ ખીલી નીકળતું નથી; ધરતીના. પેટાળમાં બીજ રોપાય છે. એને ખાતર, પાણી અને કુશળ માળીની માવજતને લાભ મળે છે. કાળ પાકે છે, અને ફૂલ અવતાર ધારણ કરે છે. જેવું ફૂલ એવું જ જીવન. જીવનને વિકાસ કે જીવનનું પતન એ કંઈ અકસ્માત. બની જતી ઘટના નથી. એનાં પણ અનેક કારણે હોય છે. અને કાળના પરિપાકને પણ એમાં મેટો હિરો હોય છે. - ગૌતમસ્વામી મહાવીરસ્વામીને સમર્પિત થયા અને મહાવીરસ્વામીએ ગૌતમસ્વામીને પિતાના બનાવી લીધા, એ કેવળ એ બે વચ્ચેના વાર્તાલાપનું જ શુભ પરિણામ કેઈને લાગે, પણ ખરી રીતે એમની વચ્ચેના આ સ્નેહતંતુના છેડા કેઈ જુગ જુગ જૂના કાળ સુધી લંબાયેલા દેખાય છે. કાળના એ અનંત મહાસાગરમાં જરાક ડૂબકી મારીએ. (૧) મરીચિના શિષ્ય ભગવાન ઝષભદેવ. સૌના માનીતા આદિનાથ. જીવનસંસ્કૃતિના પ્રથમ સ્થાપક. આ અવસર્પિણ કાળના ભરત ક્ષેત્રના પ્રથમ પતિ, પ્રથમ ત્યાગી–ભિક્ષુ અને પ્રથમ તીર્થંકર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001040
Book TitleGuru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1975
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy