SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ २७ ભગવાનનુ મેાક્ષગમન છેલ્લે ચામાસુ` ભગવાન પાવાપુરીમાં રહ્યા હતા. ચૈામાસાના સાડા ત્રણ માસ જેટલે સમય વીતી જવાની તૈયારીમાં હતા. ભગવાને કાળનાં એંધાણુ પારખી લીધાં હતાં; અને ગૌતમની સિદ્ધિ માડેના નાને સરખા અવરોધ દૂર કરવા એમને બીજે ગામ માકલી દીધા હતા. 1 આયુષ્યના દરને સંકેલી લેતાં લેતાં પણ લેાકકલ્યાણની ભાગીરથીને વહાવી જવા માટે લેાકના હિતકારી શ્રમણ ભગવાન મહાવીરે, એ દિવસના ઉપવાસનું તપ કરીને, અખંડ ધારાએ અંતિમ દેશના આપવાની શરૂઆત કરી. એ દેશનામાં ભગવાને પાપનાં ફળે, પુણ્યનાં કળા અને બીજા પણ અનેક ઉપકારક પ્રશ્નોનું નિરૂપણ કર્યું. પ`દા ભગવાનની એ વાણીને એકાગ્ર ચિત્ત, અંતરના કચેાળામાં, ભાવ-ભક્તિપૂર્વક ઝીલી રહી. ભગવાનની એ છેલ્લી ધ પદામાં અનેક વિશિષ્ટમાન્ય વ્યક્તિઓ તથા કાશી-કાસલના નવ લીચ્છવી અને નવ મલ્લીકી (મલ્લ્લા) મળીને અઢાર રાજાએ પણ ઉપસ્થિત હતા. કાળની ઘડીમાંથી જેમ જેમ સમયની રેતી સરતી જતી હતી, તેમ તેમ ભગવાનના મહાનિર્વાણુની ઘડી નજીક આવી રહી હતી. શ્રીજી તરફથી આકાશમાં ભસ્મક ગ્રહના ચેાગ થવાની તૈયારી હતી. શકેન્દ્રે એ ચેાગને કારણે પ્રવચન ઉપર થનારી માઠી અસરથી પ્રભુશાસનને ઉગારી લેવા માટે ભગવાનને વિનતિ કરી : “ભગવાન ! આપ આપના આયુષ્યને કેવળ પળવાર જેટલુ જ લાંબુ કરે તે, એટલી વારમાં, આ ગ્રહુ શાંત થઈ જશે અને આપનું શાસન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001040
Book TitleGuru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1975
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy