SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ - ગુરુ ગૌતમસ્વામી ત્રણ કાળ પાકે અને પાંદડું પાકું–પીળું થઈ સહજભાવે ખરી પડે. આયુષ્યનું પણ એવું જ સમજવું–વહેલાં કે મેડાં એ પૂરું થાય જ થાય. સમય પાડ્યો અને તિર્માલી દેવના જીવે સ્વર્ગલોકને તજીને મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં વૈતાઢયની વેગવતી નામની નગરીમાં વિદ્યાધરના રાજા સુવેગના પુત્રરૂપે જન્મ લીધે. એનું નામ હતું વેગવાન. સુધર્મા શેઠને જીવ, વિષય-વાસનાના ફળરૂપે, પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં ધનવંતી વિજયમાં તરંગિણી નગરીમાં ધનદેવ વ્યવહારિયાની પત્ની ધનવતીની કુક્ષિથી પુત્રીરૂપે અવતર્યો. એનું નામ ધનમાલા. વિદ્યાધરના રાજા સુવેગને ધીસખા નામે મંત્રી હતા. એ શાણે, બુદ્ધિશાળી અને ધર્મપરાયણ હતે. વેગવાન વિદ્યાધરે, પોતાની કુળ પરંપરાની રીત પ્રમાણે, તપ અને વિધિપૂર્વક વિદ્યાસાધના કરીને બળ, બુદ્ધિ અને પરાક્રમ ખીલવીને યુવરાજ પદ પ્રાપ્ત કર્યું હતું. આ તરફ ધનમાલા પણ રૂપ-લાવણ્યવતી અને અનેક વિદ્યા-કળાઓમાં નિપુણ બની હતી. ' એક વાર વેગવાન આકાશ માગે ફરતે હતે, એવામાં એની નજર ધનમાલા ઉપર પડી. એનું રૂપ-લાવણ્યથી શોભતું યૌવન જેઈને વેગવાન એના ઉપર આસક્ત થયો અને એનું અપહરણ કરીને એને પોતાની નગરીમાં ઉપાડી લાવ્યો. પણ ધનમાલા એની સાથે લગ્ન કરવા તૈયાર ન થઈ; એ માટેના વેગવાનના બધા પ્રયત્ન એળે ગયા અને વેગવાન ખાવાપીવાનું છોડીને હરાયા ઢોર જેવો બની ગયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001040
Book TitleGuru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1975
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy