SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ નિશ્ચિત થતું નથી.] ૧૪પ. સિંહસેનનું “મેહેસરચરિઅ” (“મેઘેશ્વરચરિત) હજુ અપ્રકટ છે. તેને આદિપુરાણ' પણ કહેવામાં આવ્યું છે, દરેક સંધિને છેવટે “મહાભવ્ય-એમસી-સાહુણામંકિએ” એમ જણાવેલું છે તે પરથી જણાય છે કે તે ચરિત ખેમસિંહ યા ખેમરાજ માટે લખ્યું છે, કવિનું બીજું નામ રધૂ હતું. તે હરસિંહ સિંધઈનો પુત્ર અને ગુણકીતિશિષ્ય યશકીર્તિનો શિષ્ય હતો. આ યશકીર્તિ ગ્વાલિયરમાં ઈ.સ.૧૪૬૪ (સં. ૧૬૨૧)માં રાજ કરતા તોમર વંશના કીર્તિસિંહ રાજાના સમયની આસપાસ વિદ્યમાન હોવાનું જણાયું છે તેથી સિંહસેન યા રઈધૂએ પણ તે જ સમય આસપાસ આ ગ્રંથ રચ્યો હોવો જોઈએ. પોતાના ગ્રંથમાં તેમણે ગુણાકર, ધીરસેન, દેવનંદિ, જિનવરસેન, રવિષેણ, જિનસેન, સુરસેન, દિનકરસેન, સ્વયંભૂ, ચૌમુહ અને પુષ્ફયંત (પુષ્પદંત)નો ઉલ્લેખ કરેલ છે. ૧૪૬. રઈધૂએ એક બીજું નાનું કાવ્ય “દહલખ્ખણુ-જયમાલ” (દશલાક્ષણિકજયમાલા') રચ્યું છે. તેમાં સર્વ મળી ૬૮ અપભ્રંશ ગાથાઓ છે – જૈન ધર્મના દશ પૈકી દરેક લક્ષણ પર ૬થી ૭ આપી છે. રઈધૂની આ બંને કૃતિઓ સિદ્ધ કરે છે કે અપભ્રંશ ભાષા વિ.સં. ૧૬મા સૈકા સુધી દિગંબર જૈનોમાં પણ સાહિત્યના વાહન તરીકે ચાલુ હતી. આ નાના કાવ્યનો અંતભાગ આ છે : બાહિરફરેંદિય-સુહ રબ્બતુ, પરમ-ખંભુ અદ્ભુતર વિખહુ, એણ ઉવાએ લબ્બઈ સિવહરુ, ઈમ રઈધૂ બહુ ભણઈ વિણાય. જિણશાહ મહિજ્જઈ મુણિ પણમિર્જાઈ, દહ લખણુ પાલિયઈ શિર, ભો એમસીંહસુય ભવ્વ વિયજુય, હોલુ વ મણ ઈહ કરહુ થિરુ. ઇય કાઉણ ણિજ્જર, જે હણંતિ ભવપિંજરે, નીરોય અજરામર, તે લહતિ સુખે પરં. જેણ મોકખું ફલુ તે પાવિજ્જઈ, સો ધમૅગો એવહુ કિજ્જઈ, ખમ ખમ્માયલું તુંગય દેહઉ, મઉ પલ્લી અર્જાઉ સાહ8. સચ્ચ સઉચ્ચ મૂલ સંજમ દલુ, દુવિહ મહાતવ શવ કુસુમાઉલ, ચઉવિહ ચાઉ પસારિય પરમલ, પીણિય ભવ્વલોપ-છપ્પઈયલુ. દિયસંદોહ-સદ્કલ-કલયલુ, સુરણર વર ખેયર સુહ સયફલુ, દીણાસાહ દીહ સમણિગ્રહુ, સુદ્ધ સોમ તણુ મત્ત પરિગ્નહુ. બંભચેરુ છાયાઈ સુહાસિલ, રાયહંસ-નિયરેહિ સભાસિલે, એહઉ ધમ્મ-રુખ લાખિજ્જઈ, જીવદયા વયણહિ રાખિજ્જઈ. ઝાણઝાણ ભલાઉ કિજ્જઈ, મિચ્છામયી પવેસ ણ દિજ્જઈ, સીલસલિલ ધારહિ સિંચિજ્જઈ, એમ પયત્તે બડૂઢારિજ્જઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001039
Book TitleJain Gurjar Kavio Part 10
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages259
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy