SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ગૂર્જર કવિઓ : ૯ જન્મ સં.૧૭૩૨, નામ ખીમસી. સં.૧૭૩૯માં પાલીમાં વિજય રત્નસૂરિ પાસે દીક્ષા. સં.૧૭પ૬માં પંન્યાસપદ. આચાર્યપદ ઉદયપુરમાં મહારાણા સંગ્રામસિંહની હાજરીમાં સં.૧૭૭૩ ભાદરવા સુદિ ૮ મંગળને દિને વિજયરને આપ્યું. તે વખતે દેવવિજય, લબ્ધિવિજય અને હિતવિજયને પાઠકપદ (ઉપાધ્યાયપદ) અપાયાં. આ ઉત્સવમાં ઉદેપુર-સંઘે વીસ હજાર ખર્મા. મહા સુદ ૬ દિને પદમહોત્સવ ઉદયપુરના સંઘે કર્યો તે વખતે ત્રણસો સાધુઓને પંન્યાસપદ અપાયું. (જુઓ નિણંદસાગરકૃત વિજયક્ષમાસૂરિનો લોકો) સં.૧૭૮પમાં દીવમાં સ્વર્ગવાસ. [જ્ઞાતિ ઓસવાલ. દીક્ષાનામ ખિમાવિજય. સ્વર્ગવાસ સં.૧૭૮૪ ચૈત્ર સુદ ૧૩ના રોજ માંગરોલમાં થયો એમ અન્યત્ર નોંધાયું છે.] ૬૪. વિજયદયા ઃ સૂરિપદ દીવબંદરે સં.૧૭૮૫. માંગરોળમાં પાટ પર સ્થપાયા. સૂરતમાં ૧૪ (કોઈ ૯ કહે છે) ચોમાસા કર્યા. સ્વર્ગવાસ સોરઠના ધોરાજીમાં સં.૧૮૦૯ વૈશાખ વદ ૭. ત્યાં શૂભ કરવામાં આવ્યો. પ્રતિષ્ઠાલેખ સં.૧૭૮૫-૯૫, બુ.૧; ૧૭૮૮-૮૫૯૫?], ગે.રે. સૂિરિપદ સં.૧૭૮૪ મહા સુદ રના રોજ, ભટ્ટારકપદ માંગરોળમાં સં.૧૭૮૪ ચૈત્ર સુદ ૯ના રોજ તથા સ્વર્ગવાસ માસ ચૈત્ર એવી માહિતી પણ મળે છે.] ૬૫. વિજયધર્મ : જન્મ મેવાડના રૂપનગરમાં ઓસવાલ પ્રેમચંદ સુરાણાને ત્યાં માતા પાટમદેથી થયો. સં. ૧૮૦૩માં માગશર શુદિ પને દિને ઉદેપુરમાં આચાર્યપદ, સં.૧૮૦૯માં મારવાડના કછોલી ગામમાં (આબુ પાસે) ગચ્છનાયકપદ. સં. ૧૮૨૬માં સૂરતના વાસી કચરાભાઈ તારાચંદે સિદ્ધચલ-શત્રુંજય પર આચાર્ય પાસે ઘણાં જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. તેમણે ભુજનગરના અધિપતિના અન્યાય મટાડી લાવી તેને જિનમાર્ગ પર લાવી રક્ત અને મદ્યમાંસનો ત્યાગ કરાવ્યો હતો. સં.૧૮૪૧ માર્ગશીર્ષ વદિ ૧૦ દિને મારવાડના બલંદા ગામમાં સ્વર્ગવાસ. સં.૧૮૪૧ મેડતા મધ્યે ભંડારી ભવાનદાસે બે સહસ્ત્ર ખરચી નિર્વાણમહોત્સવ કર્યો હતો. પ્રતિષ્ઠાલેખ સં. ૧૮૦૮, ના.૨; ૧૮૨પ-૨૮-૩૯, બુ.૧. [કચ્છનરેશને મદ્યમાંસનો ત્યાગ કરાવ્યાનું વર્ષ સં.૧૮૨૭.] ૬૬. વિજયજિનેન્દ્ર ઃ મારવાડમાં શુદ્ધદંતિ(સોજત)માં જન્મ સં. ૧૮૦૧. મેતા હરખચંદ પિતા, ગમાનબાઈ માતા. દીક્ષા સં.૧૮૧૭. સૂરિપદ સં. ૧૮૪૧ માગસર સુદિ પ અને પાટ પર સ્થપાયા. માગસર સુદ ૧૦ દિને ભટ્ટારકપદ, જેતારણ મધ્યે સૂરિમંત્રારાધન. સૂરતના મોદી પ્રેમચંદ લવજીએ વિજયધર્મસૂરિના ઉપદેશથી સિદ્ધાચલ પર બાંધેલા બાવન જિનાલય મંદિરમાં અનેક જિનબિંબોની પ્રતિષ્ઠા કરી સં.૧૮૪૩ માઘ સુદિ ૧૧, વિહારમાં પ્રતિષ્ઠા સં.૧૮૪૫, પાટણમાં સહસ્ત્રકૂટ આદિ બે હજાર બિંબની પ્રતિષ્ઠા સં.૧૮૫૭ માઘ સુદિ ૭ વગેરે અનેક સ્થલે પ્રતિષ્ઠા કરી. સ્વ. .૧૮૮૪ પોસ વદિ ૧૧ સિરોહીમાં. તેમના પ્રતિષ્ઠાલેખો સં.૧૮૪૫, ના.૧; સં.૧૮૪૮-૭૩-૭૬-૮૦, ના.૨; ૧૮૪૫-૫૪-૬૧-૭૩, બુ.૧; ૧૮૪૩-૪પ-૬૦, ગે.રે. સિં. ૧૮૭૫માં શત્રુંજય તીર્થ પર જિનેન્દ્ર ટૂંકની સ્થાપના કરી. સં.૧૮૭૭માં ત્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy