SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રદ્ધાંજલિ (પૂ. બા મહારાજની સંક્ષિપ્ત જીવનરેખા). પોપટલાલ ભાયચંદના ધર્માત્મા ધર્મપત્ની બેની બહેનની કુક્ષિથી ઝીંઝુવાડામાં જન્મ થયો અને તેમનું મણિબહેન નામ રાખવામાં આવ્યું. તેમના પિતાશ્રીએ તેમનુ છબલ એવું હુલામણું નામ પાડયું હતું. લગભગ ૧૬ વર્ષની ઉંમરે તેમનું બહુચરાજી તથા રાંતેજ તીર્થ પાસે દેથળી ગામના મૂળ વતની પરંતુ માંડલમાં રહેતા પિતાશ્રી મોહનલાલ જોઈતારામ તથા માતા શ્રી ડાહીબહેન ડામરસીભાઈના સુપુત્ર ભોગીલાલભાઈ સાથે લગ્ન થયું. તે પછી વિક્રમ સંવત્ ૧૯૭૯ મહા સુદિ ૧ શુક્રવાર તા. ૧૮-૧-૧૯૨૩ના દિવસે એક પુત્રની પ્રાપ્તિ થઈ કે જેનો જન્મ તેના મોસાળ ઝીંઝુવાડામાં થયો હતો. તે પછી લગભગ બે વર્ષમાં જ બ્રહ્મચર્ય વ્રતનો બંને પતિ-પત્નીએ સ્વીકાર કર્યો. ત્યાર પછી વિક્રમ સંવત્ ૧૯૮૮ જેઠ વદિ ૬ શુક્રવાર, તા. ૨૪-૬-૧૯૩૨ના દિવસે ભોગીલાલભાઈએ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજ પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી અને તેઓશ્રીના પટ્ટાલંકાર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજય મેઘસૂરીશ્વરજી મહારાજના શિષ્ય થયા. તેમનું નામ મુનિરાજ શ્રી ભુવનવિજયજી મહારાજ રાખવામાં આવ્યું. તે પછી વિક્રમ સંવત્ ૧૯૯૩ વૈશાખ સુદિ ૧૩, શનિવાર તા. ૨૫-૫-૧૯૩૭ના દિવસે રતલામમાં પુત્રે પણ ભાગવતી દીક્ષા લીધી અને તેમનું નામ મુનિશ્રી જંબૂવિજયજી રાખવામાં આવ્યું. તે પછી વિક્રમ સંવત્ ૧૯૯૫ મહાવદિ બારસે, તા. ૧૫-૨-૧૯૩૯ બુધવારે મણિબહેનની પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના હાથે અમદાવાદમાં દીક્ષા થઈ અને તેમનાં જ સંસારી મોટાં બહેન પૂજ્ય સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજ (સરકારી ઉપાશ્રયવાળા) નાં શિષ્યા થયાં અને તેમનું નામ શ્રી મનોહરશ્રીજી રાખવામાં આવ્યું. દીક્ષા લીધા પછી જ્ઞાનાભ્યાસ તથા તપ-તપની આરાધના કરતાં તેઓ અનેક દેશોમાં વિચર્યા છે. તેમણે સમેતશિખરજી આદિ અનેક તીર્થોની યાત્રા કરી છે તથા શ્રી સિદ્ધગિરિરાજની નવ વાર નવાણું યાત્રા કરી છે. માસક્ષપણ, સોળભતું, સિદ્ધિતપ, અનેક અઠ્ઠાઈઓ, ચત્તારિ-અઢ-દસ-દોય, સમવસરણ તપ, સિંહાસન તપ, વીશસ્થાનક તપ, પાંચવાર વર્ષીતપ, વર્ધમાન તપની ૬૦ ઓળી આદિ વિવિધ તપશ્ચર્યાઓ તેમણે કરી છે. તેમનો શિષ્યા પરિવાર સાધ્વીજી શ્રી સૂર્યપ્રભાશ્રીજી મહારાજ, આત્મપ્રભાશ્રીજી મ. તથા સુલભાશ્રીજી મ. વગેરે લગભગ ૪૫ જેટલો છે. તેમની પાછલી ઉંમરમાં તેમના વિનીત શિષ્યા પરિવારે તથા તે તે ગામોના સંઘોએ તેમની અપ્રતિમ અદ્દભુત સેવા કરી છે. તે પણ ઘણાં જ ઘણા ધન્યવાદના અધિકારી છે. તેમની તબિયત અસ્વસ્થ છે, એમ સાંભળતાની સાથે જ અનેક ગામોના સંઘો હાજર થઈ ગયા હતા. સ્વર્ગવાસ થયા પછી એમની અંતિમયાત્રાની ભવ્ય ઉજવણી માટે સાગરગચ્છાધિપતિ પૂ. આ. મ. શ્રી સૂર્યોદયસાગરસૂરીશ્વરજી મહારાજ આદિ અનેક આચાર્ય ભગવંતો તથા પ.પૂ.શ્રી અશોકસાગરજી મ., પં.શ્રી સોમચંદ્રવિજયજી મ. તથા મુનિરાજશ્રી ભાગ્યેશવિજયજી મહારાજ આદિ અનેક મુનિ ભગવંતોના પૂર્ણ સહકાર તથા સલાહ-સૂચન આદિ પ્રમાણે ભવ્ય તૈયારી કરવામાં આવી. પોષ સુદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001029
Book TitleAgam 03 Ang 03 Sthananga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2004
Total Pages588
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, & agam_sthanang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy