SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ શ્રીમાન્ મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર પૂજ્યપાદ પરમગુરૂ પન્યાસજી મહારાજ શ્રીમાન્ િિવજયજી ગણી દાદા ! અલ્પ સમય પહેલાં આપ સાહેબ એક મહાવિભૂતિસ્વરૂપે સિદ્ધ હતા; એ સુવિશ્રુત છે. ઓગણીસમી સદીનો પાછલો સમય ત્યાગ ધર્મ માટે ઘણી કટોકટીનો હતો. એ સમયે પારમેશ્વરી પ્રવ્રજ્યા-ધર્મની દીક્ષા અંગીકાર કરવા માટે કોઈક જ તૈયાર થતું હતું. અને અંગીકાર કરીને પણ કોઈ વિરલાજ તેમાં અણીશુદ્ધ રહી શકતા હતા. એ સમયે નિગ્રંથ ત્યાગીઓની સંખ્યામાં જબ્બર ધસારો પહોંચી રહ્યો હતો હજારો અને સેંકડોમાંથી તુટેલી સંખ્યા આંગળાના વેઢા ઉ૫૨ આવી રહી હતી. કે તપોવી ! ગુરૂવર્ય !! ચિંતા અને પડતીના આવા ઝઝુમી રહેલા સમયમાં આપનો જન્મ અને આપની દુષ્કર દીક્ષા થઈ હતી પોતાના અજબ ત્યાગ અને કર્તવ્ય પરાયણતા તથા કષ્ટ સાધ્ય વિહારોથી શ્રી જિનશાસનનો તેજસ્વી દીનમણિસૂર્ય ઉદયાચળ ઉપર સ્થિર છે. એ આપના પુણ્ય તેજે સ્થળે સ્થળે બતાવી આપ્યું છે. આજે સેંકડો શિષ્યોના આપ પિતામહ છો. દુર્ભાગ્યોદયે આપની પ્રત્યક્ષ ચરણસેવા તો મને અલભ્ય છે છતાં, આ એક લઘુપુષ્પ આપ સદ્ગુણરત્નાકરના શરણે ચઢાવું છું. Jain Education International આપશ્રીનો પાદપદ્મમધુકર શિશુ મનોહર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001027
Book TitleAgam 03 Ang 03 Sthananga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2003
Total Pages828
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, & agam_sthanang
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy