SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ શ્રીમાનું મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર છે. એમણે ભાવનગરમાં ૧૯ અને અમદાવાદમાં ૧૨ ચોમાસાં કર્યા હતા. શારીરિક સ્થિતિ રોગગ્રસ્ત હોવાથી ભાવનગરમાં વિશેષ રહેવાનું થયું હતું. કુલ ૪૧ વર્ષ દીક્ષા પર્યાય પાળી સંવત ૧૯૪૯ ના વૈશાખ સુદ સાતમે ભાવનગરમાં કાળધર્મ પામ્યા. એમના અગ્નિસંસ્કારના સ્થાને એમની પાદુકા સ્થાપન કરવામાં આવી છે. (૩) નીતિવિજયજી, એમનો જન્મ સુરતમાં થયો હતો. એમનું નામ નગીનદાસ હતું. એમણે ૧૯૧૩ માં ભાવનગરમાં મુનિવર્યશ્રી મુળચંદજીના હાથે દીક્ષા લીધી અને બુટેરાવજીના શિષ્ય થયા. એ પણ મહા પ્રતાપી હતા. કાવ્યશક્તિ પણ સારી હતી. ઉપદેશ શૈલી એવી અસરકારક હતી જે એમની પાસે આવેલો મનુષ્ય અવશ્ય વૈરાગ્ય પામે. એમણે સંવત ૧૯૨૨ માં ડીસામાં એકી સાથે પાંચ શ્રાવકોને દીક્ષા આપી હતી તથા વ્રત નિયમો પણ એમણે બહુ કરાવ્યા હતા. એમના હાલ વિદ્યમાન શિષ્ય મુનિવર્યશ્રી સિદ્ધિવિજયજીનો પણ વૈરાગ્ય, શાંતિ અને ઉપદેશ શૈલી બહુ ઉપકારી છે. અતિ વૃદ્ધાવસ્થા છતાં પણ અપ્રમત્તભાવને દર્શાવતું એમનું વર્તન અનુકરણીય છે. મહારાજશ્રી નીતિવિજયજી વૃદ્ધાવસ્થામાં ખંભાતમાં વિશેષ રહ્યા હતા. એમના શિષ્ય પ્રશિષ્યો પણ સારી સંખ્યામાં છે. એમના શિષ્યો ૧ વિનયવિજયજી, ૨ મોતીવિજયજી, ૩ ભક્તિવિજયજી, ૪ દોલતવિજયજી, ૫ પ્રતાપવિજયજી, હું દર્શનવિજયજી, ૭ તિલકવિજયજી, ૮ સિદ્ધિવિજયજી વિગેરે અનેક હતા. હાલમાં મુનિશ્રી તિલકવિજયજી અને સિદ્ધિવિજયજી વિદ્યમાન છે અને મુનિશ્રી વિનયવિજયજી અને સિદ્ધિવિજયજી નો પરિવાર વિદ્યમાન છે. સંવત્ ૧૯૪૭ ના ભાદરવા સુદિ આઠમે ખંભાત શહેરમાં તેઓ કાળધર્મ પામ્યા. (૪) ખાંતિવિજયજી (ખયરાતિમલજી) એમનો જન્મ પંજાબમાં થયો હતો. એમણે ઢંઢકમતમાં સંવત ૧૯૧૧ માં દીક્ષા લીધી હતી, અને સંવત ૧૯૩૦ માં સંવેગી મુનિવર્ય શ્રી બુટેરાવજી પાસે દીક્ષા લીધી હતી. તેઓને શાસ્ત્રબોધ સારો હતો. વૃદ્ધાવસ્થામાં અશક્ત છતાં પણ છઠ, અઠમની તપસ્યાઓ લાગલગાટ કર્યા જતા હતાં. તેઓ તપસીજીના ઉપનામથી પ્રસિદ્ધ છે. એમના શિષ્ય મુનિશ્રી મોહનવિજયજી હાલ વિદ્યમાન છે. પાલીતાણામાં ૧૯૫૯ માં એમનો સ્વર્ગવાસ થયો. (૫) આનંદવિજયજી (આત્મારામજી-વિજયાનંદસૂરિજી) એમનો જન્મ પંજાબ દેશમાં લેહરા ગામમાં સંવત્ ૧૮૯૩ ના ચૈત્ર સુદિ ૧ ને દિવસે થયો હતો. સંવત્ ૧૯૧૧ માગશર શુદિ પંચમીએ ઢંઢક મતની દીક્ષા લીધી, સૂત્રો ભણ્યા અને બુદ્ધિમાન હોવાથી અર્થ ગવેષણા કરતાં મૂર્તિપૂજાની શ્રદ્ધા થઈ એટલે શ્રાવકોને શુદ્ધ માર્ગનો ઉપદેશ દઈ મૂર્તિપૂજાના શ્રદ્ધાળુઓ બનાવ્યા એમના ઉપદેશથી લગભગ સાત હજાર શ્રાવકોએ ઢંઢક મત છોડી શુદ્ધ સનાતન જૈન મત અંગીકાર કર્યો પછી પંજાબથી વિહાર કરી ગુજરાત આવવા નીકળ્યા. માર્ગમાં મારવાડમાં મુહપત્તિ તોડી અને વિહાર કરતા બીજા પંદર સાધુ સહિત અમદાવાદ આવ્યા, ત્યાં બુટેરાવજી મહારાજ પાસે સં. ૧૯૩૧ માં સંવેગી તપાગચ્છની દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી આનંદવિજયજી નામે તેમના શિષ્ય થયા. અન્ય પંદર મુનિઓ મુનિવર્ય શ્રી આનંદવિજયજીના શિષ્યો થયા. સંવત્ ૧૯૪૩ ના કારતક વદિ પંચમીને દિવસે આનંદવિજયજીને પાલીતાણામાં સૂરિપદ મળ્યું. ત્યાર પછી તેઓ શ્રી વિજ્યાનંદસૂરિજીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001027
Book TitleAgam 03 Ang 03 Sthananga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2003
Total Pages828
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, & agam_sthanang
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy