SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય વિપ્રલંભશૃંગારની કેટલીક રચનાઓ આકર્ષક બની છે. ખાસ કરીને બાવીસમા તીર્થંકર નેમ અને રાજુલનાં પાત્રોને કેંદ્રમાં રાખી આ પ્રકારનાં પદો રચાયાં છે. એટલું જ નહીં, આખું પદ રાજુલને મુખે મુકાયું હોય એવી રચનાઓ પણ મળે છે. રહો રે રહો રથ ફેરવો રે, આવો આવો આણે આવાસ રે, જો રે હતું ઇમ જાયવું રે, કાંઈ તો કરાવી એવડી આશ રે, પીરસીને ભોજન થાળ ન તાણીયે રે, સીંચીને ન ખણીયે મૂળ રે, ખંધે ચઢાવી ભૂંઈ ન નાખીએ રે, ધોઈને ન ભરીએ ધૂળ રે. * દીઠે ભૂખ ન ભાજિયે રે, લૂખાં ન હોય લાડ રે, આવી ગયે ન પળે પ્રીતડી રે, સીંચ્યા વિણ જિમ ઝાડ રે, એહવે રાજુલડે બોલ રે, જસ ન ચલ્યું મન રેખ રે, વિનય ભણે પ્રભુ નેમજીને, નામીને થૈ નિજ વેષ રે. – વિનય મુનિ આ પ્રકારનાં પદોમાં, તીર્થંકર પુરુષરૂપ લઈને નારીરૂપ ભક્તનાં મોહ, માયા, અજ્ઞાન વગેરે દૂર કરે એવી વિનંતી મળે છે ઃ સુગુણાલા રે માહરા આતમરામ કે, પ્રાણવલ્લભ પ્રભુ માહરી, સુણી જો વિનતી રે, એક સ્વામી સાર કે, સુમતિ નારી હું તાહરી. મનમંદિર માંહી વસો, શ્રી વાસુપૂજ્ય જિમ સૂર, દૂર જાયે તિહાં થકી, જિમ મોહતિમિરનું પૂર. મનોહર લાલ લાલ હો, જેહનું જગ અધિકું નૂર, જેણે મોહ કર્યો ચકચૂર. યશોવિજયજી મન વસી મન વસી મન વસી રે, પ્રભુજીની મૂતિ માહરે મન વસી રે. જિમ હંસા મન વાહલી ગંગ, જેમ ચતુર મન ચતુરનો ચંત, માહરે મન વસી રે, પ્રભુજીની મૂરતિ માહરે મન વસી રે. રામવિજયજી (૨) ચોવીશ તીર્થંકરોનાં પદ ઉપરાંત, તીર્થસ્થાનોનું મહત્ત્વ વર્ણવતાં થોડાંક પદો મળી આવે છે. ગિરનાર, શત્રુંજય, અષ્ટાપદ, આબુજી, સમેતશિખર વગેરેને લગતાં પદો ખાસ ધ્યાન ખેંચે છે : * આંખડીએ રે આજ શત્રુંજય દીઠો, સવા લાખ ટકાનો દહાડો રે લાગે મને મીઠો. આબુ અચલ રળીઆમણો રે લો. એકેક ડગલું ભરે શત્રુંજા સ્પામું જેહ, Jain Education International વિનીતવિજય For Private & Personal Use Only — www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy