SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ ] અધ્યાત્મકલ્પમ [ ચતુશ નાના થવું, એવી અનેક પ્રકારની ક્રિયાઓ કરનાર સાત ધાતુ વિનાનું શરીર તે વૈક્રિય. તેની શરૂઆત થયા છતાં સમાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી ક્રિયમિશ્ર. ૫. વૈક્રિય–ઉપર જણાવેલું શરીર પૂર્ણ થાય એટલે તે વૈક્રિય. ૬. આહારકમિશ્ર–ચૌદ પૂર્વને જાણનારા મહાપુરુષ કેઈ સૂફમ શંકાનું નિવારણ કરવા માટે કેવળી મહારાજ પાસે મોકલવા જે શરીર તૈયાર કરે (જે કેવળ શુદ્ધ અને શુભ રૂ૫ જ હોય છે, તેની સમાપ્તિ પહેલાંની અવસ્થા. ૭. આહારક–ઉપર જણાવેલા શરીરની સંપૂર્ણ અવસ્થા. ઉપર જે સાત પ્રકારનાં શરીર જણાવવામાં આવ્યાં છે તે સંબંધી જીવને જે જે પ્રયત્ન હોય તે તે નામને યોગ સમજવો; જેમ કે આપણે અત્યારે દારિક અને તેજસ કામણને અંગે પ્રયત્નવાળા છીએ. અહીં ધ્યાન રાખવાની જરૂર છે કે તેજસ સિવાય કાર્મણ કે કામણ સિવાય તેજસ હોતું નથી–ઇત્યાદિ કારણોને લીધે તૈજસકાર્પણને શરીર તરીકે ભિન્ન ગણવા છતાં, રોગ તરીકે એકઠાં કરી એક જ ગણેલ છે. આ સત્તાવન બંધહેતુને સંવર કર્યો હોય, તે કર્મબંધની પ્રણાલિકા બંધ થાય છે અને આગળ બાંધેલાં કર્મોને ક્ષય થઈ જતાં જીવ સ્વતંત્ર અનવધિ સુખ પ્રાપ્ત કરે છે. આ અધિકારમાં ગનિષેધ અને ઇંદ્રિયદમન પર ખાસ વિવેચન કરવામાં આવશે. મિથ્યાત્વ વિષે વિવેચન આ લોકમાં થઈ ગયું છે. અવિરતિના સંબંધમાં ઈદ્રિયદમન, મને નિરોધ અને દયા માટે અગાઉ સારી રીતે લખેલું હોવાથી ખાસ વિશેષ લખવાનું નથી. કષાય માટે વિષયકષાય અધિકારમાં લખાઈ ગયું છે અને તેથી બંધહેતુઓ પૈકી ગ પર અત્ર ખાસ વિવેચન છે, તે બહુ જ મનન કરવા ગ્ય છે. (૧; ૨૩૯) મનેનિગ્રહ-તંદુલમસ્ય मनः संवृणु हे विद्वन्नसंवृतमना यतः । याति तन्दुलमत्स्यो द्राक्, सप्तमी नरकावनीम् ॥ २॥ (अनुष्टुप् ) હે વિદ્વાન ! મનને સંવર કર; કારણ કે તંદુલમસ્ય મનને સંવર કરતે નથી તે તરત જ સાતમી નરકે જાય છે.” (૨) વિવેચન-મન:સંવર-મનોનિગ્રહ અધિકાર (નવ) આ જ વિષય પર લખાયેલે છે. અત્રે વધારે સ્પષ્ટ શબ્દોમાં મનેનિગ્રહ કરવાની ભલામણ કરે છે. સર્વ યુગમાં મને ગનું ધન વધારે મુશ્કેલ છે, પણ તે તેટલું જ વધારે ફળદાયી છે. વળી, જે મનેગને નિરોધ કરવામાં આવતું નથી, અને મનને ગમે તેમ રખડવા દેવામાં આવે છે, તે તે મહા પાપબંધ કરાવે છે. તંદુલમસ્ય મનના વેગથી જ મહાતીવ્ર પાપબંધ કરે છે. એનું દષ્ટાંત શાસ્ત્ર પ્રસિદ્ધ છે. એ તંદુલમસ્ય મોટા જબરા મગરમરછાની આંખની પાંપણમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy