SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ અધ્યાત્મકપર્ફોમ [ એકાદશ ફળતી હોય, તે રાત્રિએ ઊઠીને શ્રી નેમિનાથજીને વંદન કરવા જનાર પાલકની શુષ્ક ભક્તિમાં કચાશ નહોતી, પણ ત્યાં ભાવ તથા ઉપયાગ નહાતાં. વીરા શાળવીએ અઢાર હજાર સાધુને વાંદ્યા અને શ્રીકૃષ્ણે પણ વાંઘા. જ્યારે શ્રીકૃષ્ણને મહાલાભ થયા, સાતમી નારકીને ચોગ્ય આયુષ્યનાં દળિયાં મેળવ્યાં હતાં, તે શુદ્ધ થઈ ત્રીજી નારકીને યાગ્ય થઈ ગયાં, એ અને બીજા લાભ પણ થયા; ત્યારે વીશ શાળવી બિચારા માત્ર કાયલેશ પામ્યા. એકસાથે એકસરખી ક્રિયા કરનારમાં આટલું અંતર પડી જાય છે, એનુ` કારણ ભાવ અને ઉપયાગની તીવ્રતા અને મ'દતા જ છે. વ્યવહારમાં પણ એ બાબત અનુભવસિદ્ધ છે. એક મિત્ર મળે અને સામાન્ય રીતે માં મલકાવ્યા સિવાય આપ કેમ છે ?” એમ પૂછે, તેના કરતાં ચિત્તના પ્રેમથી પૂછે, ત્યારે તેની માંની આકૃતિ પણ મલકાય છે. ચિત્તથી પ્રેમ બતાવનાર તરફ નાનું બાળક પણ ખે'ચાય છે અને શેઠના પ્રેમ વગર ગરીબ નાકર પણ બરાબર નાકરી કરતા નથી. શ્રાવકના દીકરા છીએ એટલે શરમ ખાતર દેહરે જવું જોઇએ, તેમ ધારી દેહરે જવામાં કે પૂજા કરવામાં અને પ્રભુના ગુણ ઓળખી પ્રભુને શુદ્ધ રાગથી પૂજવામાં બહુ ફેર છે. ભાવશુદ્ધિ અને તેની વૃદ્ધિ કરી, સમજણુ રાખી પાતાના અધિકાર પ્રમાણે ક્રિયા કરવી અને ખીજાં સર્વ વ્યાવહારિક અને ધાર્મિક કાર્યો પણ તે જ રીતે કરવાં એ વ્યાવહારિક મુખ્ય ઉપદેશ છે. (૧૪; ૧૬૪) * એવી રીતે અગિયારમા ધર્માંશુદ્ધિ અધિકાર પૂર્ણ થયે. એ આખા અધિકારમાં મુખ્ય ત્રણ ખાખત કહી છે. એ વિષે કાંઇ પણ એલીએ તે પહેલાં એક બાબત પર ધ્યાન ખેચવાની જરૂર છે. ઉપદેશતર ગિણીમાં કહે છે કે “નાગિલાને તજનાર ભવદેવના ભાઈ ભવદત્તની પેઠે લજ્જાથી ધમ થાય છે; મેતા મુનિને હણનાર સાનીની પેઠે ભયથી ધર્મ થાય છે; ચ'રુદ્રાચાય ના શિષ્યની પેઠે હાસ્યથી ધર્મ થાય છે; સ્થૂલિભદ્ર પર માત્સ કરનાર સિંહગુફાનિવાસી સાધુની પેઠે માત્સથી ધર્માં થાય છે; સુહસ્તિ મહારાજે પ્રતિખાધેલા વ્રમકની પેઠે લાભથી ધમ થાય છે; બાહુબલિની પેઠે હઠથી ધર્મ થાય છે; દશાણુ ભદ્ર, ગૌતમસ્વામી, સિદ્ધસેન દિવાકરની પેઠે અહંકારથી ધમ થાય છે; નામ-વિનમિની પેઠે વિનયથી ધમ થાય છે; કાર્તિક શેઠની પેઠે દુઃખથી ધર્મ થાય છે; બ્રહ્મદત્ત ચક્રીની પેઠે શૃંગારથી ધમ થાય છે; આભીર તથા આરક્ષિત આચાય ની પેઠે કીતિથી ધ થાય છે; ગૌતમસ્વામીએ પ્રતિબેાધેલા ૧૫૦૩ તાપસાની પેઠે કૌતુથી ધર્મ થાય છે; ઈલાપુત્રની પેઠે વિસ્મયથી ધર્મ થાય છે; અભયકુમાર તથા આકુમારની પેઠે વ્યવહારથી ધર્મ થાય છે; ભરત ચક્રી તથા ચંદ્રાવત ́સની પેઠે ભાવથી ધર્મ થાય છે; કીર્તિ ધર સુકાશલ વગેરેની પેઠે કુળાચારથી ધમ થાય છે; અને જંબૂસ્વામી, ધનગિરિ, વસ્વામી, પ્રસòચા તથા ચિલાતી પુત્રની પેઠે વૈરાગ્યથી ધમ થાય છે. Jain Education International * For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy