SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ ] અધ્યાત્મકલ્પદ્રુમ [ ક્રેશમ રહેશે નહિ; અને જ્યારે મન પર અંકુશ રહેશે નાંડે ત્યારે પછી બધી મહેનત લગભગ નકામા જેવી થશે; માટે ચેત, જો, જાગ્રત થા, વિચાર કર. ( ૧૪; ૧૩૮ ) પ્રમાદનું ત્યાજ્યપણુ पुराऽपि पापैः पतितोऽसि दुःखराशौ पुनर्मूढ ! करोषि तानि । मज्जन्महापङ्किलवारिपूरे, शिला निजे मूर्ध्नि गले च धत्से ॥ १५ ॥ ( उपजाति) “ હે મૂઢ ! પૂર્વે પણ પાપ વડે તુ' દુઃખના ઢગમાં પડયો છે અને વળી હજુ પણ તે જ કરે છે, મહાકાદવવાળા પાણીના પૂરમાં પડતાં પડતાં ખરેખર તું તા તારે ગળે અને મસ્તકે માટા પત્થર ધારણ કરે છે !” ( ૧૫ ) વિવેચન—પાપથી સંસારમાં ડૂબે છે અને વળી તે જ કરે છે. ડૂબતા માણસ સાથે ઘંટીનું પડ અથવા મેટા પથરા ગળે બાંધે તેા તે વિશેષ ડૂબી જાય છે અને તેનું મડદુ‘ પણ હાથ આવતુ' નથી, કારણ કે તેનેા ભાર વધારે થવાથી ઊંચા આવતા જ નથી. પાપી ડૂબતાં ડૂબતાં પણ એવાં પાપા કરે છે કે જેથી વિશેષ ને વિશેષ ડૂબતા જ જાય છે. અથ સ્પષ્ટ છે. (૧૫, ૧૩૯ ) સુખપ્રાપ્તિ અને દુ:ખનાશના ઉપાય पुनः पुनर्जीव तवोपदिश्यते, बिभेषि दुःखात्सुखमीहसे च चेत् । कुरुष्व तत्किञ्चन येन वाञ्छितं भवेत्तत्वास्तेऽवसरोऽयमेव यत् ।। १६ ।। ( वंशस्थ ) “ હે ભાઇ ! અમે તો તને વારવાર કહીએ છીએ કે તું દુઃખથી બીતા હો અને સુખની ઈચ્છા રાખતા હો તો તુ કાંઇક એવુ' કર કે જેથી વાંછિત થઈ જાય કારણ કે આ તને પ્રાપ્ત થયેલા અવસર છે ( આ તારા વખત છે).” (૧૬) વિવેચન—જ્ઞાની ગુરુમહારાજ દયાના ભડાર હાય છે. તેઆને આ જીવની દુઃખી સ્થિતિ જોઈ અત્યંત દયા આવી જાય છે, તેથી તેને બધા ઉપદેશના સાર કહે છે કે હું ભાઈ! તું અત્યારે પચે દ્રિયપણું, આ ક્ષેત્ર, મનુષ્યભવ, ધર્મ' સાધવા માટે સવ ઇંદ્રિયાની અનુકૂળતા, જૈનધમ, સત્યતત્ત્વાપદેશક ગુરુમહાજના યેાગ અને એવી એવી બીજી અનેક જોગવાઇ પામ્યા છે, માટે અમે તને ટૂંકામાં કહીએ છીએ--જે આખા શાસ્ત્રમાં કહ્યું છે તેના સાર તને અર્ધા શ્લેાકમાં કહીએ છીએ—કે તુ' કંઇક કર કે, જેથી તારું યાંછિત સફળ થાય. આ વખત તે એવું અભિનવ તપ, સયમ, ધૃતિ, વ્યવહારશુદ્ધિ વિરતિ આદિ કર કે તારે બધી ભવની પીડા મટી જાય. અત્યારના વખત એ તારા હાથમાં સેાના જેવી તક છે. આવા અવસર ફરી ફરીને આવતા નથી અને પછી ગરથ ગયા પછી-જ્ઞાન-અને વય ગયા પછી-વૈરાગ્ય વ્યથ છે. સસ્કૃતમાં એક કહેવત છે કે અવાશિમાત્ર મવેત્તાણુ, છુટા નારી પતિવ્રતા ! અશક્તિમાન હેાય તે સાધુ થઈ ને બેસે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy