SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૬૧ અધિકાર ] શાષણ અને વળી ઊલટા વિપરીત આચરણ કરી તે દુ:ખાના નાશ સારુ જરા પણ પ્રયાસ કરતા નથી. ” (૧૬) ,, વિવેચન—શત્રુઓને આંખે દેખીને પણ તેની ઉપેક્ષા કરે તે બેવકૂફ઼ જ ગણાય. તેં ચાર ગતિનાં દુઃખા અનુભવ્યાં છે, ભાગળ્યાં છે, સાંભળ્યાં છે અને હમણાં જ તારી જ્ઞાનષ્ટિ સમક્ષ રજૂ થયાં છે. આટલું છતાં પશુ તું તેને કાપી નાખવા યત્ન કરીશ નહિ તા પછી તારું ડહાપણ ફોગટનુ કહેવાશે અને તુ મૂર્ખ ગણાઇશ. (૧૬, ૧૦૭) * એવી રીતે આઠમુ દ્વાર પૂર્ણ થયુ.. પ્રથમ ભાગમાં શાભ્યાસનું ફળ ખતાવ્યુ, તેમાં જે પ્રાણી અભ્યાસાનુસાર વર્તન કરતા નથી તે ચતુ`તિમાં ૨૫ડે છે એમ બતાવ્યુ.. ઉત્તર વિભાગમાં સૂરિમહારાજ ટૂંકામાં ચાર ગતિનાં દુઃખા બતાવે છે, તે વિચારવા લાયક છે. શાસ્ત્રકારની ફરજ વસ્તુસ્થિતિનું ખરુ' ચિત્ર શ્રોતા લોકો પાસે મૂકવું એ જ છે. અને શાસ્ત્ર વાંચનારની ફરજ એ છે કે વસ્તુસ્વરૂપનું ભાન હૃદયમાં ભાવી તે પર વિચાર કરી વર્તન કરવું. આ ચાર ગતિનાં દુઃખનું વર્ણન શાસ્ત્રાભ્યાસઢારમાં લીધું છે તેના હેતુ ઉપર જણાવ્યા પ્રમાણે વિચારવા જેવા છે. ‘વિષયપ્રતિભાસ' જ્ઞાન ઘણા જીવાને થાય છે, ત્યારે તે વસ્તુસ્વરૂપના ભાસ જાણે છે, વસ્તુનાં આકૃતિ, ગુણુ જાણે છે, પણ એ નકામુ છે, જ્યાં સુધી તત્ત્વસ વેદન' જ્ઞાન હાઈ ને, તેના અતાવ્યા પ્રમાણે વર્તન થતું નથી, જ્યાં સુધી હેય, જ્ઞેય, ઉપાદેયના તફાવત સમજીને તે પ્રમાણે ત્યાગ કે આદર થતા નથી, જ્યાં સુધી જ્ઞાનના હેતુ પોતાના મહત્ત્વમાં વધારા કરવા એ જ રહે છે. ત્યાં સુધી બધુ... નકામુ છે. એમાં નથી ચઢતા જીવ ઊ'ચી પાયરીએ કે નથી થતા એના ઉત્ક, જ્ઞાન ભણી, ચાર ગતિની એટલે સંસારની વાસ્તવિક સ્થિતિ શી છે, એના ખાસ વિચાર કરવા એ પ્રથમ ક બ્ય છે. પાશ્ચાત્ય સુખસૂત્ર અને જૈન સુખસૂત્રમાં આ માટા તફાવત છે. પાશ્ચાત્ય તત્ત્વવેત્તાએ અત્ર સુખ શાધે છે. જૈન શાસ્ત્રકારશ કહે છે કે એ બધાં ફાંફાં છે. જ્યાં વાસ્તવિક સ્થાયી સુખ છે જ નહિ ત્યાં શેાધતાં મળશે કયાંથી ? માટે વાસ્તવિક ચિરસ્થાયી સુખ મેળવવા પ્રયાસ કરો. આ સ`સારના વિષયની વાસના તજી ઢા, ઈચ્છા ઓછી કરા, ઇંદ્રિયાનુ દમન કરા અને મન પર અંકુશ રાખેા. જૈન સિદ્ધાંતનેા-શાંત રસનેા-સાર એ જ છે કે આ ભવના માની લીધેલા જરા જેટલા સુખ સારુ તમે અનંત ભવની વૃદ્ધિ કરી નહિ. શાસ્ત્રભ્યાસને આ જ સાર છે અને એની જ જરૂર છે; બાકી બધા વિતંડાવાદ છે, બહુધા લાકપ્રિય થવાના પ્રયાસ છે અને તે શાસ્ત્રકારની દૃષ્ટિમાં શૂન્ય છે. શાસ્ત્રભ્યાસને અને વર્તનને ખડ઼ે નજીકના સબંધ છે તે આપણે તત્ત્વસ વેદન જ્ઞાનની વ્યાખ્યા પરથી જોયુ. શાસ્ત્રાભ્યાસ દ્વારમાં ચતુતિકલેશવન આપવામાં ગ્રંથકર્તાના * ત્યાગ કરવા ચાગ્ય શું છે અને આદરવા યોગ્ય શું છે તેના નિશ્ચયવાળું શુદ્ધ જ્ઞાન, અ. ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy