SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર ] કથાયત્યાગ [૧૧૮ ૧. પારકી અથવા પિતાની સ્ત્રી સાથે અથવા કુંવારી કે વેશ્યા સાથે વિષયસંબંધ કરે, કરવાની ઈરછા રાખવી, અથવા કુચેષ્ટા કરવી તે કામ. ૨. બીજાં પ્રાણીઓ પર શી અસર થશે અથવા પિતાને કે પરને કેટલું નુકસાન થશે, તેવા કોઈ પણ પ્રકારના પરિણામને વિચાર કર્યા વગર મનનું અવ્યવસ્થિત પણે ગુસ્સામાં પ્રવર્તન તે જ ૩. છતી જોગવાઈએ દાન એગ્યને દાન ન આપવું, નિષ્કારણ પારકું ધન લઈ લેવાની - ઈરછા રાખવી, તૃષ્ણા રાખવી અને દ્રવ્ય અથવા કઈ પણ પૌદ્દગલિક વસ્તુ માટે એકવૃત્તિથી ધ્યાન કરવું તે મ. ૪. પિતાનામાં ન હોય તેવા ગુણ માની લેવા, તેમ જ તે હોવાનો દેખાવ કરવા તે મા, ૫. કુળ, વિદ્યા, ધન વગેરેને અહંકાર કરે તે મર (Pride). ૬. વગર લેવેદેવે પારકાને દુઃખ ઉત્પન્ન કરીને અથવા ત વગેરે વ્યસને આશ્રય કરીને મનમાં ખુશી થવું તે ૪ આ છ ખરેખરા દુશ્મન છે, કારણ કે દુખ આપે તે દુશ્મન. અને તેથી અનંત ભવભ્રમણમાં નરક-નિગદનાં દુખ આપનાર આ દુશ્મન છે. દેખાવમાં સુંદર લાગે છે, પણ તેઓ ખરેખરા શત્રુ છે, માટે તેઓ પર ખરેખર ક્રોધ કરવો, એટલે કે ક્રોધ કરી તેઓની દોસ્તી છોડી નાખવી, એ ઉચિત છે. વળી, સંસારમાં રખડાવનાર કર્મો છે અને તે કર્મોને નાશ કરનાર ઉપસગપરીષહે છે. દુઃખને ઓછા કરાવનાર આ તે તારી વાસ્તવિક મિત્ર થયા. અને તેઓ તેવા છે એમ જાણી જે ઉપકાર કરનારાઓ ઉપર પણ કોધ કરતે હોય તે તેઓના ઉપર પણ કર. કહેવાનું તાત્પર્ય એ છે કે ઉપકાર કરનાર પર કેઈને ક્રોધ હાય નહિ અને તેથી તારું કર્તવ્ય એ જ છે કે ષડ્ડ રિપને તજવા, અને ઉપસર્ગ, પરીષહ વગેરેને મિત્રબુદ્ધિએ ગ્રહણ કરવા તેઓ સાથે મૈત્રી કરવી. ગજસુકુમાળને તેમના સસરા સેમિલ પર પ્રેમ આવે હતે. બાહ્ય દષ્ટિથી તો તે દુઃખ આપતો હતો, પણ વાસ્તવિક રીતે તે તે ઉપકારી હતે; એવી જ રીતે અવંતિસુકમાળને પણ શિયાળણી વાસ્તવિક ઉપકાર કરનારી થઈ પડી હતી. ઉપરાંત સ્કંદક, અરણિક, મેતાર્ય વગેરે મુનિમહારાજાઓનાં દૃષ્ટાંતે પણ વિચારવાં. છે. આ રીતે શ્રેષના ઘરના ક્રોધ અને મનના સંબંધમાં ઉપદેશ કર્યો. તે સંબંધમાં વિશેષ આ અધિકારના છેવટના ભાગમાં લખ્યું છે. હવે રાગના ઘરના માયા અને લોભનું વિવરણ કરે છે. (૧૦; ૮૦) : સ ષડૂ રિપુ બીજી રીતે પણ ગણાય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, હર્ષ (હર્ષને સ્થાને ઈર્ષા પણ કવચિત લખેલ છે). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy