SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શાસ્ત્રના વિષયમાં મારા અલ્પ પ્રવેશ હાવાથી અને ખાસ કરીને આધ્યાત્મિક વિષયમાં વાચનને પૂરતા અવકાશ મળેલા ન હેાવાથી આ ગ્રંથના વિવેચનમાં અનેક દૂષા થવાં સંભિવત લાગતાં હતાં. તેથી આ ગ્રંથનેા માટે! ભાગ ઉક્ત ચાતુર્માસમાં અવકાશના પ્રમાણમાં પન્યાસજી શ્રી આણંદ્રસાગરજી પાસે ખેસી વાંચીને સુધાર્યાં હતા. તેમ જ મુનિરાજ શ્રી મણિવિજયજી પર છેવટના કાપી છપાતાં પહેલાં મેકલી હતી. આ બન્ને મહાત્માઓએ પરોપકારના હેતુથી, બહુ પ્રયાસ કરી, ગ્રંથની સ્ખલના દૂર કરી છે, તેથી મારા ઉપર અત્યંત આભાર થયા છે. ઉપરાંત, મારા કાકા મુખી કુંવરજી આણંદ્રજીએ આખા ગ્રંથ બહુ સારી રીતે વાંચી અનેક સુધારા સૂચવ્યા છે, તેમ જ કેટલીક જગ્યાએ યથાયોગ્ય વધારા પણ કર્યો છે. તેએશ્રીના મારા પર બાલ્યવયથી જ ઉપકાર છે, પરંતુ આ થળે ખાસ તેાંધ લેવાની જરૂર એટલા માટે છે કે આ ગ્રંથનુ પ્રામાણ્ય ઉક્ત બંને મુનિમહારાજશ્રી અને મારા કાકાના હસ્તથી સિદ્ધ થવાને લીધે મારી જાતને જવાબદારીના ખેાામાંથી બહુ ભાગે મુક્ત થયેલી હું માનું છું... આ ગ્રંથ લખવા માંડયો ત્યારથી તે પૂર્ણ થયે ત્યાં સુધી હું પરીક્ષાઓની ચિંતામાં જ રહ્યો હતા. અવકાશના વખતમાં લખતા. પણ પ્રેસમાંથી બહાર પાડવાની વિડંબના બહુ છે, એ છપાવનારા જ સમજે છે. એ પ્રસંગને અંગે મારા ભાઈ નેમચંદ ગિરધરલાલ કાપડિયાની પ્રુફે સુધારવાની કાળજી માટે મારે નોંધ લેવી યુક્ત છે. આ ગ્રંથ જલદી બહાર પડવાનું તે પણ એક કારણ છે. આ ગ્રંથ શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ મૂળ કિંમતે વેચવાની ઇચ્છા જણાવી બહુ ઠીક કર્યું છે. આ ગ્રંથ છપાવવામાં તથા પુ સુધારવામાં સંસ્થા તરફથી થયેલા શ્રમને માટે તેને આભાર માનુ છું. આ ગ્રંથ શ્રી જૈન ધર્મ પ્રસારક સભા મુદ્રિત કરાવે અને તેની સાથે મારા વડીલશ્રીનું નામ અણુપત્રિકામાં જોડાય એ હકીકતથી મને બહુ આનંદ થયા છે. આ સસ્થા અને મારા વડીલશ્રીને! મારા પર આભાર અમૂલ્ય છે અને ધાર્મિક સંસ્કાર માટે આ બન્નેને એકસરખી રીતે મારા પર ઉપકાર છે. આ ઉભય ઉપકાર કરનારાઓના સંબધથી આ પુસ્તક માટે લીધેલ શ્રમ કેટલેક અંશે ફળીભૂત થયા છે. આ અધ્યાત્મકપદ્રુમ ગ્રંથના દરેક શ્લાક પર ચાપાઈ શ્રી રગવિજય નામના મહારાજે બનાવી છે. આ ગ્રંથની પ્રત રા. રા. કેશવલાલ પ્રેમચંદ તરતથી અડધા ગ્રંથ છપાયા પછી મળી. જૂની ગુજરાતી ભાષા વગેરે જાણવા માટે તે ઉપયેાગી જાવાથી ગ્રંથની છેવટે મૂકવામાં આવી છે. આ ગ્રંથને શુદ્ધ છપાવવા માટે અને શુદ્ધ વિવેચન કરવા માટે બનતા પ્રયાસ કરવામાં આવ્યા છે, છતાં પણ ભૂલ રહી ગઈ હેાય એ બનવાજોગ છે. આ સંબધમાં વિવેકી વાંચનાર સૂચના કરશે તા બીજી આવૃત્તિ બહાર પાડવાનેા કદાચ યાગ ઉત્પન્ન થાય તા તે પ્રસ`ગે ખાસ ધ્યાન આપવામાં આવશે. આ ગ્રંથમાં ભાષા સાદી અને સરળ રાખવા બનતું ધ્યાન આપ્યું છે, તેથી બુદ્ધિશાળી અને સામાન્ય વાચનવાળા સને આ ગ્રંથ કાંઈક નવીન જ્ઞાન આપશે એવી આશા રહે છે. સ્ખલનાએ તરા ધ્યાન આપવા કરતાં સરિમહારાજે જે અત્યુત્તમ ખેાધ આપ્યો છે તે તરફ લક્ષ્ય આપવા ખાસ પ્રાર્થના છે. જે જે ઉત્તમ જણાય તે સૂરિમહારાજનું સમજવું અને અરુચિકર જણાય તેને માટે મારી જવાબદારી સમજી ગ્રંથ સાદ્યંત વાંચવા. એકાદ વખત વાંચ્યાથી તેને ભાવ બરાબર અંતરગામી ન ઊતરે તેા બે-પાંચ વખત મનન કરી ગ્રંથ વાંચવા અને વાંચવા કરતાં પણ વધારે વિચાર કરવા. આથી સૂરિમહારાજ જે ભાવ કહેવા માગે છે તે સમજશે, અને સમાય તેા પછી યથાશક્તિ તે ભાવ વનમાં મૂકવા. આ પ્રમાણે કરવાથી ગ્રંથ લખવાનું, વિવેચન કરવાનું અને પ્રસિદ્ધિમાં મૂકવાનુ` પ્રયેાજન સિદ્ધ થશે. દેાષને માટે ક્ષમાયાચના કરી અત્ર વિરમું છું. વસંતપંચમી, સંવત ૧૯૬૫ મુંબઈ, ગીરગામ એક રાડ. મૌક્તિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy