SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર ] ધનમમત્વમેચન [ ૮૭ કઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવામાં પ્રાણીને અમુક ઈરાદે હોય છે, પણ ધનપ્રાપ્તિમાં તે કાંઈ પણ ઈરાદા વગર માત્ર પૈસાની ખાતર જ પિસા મેળવવા યત્ન કરવામાં આવે છે. પુત્રને માટે વાર આપવાનું પણ બહાનું જ છે. આ દલીલના પુરાવામાં બે હકીકત જેવાની છે. એક તો વગર પુરના અને પુત્ર થવાની આશા વગરના માણસે પણ એટલી જ ખંતથી પૈસા પ્રાપ્ત કરે છે અને પાસેના પિતાને શુભ માર્ગ પણ વ્યય કરતા નથી, અને બીજી એ કે જે આવતા ભવ માટે પૈસા રોકાઈ શકાતા હોય (investing of money) તે કોઈ પણ માણસ પુત્રને વારસો આપવાની દરકાર કરે તેમ નથી. વળી, બીજુ એ પણ જાણવા ગ્ય છે કે દરેક કાર્યમાં અમુક હદ હોય છે એટલે કે અમુક વખત પછી અને અમુક પ્રાપ્તિ થયા પછી તે કાર્ય પૂરું થયું ગણાય. પૈસાની બાબતમાં આ નિયમ પણ જૂઠે પડે છે. હજાર મળે લાખની અને લાખ મળે કરોડની ઉત્તરોત્તર ઈચ્છા વધતી જ જાય છે. વધતી ઈચ્છા અનુસાર કાર્યધુરામાં જોડાઈ જીવન પૂર્ણ થાય છે, પણ પૈસા કમાવાનું કાર્ય કદી પણ પૂરું થતું નથી. કેઈ પણ કામ કરવાને અમુક હેતુ હોય છે અને અમુક સાધ્ય હોય છે; પ્રજન અને સાધ્ય વગર તે સાધારણ અક્કલવાળો માણસ પણ પ્રવૃત્તિ કરતો નથી, ત્યારે ધન પ્રાપ્ત કરવાનાં હેતુ અને સાધ્ય શું? જરા વિચારો. અનાદિ પદ્ધતિથી તણાઈ ન જાઓ. ધન ખાતર ધન મેળવવામાં ઉદ્યક્ત ના થાઓ, પણ જરા આગળ-પાછળ નજર કરો. તમે ડાહ્યા માણસ છે. તમારે પગલે અનેક માણસ ચાલતા હશે, માટે પ્રવૃત્તિ કરે, તેનાં હેતુ અને સાધ્ય ધ્યાનમાં લઈ કરે. આ દષ્ટિથી વિચારશે ત્યારે જણાશે કે કાર્યસિદ્ધિના ઉપર જણાવેલા બન્ને નિયમે દ્રવ્યપ્રાપ્તિના પ્રયાસ વખતે ખોટા પડે છે. ઘનપ્રવૃત્તિ નિહેતુક છે એ આપણે જોયું, અને તેથી જેઓ તેને ઈચ્છતા ન જ હેય તે ઉત્કૃષ્ટ પ્રશંસાને પાત્ર છે. જેઓ શ્રાવક અવસ્થામાં છે તેમણે સર્વ ત્યાગની ઈચ્છા રાખવી અને સાથે ચાલુ સ્થિતિમાં સંતોષ રાખવો. પોતાની સ્થિતિ સુધારવા ઈચ્છા રાખવી પણ તેમાં આસક્ત બની જઈ દુર્બાન થવા ન દેવું. ચાલુ સ્થિતિમાં આનંદ પામઃ અને ખાસ કરીને કર્મનો સિદ્ધાંતને તાબે થઈ જવું નહિ, પણ પુરુષાર્થ કરે. ગેરસમજૂતી ન થાય તેટલા માટે જણાવવાની જરૂર છે કે સંતોષ ને પુરુષાર્થને વિરોધ નથી પણ દુર્બાન થાય, પૈસાની જપમાળા જપાય, પૈસા-પૈસાનું જ ધ્યાન રહે એવી સ્થિતિ ન થવા દેવી. You may aspire, but don't be dissatisfied with your present lotતમે મેટા થવાની આશા-ઈચ્છા રાખે, પણ તમારા ચાલુ સંગથી અસંતોષી બને નહિ ધન મેળવ્યા પછી શું કરવું એ બાબતમાં ગ્રંથકારે વિવેચન કર્યું છે. ધન મેળ ધનપ્રાપ્તિ, તેના હેતુ વગેરે ઉપર મારો “તૃષ્ણા છેદન લેખ જુઓ, શ્રી જૈન ધર્મ પ્રકાશ પુસ્તક પર. આ વિષયને ઉપયોગી મુદ્દા અત્ર દાખલ કર્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy