SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર સમતા ૨૯ તેવાં હોય છે અને કેટલાંકે ન સમજવાના નિÎય કરેલા હાય છે. આવાં પ્રાણીએ તરફ ઉપેક્ષા રાખવી એ વધારે સારુ છે. એથી એ પ્રાણી પેાતાનાં પાપકૃત્યામાં વધારે ચુસ્ત થતા નથી અને તારી સાથે વિરાધ ન થયા. હાય તા કાઈ દિવસ પણ તારાથી સુસાધ્ય રહે છે. એના તરફ તું એક વાર પ્રગટપણે તિરસ્કાર બતાવી દે, ત્યાર પછી આજીવિતત્ર્ય તે તારી વિરુદ્ધ જ રહે છે. વળી, એવા હલકા જીવા પર ક્રોધ કરવા એમાં તને લાભ નથી. પ્રશસ્ત કે અપ્રશસ્ત ક્રોધ ઉચ્ચ સ્થિતિએ સર્વથા ત્યાગ કરવા ચેાગ્ય છે. તેટલા માટે શ્રીમદ્ યશે!વિજયજી મહારાજ દ્વેષની સજ્ઝાયમાં કહે છે કે “ રાગ ધરીજે ડાં ગુણ લહીએ, નિર્ગુણ ઉપર સમચિત્ત રહીએ.” ગુણવાન ઉપર રાગ અને નિર્ગુણી ઉપર સચિત્ત રાખવું, એવા અત્ર સ્પષ્ટ ઉપદેશ છે. એના ભાવ પ્રગટ છે તેથી વિશેષ ઉલ્લેખની જરૂર રહેતી નથી, પરંતુ એ વૃત્તિ પ્રાપ્ત કરવાની ખહુ જરૂર છે, તેથી સમતાના અભ્યાસીનુ એ તરફ ખાસ ધ્યાન ખેચવામાં આવે છે. શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય પણ કહે છે કે “ માયસ્થ્ય ભાવના સાંસારિક પ્રાણીઓને વિશ્રાંતિ લેવાનુ` સ્થાન છે.” આ જગતના જીવા ભિન્ન ભિન્ન કર્માએ કરીને ભિન્ન ભિન્ન સ્વરૂપવાળા જણાય છે, તેથી સર્વાંની ચેષ્ટા એકસરખી હાતી નથી, હાઈ શકે પણ નહિ; ત્યારે સમજુ માણસાએ કેાના પર ગુસ્સે થવું અને કેાના પર સંતુષ્ટ થવું ? તીર્થકર મહારાજ શ્રી વીરપ્રભુએ મિથ્યા ખેાલનાર પાતાના જમાઈ જમાલિને પણ રોકવા માટે ખળાત્કાર કર્યાં નહિ. આટલા ઉપરથી જણાય છે કે તીર્થંકર મહારાજ અનંત વીવાળા હોય છે છતાં પણુ ખળાત્કારથી ધર્મ પ્રવર્તાવતા નથી, પશુ શુદ્ધ ધર્મના ઉપદેશ જ આપે છે. આટલા માટે હૃદયમાં સમતા રાખવી અને મનેાવિકારને વશ થઈ જવું નહિ. ઘણી વખત ખોજા પ્રાણીને હિત કરવાના હેતુથી આ જીવ કલેશ પામે છે અને કેટલીક વાર ખાટી ચિંતા કર્યા કરે છે. કાર્યં કરવું' તે ઠીક છે, પરંતુ તેની ચિંતા નકામી છે; કારણ કે સામા પ્રાણીને કર્યું વિવર કત્યારે આપશે તે બાબતમાં આપણું અજ્ઞાન હાવાથી આપણે દરેક કાર્યમાં સફળ થઈ શકીએ નહિ. વળી, ફળ શુ થશે તે સંબધમાં ચિંતા કરવાના આપણા અધિકાર પણ નથી. એવી જ રીતે અસત્ય ખેલનાર કે અપ્રામાણિક આચરણ કરનાર ઉપર દ્વેષ કરવા નકામા છે; કારણ કે બન્નેને તેથી તા લાભ જ નથી. હિતેાપદેશ ન સાંભળનાર ઉપર પણ દ્વેષ ન કરવા; વિચારવુ` કે હજી તેની સ્થિતિ પાકી નથી. દેવ, ગુરુ કે ધર્મની નિંદા કરનાર ઉપર ક્રોધ થાય એ તા આપણે અનુભવીએ છીએ; ઇતિહાસમાં પણ અનેક ધ્રાંતા છે. શાસ્ત્રકાર તેની પણ અમુક હદે ના પાડે છે. તું ખની શકે તે તેઓને શુદ્ધ સ્વરૂપ સમજાય, પછી શું થાય છે તે જો, જો ન સમજે તા તારા પ્રયાસ નિષ્ફળ થયા છે એમ સમજીશ નહિ. તે તે તારી ફરજ બજાવી છે. તું પછી વિચારજે કે એ બિચારાને હેજી રખડવું' બાકી હશે, તેથી સાચા માર્ગ દેખાતા નથી. આ રેખા તું નિર ંતર ધ્યાનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy