SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાપના જ્ઞાતાધર્મકથાસૂત્ર ઉપર તે સમયની લોકભાષામાં લખાયેલા ટબા ભંડારોમાં મળે છે. હમણાં હમણાં તેના હિન્દી, ગુજરાતી અનુવાદો પણ છપાયેલા છે. પં. બેચરદાસ જીવરાજ દોશીએ લખેલો ગુજરાતી ભાવાનુવાદ પણ ભગવાન મહાવીરની ધર્મકથાઓ એ નામે પુંજાભાઈ જૈન ગ્રંથમાલા-૩ માં ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ–તરફથી ઈસ્વીસન ૧૯૩૧ માં પ્રકાશિત થયો છે. આમાં ઘણું મહત્વનાં ટિપ્પણું ગુજરાતી ભાષામાં આપવામાં આવેલાં છે. આ પ્રસ્તાવના પૂર્ણ થયા પછી એ ટિપણે પણ વાચકોને જાણવા યોગ્ય હોવાથી અમે અહીં આપેલાં છે. ગાતાધર્મકથાસૂત્રના સંશોધન-સંપાદનમાં આધારભૂત હસ્તલિખિત પ્રતિઓને પરિચય. ૧. તાડપત્ર ઉપર લખેલી પ્રતિઓ હં–ખંભાતના શ્રી શાંતિનાથ તાડપત્રીય જૈન જ્ઞાનભંડારની આ પ્રતિ છે. વડોદરાના 311240 au zilezel 348! fet qell 241 eisi2-17 El Catalogue of Palm-Leaf Mss. in the sāntinātha Jain Bhandara, Cambay, Part One, Gaekwad's Oriental Series, Baroda, No. 185. પ્રમાણે આનો ક્રમાંક ૧૨ છે. આ નંબરની પોથીમાં ૩૩૧ પત્ર છે. પત્રોની લંબાઈ-પહોળાઈ “૨૮૨ ૪ ૨૯૨” ઈંચ છે. તેમાં અનુક્રમે આઠ ગ્રંથ છે. ૧. જ્ઞાતાધર્મસ્થાંગસૂત્ર (પત્ર ૧–૧૪૨), ૨. ઉપાસકદશાંગસૂત્ર (પત્ર ૧૪૩-૧૬૫), ૩. અન્તકૃદશાંગસૂત્ર (પત્ર ૧૬–૧૮૭), ૪. અનુત્તરપપાતિકદશાંગસૂત્ર (પત્ર ૧૮૭-૧૯૩), ૫. જ્ઞાતાધર્મકથાંગસૂત્રવૃત્તિ (પત્ર ૧૯૪-૧૯૭), ૬. ઉપાસકદશાંગસૂત્રવૃત્તિ (પત્ર ૨૯૮-૩૧૯), ૭. અન્નકૃશાંગસૂત્રવૃત્તિ (પત્ર ૩૧૯-૩૨૬), ૮. અનુત્તરીપ પાતિકદશાંગસૂત્રવૃતિ (પત્ર ૩૨ ૫-૩૩૧). વિક્રમ સંવત ૧૧૮૪માં આ પ્રતિ લખાયેલી છે એમ અંતે પ્રશસ્તિમાં જણાવેલું છે. લૈ ની જ્ઞાતાધર્મકથાંગસૂત્રવૃત્તિનો પણ અમે સંશોધનમાં છૂટથી ઉપયોગ કરેલો છે. સામાન્ય રીતે, તાડપત્ર ઉપર લખેલી પ્રતિ ભંડારમાંથી બહાર આપવામાં આવતી નથી. કદાચ મળે તો પણ તાડપત્ર ઉપર લખેલી પ્રતિઓનો ઉપયોગ કરવામાં ઘણી મુશ્કેલી પડે છે તેમ જ જોખમ પણ ઘણું રહે છે. કારણ કે તાડપત્રનાં પાનાં ફેરવવામાં કિનારીઓ અથવા પાનું તૂટી જવાનો ઘણો જ ભય રહે છે. એટલે એનો ઉપયોગ અત્યંત કાળજીપૂર્વક સાચવી સાચવીને કરવાનો હોય છે. તેથી આવા ગ્રંથોની ફિલ્મનો કે ફોટાઓનો અમે ઉપયોગ મુખ્યતયા કરીએ છીએ. વિક્રમ સંવત ૧૧૮૪ માં આ પ્રતિ મહારાજા સિદ્ધરાજ સિંહના રાજ્યમાં લખાયેલી છે, તેથી ઘણી પ્રાચીન સમજીને અમે એનો ઉપયોગ કર્યો છે. અને એની ? સંજ્ઞા રાખી છે. १. संवत् १९८४ माघ सु. ११ रवौ अद्येह श्रीमदणहिलपाटके महाराजाधिराजश्रीजयसिंघदेवकल्याणविजयराज्ये ज्ञाताधर्मकथाद्यङ्गवृत्तिलिखितेति ॥ छ । शिवमस्तु सर्वजगतः परहितनिरता भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाशं सर्वत्र सुखी भवतु लोकः ॥ छ । ज्ञाताधर्मकथाद्याचतुष्टयवृत्तिः ॥छ॥ श्रीवर्द्धमानसूरीयश्रीचक्रेश्वरसूरीणां श्रीपरमाणंदसूरीणां श्रे० देशलपुत्रयशहडसूलणरामदेवस्य पुस्तकमिदम् ॥ छ । प्राज्यच्छायो जन्मभूमिर्गुणानां दिक्पर्यन्तव्यापिशाखाकलापः। पत्रोपेतः पर्वभिर्वर्द्धमानः प्राग्वाटानामस्ति विस्तारिवंशः॥१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001021
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1990
Total Pages737
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Story, Literature, & agam_gyatadharmkatha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy