SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૪ થા] કૈંકેયીના સ્વયંવર—દશરથનું ત્યાં આવવુ’. [ ૬૧ પૂવિદેહક્ષેત્રમાં પુંડરી કણી નગરીને વિષે ગયા હતા, અને તે મહેાત્સવ જોઈને મેઉપર ગયા હતા. ત્યાં અનેક તીર્થંકરાને વાંઢીને પછી લંકાનગરીમાં ગયા. ત્યાં શાંતિગૃહમાં રહેલા શાંતિનાથને નમીને રાવણુની રાજસભામાં ગર્ચા. ત્યાં કેઈ નિમિત્તિઆએ રાવણના વધ જાનકીને નિમિત્તે તમારા પુત્રથી કહ્યો તે મારા સાંભળવામાં આવ્યે, અને તે સાંભળીને વિભીષણે તમને અને રાજા જનકને મારી નાંખવાની પ્રતિજ્ઞા કરી, પણ મેં સાંભળી. હવે તે મહાભુજ અલ્પ સમયમાં જ અહી` આવી પુગશે. આ સર્વાં વૃત્તાંત જાણી તમારી સાથેની સામિકપણાની પ્રીતિને લીધે લકાપુરીથી હું સંભ્રમ સહિત ઉતાવળેા અહીં તમને તે વાત કહેવાને આવ્યા છું. તે સાંભળી દશરથે નારદને પૂજા કરીને વિદાય કર્યાં. ત્યાંથી જનક રાજા પાસે જઇને નારદે તેમને પણ એ વૃત્તાંત જણાબ્યા, રાજા દશરથે મત્રીઓને ખેાલાવી આ વૃત્તાંત કહી તેમને રાજ્ય સાંપીને ચેાગીની જેમ કાળવ’ચના કરવાને માટે ત્યાંથી ચાલી નીકળ્યા. મંત્રીઓએ શત્રુને મેહ ઉપજાવવા માટે દશરથ રાજાની એક લેખ્યમય મૂત્તિ કરાવીને રાજ્યગ્રહની અંદર અંધારામાં સ્થાપિત કરી. જનક રાજાએ પણ દશરથની જેમ કર્યું, અને તેના મંત્રીએએ પણ દશરથના મંત્રીઓની જેમજ કર્યુ. પછી દશરથ અને જનક રાજા અલક્ષ્યપણે પૃથ્વીમાં ફરવા લાગ્યા. વિભીષણુ કાપથી અયાયામાં આવ્યા અને ત્યાં અંધકારમાં રહેલી દશરથની લેપ્યમય મૂર્ત્તિના મસ્તકને તેણે ખડગથી છેદી નાંખ્યું. તે વખતે મધા નગરમાં કોલાહલ થઈ રહ્યો, અંતઃપુરમાં માટે આ વિન થયા, સામત રાજાએ અંગરક્ષક સહિત તૈયાર થઈ ને ત્યાં દોડી આવ્યા, અને ગૂઢ મત્રવાળા મંત્રીએ રાજાની સર્વ પ્રકારની ઉત્તરક્રિયા કરી. દશરથ રાજાને મૃત્યુ પામેલા જાણી વિભીષણ લંકા તરફ ચાલ્યા ગયા. એકલા જનક રાજાથી કાંઈ થઈ શકે તેમ નથી એવું ધારી તેણે જનકને માર્યાં નહિ. મિથિલ અને ઈક્ષ્વાકુ વ'શના રાજા જનક અને દશરથ પરસ્પર સાથે રહી, એક અવસ્થાના મિત્ર થઈ પૃથ્વીપર ફરવા લાગ્યા. તેઓ ફરતાં ફરતાં ઉત્તરાપથમાં આવ્યા. ત્યાં કૌતુકમંગળ નગરના રાજા શુભમતિની પૃથ્વીશ્રી રાણીના ઉદરથી જન્મેલી, દ્રોણમેઘની એન કૈકેચી નામની કન્યાના સ્વયંવરની વાર્તા સાંભળીને તે મને તે સ્વયંવરમ’ડપમાં ગયા. ત્યાં હરિવાહન વિગેરે રાજાએ આવ્યા હતા, તેએની વચમાં કમલ ઉપર બે હુઇસ એસે તેમ તેઓ ઊંચે આસને બેઠા. રત્નાલંકારથી વિભૂષિત થઈને કન્યારત્ન કૈકેયી જાણે સાક્ષાત્ લક્ષ્મી હાય તેમ તે સ્વયંવરમ`ડપમાં આવી. પ્રતિહારીના હાથના ટેકે લઈ દરેક રાજાને જોતી જોતી તે, નક્ષત્રાને ચંદ્રલેખા ઉલંધન કરે તેમ ઘણા રાજાઓનું ઉãધન કરી ગઈ. અનુક્રમે તે સમુદ્ર પાસે ગંગાની જેમ દશરથ રાજાની પાસે આવી. ત્યાં બેસારૂને ઉતારીને નાવિકા જેમ જલમાં ઊભી રહે તેમ તે ઊભી રહી. પછી તત્કાળ રામાંચિત દેડવાળી કૈકેયીએ મેાટા હુ થી પેાતાની ભુજલતાની જેમ દશરથના કંઠમાં વરમાળા આરેાપણ કરી. તે જોઈને હરવાહન વિગેરે માની રાજાએ પેાતાના તિરસ્કાર થયેલા માની પ્રજ્વલિત અગ્નિની જેમ કાપથી પ્રજ્વલિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy