SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ | [૫૯ સગ ૪ ] સોદાસનું પરમ શ્રાવક થવું ને દીક્ષા લેવી રાજાની આજ્ઞા હોય તો ભય લાગતો નથી.” આવી રીતે રાજાને દારૂણ કર્મ કરનારે જાણીને ગૃહમાં ઉત્પન્ન થયેલા સર્ષની જેમ મંત્રીઓએ તેને પદભ્રષ્ટ કરી અરણ્યમાં કાઢી મૂક્યો, અને તેના પુત્ર સિંહરથને રાજ્ય ઉપર બેસાર્યો. દાસ નરમાંસને ખાતો પૃથ્વીમાં ઉશૃંખલપણે ભટકવા લાગ્યું. એક વખતે સોદાસે દક્ષિણાપથમાં ભમતાં ભમતાં એક મહર્ષિને દીઠા, એટલે તેમને ધર્મ પૂછો. તેને બેધને યોગ્ય જાણી તે મહા મુનિએ મધમાંસને પરિહાર જેમાં પ્રધાનપણે રહેલે છે એ અહંત ધર્મ કહ્યો. તે ધર્મ સાંભળી સેદાસ ચકિત થઈ ગયો, અને પ્રસન્ન હૃદયવાળે થઈ તરતજ પરમ શ્રાવક થશે. તે અરસામાં મહાપુર નગરને રાજા અપુત્ર મૃત્યુ પામ્ય, ત્યાં મંત્રીઓએ કરેલા પાંચ દિવ્યવડે સદાસને અભિષેક થતાં તે ત્યાંને રાજા થયે. દાસે પિતાના પુત્ર સિંહરથ પાસે એક દૂત મોકલીને કહેવરાવ્યું કે “તું સદાસની આજ્ઞા માન્ય કર.” દૂતે જઈ તે પ્રમાણે કહ્યું, એટલે સિંહરશે તે દૂતને તિરસ્કાર કરીને કાઢી મૂક્યો. તેણે આવીને સદાસને જે બન્યું હતું તે યથાર્થ કહી આપ્યું. પછી સિંહરથ ઉપર દાસ અને સદાસ ઉપર સિંહરથ એમ બનેએ યુદ્ધ કરવા માટે ચડાઈ કરી. માર્ગમાં બન્નેના સિન્ય એકઠાં થયાં એટલે યુદ્ધ શરૂ થયું. છેવટે સદાસે સિંહરથને જીતી લઈ હાથે પકડી તેને બને રાજ્ય આપીને પિતે દીક્ષા લીધી. સિંહરથને પુત્ર બ્રહારથ થશે. તે પછી અનુક્રમે ચતુર્મુખ, હેમરથ, શતર, ઉદયપૃથુ, વારિરથ, ઈન્દુરથ, આદિત્યરથ, માંધાતા, વીરસેન, પ્રતિમન્યુ, પવબંધુ, રવિન્યુ, વસંતતિલક, કુબેરદત્ત, કુંથુ, શરમ, દ્વિરદ, સિંહદર્શન, હિરણ્યકશિપુ, પંજસ્થળ, કાકુસ્થળ અને રઘુ વિગેરે અનેક રાજાઓ થયા. તેમાં કેટલાક ક્ષે ગયા અને કેટલાક સ્વર્ગે ગયા. પછી શરણાથી ને શરણ કરવા ગ્ય અને સનેહીઓના ઋણમાંથી મુક્ત રહેનાર અનરણ્ય નામે રાજા સાકેતનગર (અયોધ્યા) માં થયે. તેને પૃથ્વીદેવીના ઉદથી અનંતરથ અને દશરથ નામે બે પુત્રો થયા. તે અનરણ્ય રાજાને સહસ્ત્રકિરણ નામે એક મિત્ર હતા, તેણે રાવણ સાથે યુદ્ધમાં વિરાગ્ય ઉત્પન્ન થવાથી દીક્ષા લીધી. તેની સાથેની દઢ મિત્રતાથી અનરણ્ય રાજાએ માત્ર એક માસના થયેલા નાના પુત્ર દશરથને રાજ્યલક્ષ્મી સેંપીને અનંતરથ પુત્ર સહિત દીક્ષા લીધી. અનુક્રમે અનરણ્ય રાજર્ષિ ક્ષે ગયા, અને અનંતરથ મુનિ તીવ્ર તપસ્યા કરતા સતા પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. - દશરથ ક્ષીરકંઠ બાલ્યાવસ્થામાં રાજા થયે, પરંતુ વયે અને પરાક્રમે સાથે જ વૃદ્ધિ પામે. તેથી નક્ષત્રમાં ચંદ્ર, ગ્રહમાં સૂર્ય અને પર્વતેમાં મેરૂની જેમ અનેક રાજાઓની મધ્યમાં શેભવા લાગ્યા. જ્યારે દશરથ રાજા રાજ્યના સ્વામી થયા, ત્યારે લોકોને પરચક્ર વિગેરેથી થતા ઉપદ્ર આકાશપુષ્પની જેમ અદષ્ટપૂર્વ થઈ ગયા. યાચકને ઈચ્છા પ્રમાણે દ્રવ્ય અને આભૂષણે વિગેરેનું અનર્ગલ દાન દેવાથી તે રાજા મઘાંગ વિગેરે દશ પ્રકારનાં કલ્પવૃક્ષ ઉપરાંત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy