SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮] નઘુષ રાજાએ સિંહિકાને કરેલ ત્યાગ. તેણે બતાવેલું સતીપણું. [ પર્વ મું કરેલા દક્ષિણાપથના રાજાઓના વિજ્યનું વૃત્તાંત સાંભળ્યું. તત્કાળ તે વિચારવા લાગે કે“અહા ! મારા જેવા પરાક્રમીને પણ આ કામ કરવું દુષ્કર છે, તે આ સ્ત્રીએ તે કામ શી રીતે કર્યું? માટે જરૂરી તેમાં તેની સ્પષ્ટ ધષ્ટતા જણાય છે. મહાકુળમાં ઉત્પન્ન થયેલી સ્ત્રીઓને તેવું કામ કરવું ઉચિત નથી, માટે જરૂર આ સ્ત્રી અસતી હેવી જોઈએ. સતી સ્ત્રીઓને તો પતિજ દેવ હોય છે, તેથી તેઓ પતિસેવા વિના બીજું કાંઈ જાણતી જ નથી, તો આવું કામ તો કેમજ કરે?” આ પ્રમાણે ચિત્તમાં નિશ્ચય કરીને તેણે ખંડિત પ્રતિમાની જેમ એ અતિ પ્યારી સિંહિકાને તજી દીધી. એકદા નઘુષ રાજાને દાહજવર ઉત્પન્ન થયે. તે દુષ્ટ શત્રુની જેમ સેંકડો ઉપચારોથી પણ શાંત થયો નહિ. તે સમયે સિંહિકા પિતાનું સતીપણું જણાવવાનું અને પતિની દાહજવરની પીડા-શમાવવાને જળ લઈને તેની સમીપ આવી. પછી તે સતીપણાને જણાવતી સતી બેલી કે-“હે નાથ! તમારા વિના બીજા કોઈ પુરૂષને મેં ક્યારે પણ જે ઈચ્છયો ન હોય તે આ જળસિંચનથી તમારો જવર અત્યારે જ ચાલ્યો જજે.” આ પ્રમાણે કહીને તેણે સાથે લાવેલા જળથી પિતાના પતિ ઉપર અભિષેક કર્યો, તેથી તત્કાળ જાણે અમૃતથી સિંચા હોય તેમ તે રાજા વરમુક્ત થઈ ગયું. દેવતાઓએ સિંહિકા ઉપર પુષ્પવૃષ્ટિ કરી, અને ત્યારથી રાજાએ પણ તેને પૂર્વવત માનપૂર્વક સ્વીકાર કર્યો. કેટલેક કાળ ગયા પછી નઘુષ રાજાને સિંહિકાદેવીથી દાસ નામે પુત્ર થશે. તે ચગ્ય વયને થતાં તેને રાજ્યપર બેસારીને નઘુષ રાજાએ સિદ્ધિ (મેક્ષ)ના ઉત્તમ ઉપાયરૂપ દીક્ષા ગ્રહણ કરી. સદાસ રાજાના રાજ્યમાં અહંતોના અઠ્ઠાઈ ઉત્સવમાં મંત્રીઓએ પૂર્વ રાજ્યની જેમ અમારી ઘોષણા કરાવી, અને તેઓએ સદાસને પણ કહ્યું કે-“હે રાજા! તમારા પૂર્વજો અહંતના અઠ્ઠાઈ ઉત્સવમાં માંસ ખાતાં નહિ, માટે તમે પણ ખાશે નહિ.” દાસે તે વાત સ્વીકારી, પણ તેને સદા માંસજન પ્રિય હતું, તેથી તેણે રસઈઆને આજ્ઞા કરી કે “તારે ગુપ્ત રીતે અવશ્ય માંસ લાવવું.' તે સમયે મંત્રીઓએ અમારી ઘોષણા ચલાવેલી હતી, તેથી રસેઈઆને કઈ ઠેકાણેથી માંસ મળ્યું નહિ. “કઈ પણ માણસ આકાશપુષ્પની જેમ અસત્ વસ્તુને મેળવી શકતું જ નથી.” “આમ તેમ ફરતાં કેઈ સ્થાનકેથી પણ મને માંસ મળતું નથી અને રાજાની આજ્ઞા છે, તે હવે મારે શું કરવું?' એમ વિચારતાં રઈઆએ એક મરેલું બાળક જોયું. રઈઆએ તે મૃત બાળકનું માંસ લઈ તેને સુધારી સોદાસને આપ્યું. તે માંસને ખાતો ખાતો દાસ તેનું વર્ણન કરવા લાગ્યું કે “અહો ! આ માંસના રસ અતિ તૃપ્તિ કરે તેવો છે.” તેણે રસોઈઆને પૂછ્યું “આ માંસ મને અપૂર્વ લાગે છે, માટે આ કયા જીવનું માંસ છે તે કહે.' તેણે કહ્યું – “આ નરમાંસ છે.” રાજા બોલ્ય“હવેથી પ્રતિદિન આવું નરમાંજ સુધારીને મને ખાવા આપજે.' પછી રસઈઆએ રાજાને માટે પ્રતિદિન નગરનાં બાલકનું હરણ કરવા માંડયું. “અન્યાયનું કારણ હોય તે પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy