SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪] નલકુબેરને પકડવા કુંભકર્ણનું જવું [ પર્વ ૭ મું વિદાય કરી ને એક દારૂણ ખડગ ખેંચી પિતાના મસ્તકને છેદવા માંડયું. તે વખતે રાજા સુમિત્રે પ્રગટ થઈ “હે મિત્ર! સાહસ કર નહિ.' એમ કહી તેના હાથમાંથી ખડ્ઝ ખેંચી લીધું. તે વખતે જાણે પૃથ્વીમાં પેસવાને ઇચ્છતો હોય તેમ પ્રભવ લજજાથી નીચું મુખ કરીને ઊભો રહ્યો. સુમિત્રે ઘણી મહેનતે તેને સ્વસ્થ કર્યો. પછી બંને મિત્રો પૂર્વની જેમ મિત્રી રાખીને પાછા રાજ્ય કરવા લાગ્યા. કેટલેક કાળે સુમિત્ર દીક્ષા લઈ મૃત્યુ પામીને ઈશાન દેવલેકમાં દેવ છે. ત્યાંથી ચ્યવીને આ મથુરાના રાજા હરિવહનની માધવી નામની સ્ત્રીના ઉદરથી તું મધુ નામે પરા મી પુત્ર થયો છે. પેલે પ્રભવ ચિરકાળ ભવમાં ભ્રમણ કરી વિવાવસુની જયોતિમંતી નામે સ્ત્રીથી શ્રી કુમાર નામે પુત્ર થયે હતું, અને તે ભાવમાં નિયાણ સહિત તપ કરી કાળગે મૃત્યુ પામીને આ હું ચમક થયે છું. એ પ્રમાણે તારા પૂર્વ ભવને હું મિત્ર છું. આ પ્રમાણે બધું વૃત્તાંત કહી તેણે મને આ ત્રિશૂલ આપેલું છે. આ ત્રિશૂલ બેહજાર જન સુધી જઈ કાર્ય કરીને પાછું આવે છે.” આ પ્રમાણે તેનું વૃત્તાંત સાંભળીને રાવણે ભક્તિ અને શક્તિથી વિરાજિત એવા તે મધુકુમારને પોતાની મનોરમા નામે કન્યા આપી. પછી લંકાના પ્રયાણદિસથી અઢાર વર્ષ ગયાં ત્યારે રાવણ સુવર્ણગિરિ પર રહેલા પાંડુક વનમાં ચૈત્યેની પૂજા કરવાને માટે ગમે; ત્યાં મટી ધામધુમ સાથે સંગીતયુક્ત પૂજાના મહોત્સવ પૂર્વક રાવણે ઉત્કંઠાથી સર્વ ચૈત્યને વંદના કરી. તે વખતે દુલ"ધ્યપુરમાં રહેલા ઇંદ્ર રાજાના પૂર્વ દિપાલ નલકુબેરને પકડવા માટે કુંભકર્ણ વિગેરે રાવણની આજ્ઞાથી ગયા. ત્યાં તે નલકુબરે આશાળી વિદ્યાવડે પિતાના નગરની આસપાસ સે જન પર્યત અગ્નિમય કિલે કરેલ હતું, અને તેમાં એવા અગ્નિમય યંત્રો ગોઠવ્યાં હતાં કે જેમાંથી નીકળતા કણીઆ જાણે આકાશમાં અગ્નિ ઉત્પન્ન કરતા હોય તેવા દેખાતા હતા. તેવા કિલ્લાની અવટુંભ લઈને, કેપથી પ્રજવલિત અગ્નિકુમારની જેમ એ નલકુબર સુભટોથી વિંટાઈને રહ્યો હતો. સૂઈને ઉઠેલા પુરૂષે જેમ ગ્રીષ્મ ઋતુના મધ્યાન્હ કાળના સૂર્યને જોઈ શકે નહીં, તેમ કુંભકર્ણ વિગેરે પણ ત્યાં આવી તે કિલ્લાની સામું જોઈ શક્યા નહીં. “આ દુલ ધ્યપુર ખરેખર દુર્લધ્ય છે એવું ધારી તેઓ ઉત્સાહભંગ થઈન પાછા આવ્યા, અને કેઈક પ્રકારે તેમણે તે ખબર રાવણને પહોંચાડ્યા. તે સાંભળી રાવણ પતે ત્યાં આવ્યો અને તેવો કિલ્લો જોઈ, તેને લેવાના ઉપાયને માટે ચિરકાળ બંધુની સાથે વિચાર કરવા લાગ્યો. તે સમયે રાવણની ઉપર અનુરાગી થયેલી નલકુબરની પત્ની ઉપરંભાએ એક દૂતીને મોકલી, તેણે આવીને રાવણને કહ્યું-“મૂર્તાિમતી જયલક્ષ્મી હોય તેવી ઉપરંભા તમારી સાથે ક્રીડા કરવાને ઈચછે છે, તમારા ગુણેથી તેનું મન તે હરાઈ ગયેલું છે, માત્ર શરીરજ ત્યાં રહેલું છે. હે માનદ! આ કિલ્લાને રક્ષણ કરનારી આશાળી નામની વિદ્યા છે તે ઉપરંભા પોતાના શરીરની જેમ તમારે આધીન કરી દેશે, તેથી તમે આ નગરને નલકુબર સહિત તાબે કરશે. વળી હે દેવ! અહીં સુદર્શન નામે એક ચક્ર તમે સાધ્ય કરશે.” ૧. મેરૂ પર્વત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy